AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : શું કરવું જ્યારે ડોક્ટરો કહે છે કે પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયા છે ?

ઘણીવાર ડોકટરો આપણને બ્લડ રિપોર્ટ કઢાવવાનું કહે છે ત્યારે રિપોર્ટમાં જયારે પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી ગયા છે તેવું પણ બતાવે છે. પ્લેટલેટ્સ કાઉન્ટ કેટલા જરૂરી છે અને તે વધારવા શું કરવું જોઈએ તે અમે તમને જણાવીશું.

Health Tips : શું કરવું જ્યારે ડોક્ટરો કહે છે કે પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયા છે ?
Health Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 10:33 AM
Share

Platelet Count : હાલમાં રોગોથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે. આહાર, માનસિક ચિંતા, નોકરીમાં ટેન્શન વગેરેને કારણે માણસ અનેક રોગોથી પીડાય છે. પ્લેટલેટની ઉણપનું મુખ્ય કારણ ડેન્ગ્યુ તાવ છે. તે સમયે લોહીમાં રક્તકણોની સંખ્યા એકદમ ઘટી જાય છે. આનાથી આરોગ્ય વધુ બગડી શકે છે અને જીવ ગુમાવવાનું જોખમ પણ થઈ શકે છે. જ્યારે આવો તાવ આવે ત્યારે ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ ઉપરાંત અમુક ફળો અને અન્ય ખોરાક લઈને પ્લેટલેટની સંખ્યા વધારી શકાય છે.

કેમ ઘટાડો થાય છે ? શરીરમાં પ્લેટલેટ્સમાં ઘટાડો થવાના ઘણા કારણો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કારણે શરીરમાં પ્લેટલેટમાં ઘટાડો થાય છે. કેટલાક લોકો માટે, જન્મ સમયે આનુવંશિક સમસ્યાઓના કારણે પ્લેટલેટ્સમાં ઘટાડો થાય છે. તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે હાલની જનરેશનમાં હૃદયરોગ ધરાવતા લોકો લોહીને પાતળું કરવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના કારણે પ્લેટલેટની સંખ્યા ઓછી હોવાની શક્યતા વધારે છે.

જ્યારે શરીરમાં બહુ ઓછી પ્લેટલેટ્સ હોય છે, ત્યારે કોઈ ઈજા વિના રક્તસ્રાવ થાય છે. જો પ્લેટલેટ્સ યોગ્ય રીતે કામ ન કરે તો રક્તસ્ત્રાવ બંધ થતો નથી. એવું કહેવાય છે કે આ પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો અથવા પ્લેટલેટની ગુણવત્તામાં ઘટાડાને કારણે હોઈ શકે છે.

પ્લેટલેટ્સ વધારે હોય તો શું ..? શ્વેત રક્તકણો રોગ પ્રતિકારક કોષો તરીકે કામ કરે છે, શરીરને રોગોથી બચાવે છે. લાલ રક્ત કોશિકાઓમાં હિમોગ્લોબિન શરીરને જરૂરી ઓક્સિજન પૂરો પાડે છે. બાકીના પ્લેટલેટ ઓછા થાય ત્યારે શરીરને ગંઠાઈ જવા મદદ કરે છે. આ દરેકમાં સમાન નથી હોતા. સામાન્ય રીતે વ્યક્તિમાં 1.5 લાખથી 4.5 લાખ પ્લેટલેટ હોય છે. પ્લેટલેટ સેલ 7-10 દિવસ સુધી જીવે છે. પ્લેટલેટ એ મુખ્ય કોષો છે જેમાં લોહી ગંઠાઈ જાય છે અને મૃત્યુનું કારણ બને છે.

જો પ્લેટલેટ વધારવા હોય તો  દિવસમાં બે વાર જરદાળુ ફળો લેવાથી લોહી વધે છે અને પ્લેટલેટ વધે છે. સૂકી ખજૂર અને કિવિ ફળો ખાવાથી પ્લેટલેટ વધી શકે છે. તેનાથી રોગ ઓછો થશે. પપૈયા ડેન્ગ્યુની સારી દવા તરીકે કામ કરે છે. આ તમને ડેન્ગ્યુ તાવથી મુક્ત કરે છે પણ પ્લેટલેટ્સની સંખ્યામાં ઝડપથી વધારો કરે છે. દાડમ ખાવાથી પ્લેટલેટની સંખ્યા વધે છે. વધુ લોહી ઉત્પન્ન કરવા માટે આ ખૂબ ઉપયોગી છે.

લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાઓ. વિટામિન K પ્લેટલેટ્સની સંખ્યામાં વધારો કરે છે. લસણના ટુકડા ખોરાકમાં ખૂબ ઉપયોગી છે. આ પ્લેટલેટ્સની સંખ્યામાં પુષ્કળ વધારો કરે છે. બીટરૂટનો રસ પણ ખૂબ ઉપયોગી છે. આ રસ એનિમિયા તેમજ ડેન્ગ્યુથી પીડિત લોકો માટે સારો છે.

ગાજરનું વારંવાર સેવન કરવાથી લોહીનો પ્રવાહ વધે છે જેથી પ્લેટલેટ વધે છે. જો ડેન્ગ્યુનો તાવ આવે અને પ્લેટલેટ્સ ઘટી જાય, તો પણ એનિમિયાથી પીડાતા લોકો આ ફળો લે તો ડોકટર પાસે ગયા વિના ઘરે સાજા થઈ શકે છે.

આ પણ વાંચો : Health Tips : કોળાના બીજના એક નહિ પણ અનેક છે લાભો, વાંચો અને મેળવો જાણકારી

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">