Health Tips : જાણો એ પાંચ સુપર ફૂડ વિષે જે તમારા શરીરના ક્ષતિગ્રસ્ત ભાગોને સુધારવાનું કામ કરે છે

દાડમના ફાયદાકારક તત્વોને કારણે તેને ખૂબ જ હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. આ લાલ રંગનું ફળ વિટામિન-સી, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ્સ, ફોલેટ, પોટેશિયમ અને વિટામિન-કેનો સારો સ્ત્રોત છે.

Health Tips : જાણો એ પાંચ સુપર ફૂડ વિષે જે તમારા શરીરના ક્ષતિગ્રસ્ત ભાગોને સુધારવાનું કામ કરે છે
Super Food For Health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 5:27 PM

સ્વસ્થ ખોરાક (Healthy food )આપણા આંતરિક અવયવોની મરામત(repair ) કરીને અને ડીએનએ(DNA) સ્વાસ્થ્ય જાળવીને આપણને ક્રોનિક અને આનુવંશિક રોગોથી બચાવે છે. તેઓ બળતરાના જોખમને ઘટાડે છે અને એકંદર આરોગ્યને ટેકો આપવા માટે રોગપ્રતિકારક શક્તિમાં(immunity ) સુધારો કરે છે. સ્વસ્થ વસ્તુઓ આપણા શરીરના કાર્યને સુધારે છે બળતરા અને રોગપ્રતિકારક શક્તિના સંદર્ભમાં પણ અસરકારક રહે છે. 

સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ માત્ર તમારા ટેસ્ટને સંતોષતી નથી, પરંતુ શરીરને જરૂરી પોષક તત્વો આપીને વધુ સારી રીતે કાર્ય કરવામાં પણ મદદ કરે છે. તેઓ ક્ષતિગ્રસ્ત DNA રિપેર કરે છે. અંગોની કામ કરવાની ક્ષમતામાં સુધારો કરે છે. તાણ ઘટાડે છે અને મગજના કાર્યમાં સુધારો કરે છે. આજે અમે તમને એવા પાંચ સુપર ફૂડ વિષે જણાવવા જઈ રહ્યા છે. જે તમારા શરીરના ક્ષતિગ્રસ્ત ભાગોને સુધારવાનું કામ કરે છે.

દાડમ – દાડમના ફાયદાકારક તત્વોને કારણે તેને ખૂબ જ હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. આ લાલ રંગનું ફળ વિટામિન-સી, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ્સ, ફોલેટ, પોટેશિયમ અને વિટામિન-કેનો સારો સ્ત્રોત છે. દાડમ હૃદય રોગ, કેન્સર, સંધિવા અથવા કોઈપણ બળતરા સ્થિતિનું જોખમ ઘટાડી શકે છે. તેના એન્ટી-એજિંગ ગુણો ગુણવત્તામાં સુધારો કરીને આપણી ત્વચાને વૃદ્ધત્વની સમસ્યાથી પણ બચાવે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

નારિયેળ તેલ – તમે રસોઈમાં નારિયેળ તેલનો ઉપયોગ કરો છો અથવા ઉપરથી તેનો ઉપયોગ કરો છો, તે દરેક રીતે તમારા સ્વાસ્થ્યને લાભ આપી શકે છે. નાળિયેર તેલમાં હાજર એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો આપણી ત્વચાની ગુણવત્તા અને મૌખિક સ્વાસ્થ્યને ફાયદો કરે છે. સાથે જ તમે બીમારીઓથી જ દૂર નથી રહેતા, પરંતુ વધતું વજન પણ નિયંત્રણમાં રહે છે. નારિયેળ તેલને ઉર્જાનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે જે તમારી ભૂખને લાંબા સમય સુધી દૂર રાખે છે.

મશરૂમ- લાંબા અને સ્વસ્થ જીવન માટે મશરૂમ શ્રેષ્ઠ શાકભાજી માનવામાં આવે છે. મશરૂમમાં ઓછી કેલરી, ફાઈબર અને પ્રોટીન, વિટામીન-ડી, આયર્ન, સેલેનિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેના ફાયદાકારક તત્વો આપણને અલ્ઝાઈમર, હૃદય રોગ, કેન્સર અને ડાયાબિટીસ જેવા ભયંકર રોગોથી બચાવે છે.

હળદર- હળદરનો ઉપયોગ ભારતમાં લગભગ દરેક ઘરમાં થાય છે. હળદરમાં કર્ક્યુમિન નામનું સક્રિય સંયોજન બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તે ત્વચા, હૃદય, સાંધા અને અનેક પ્રકારના અંગો સંબંધિત રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે. ડોક્ટરોનું કહેવું છે કે હળદર કેન્સર, અલ્ઝાઈમર, ડિપ્રેશન અને આર્થરાઈટીસ જેવી બીમારીઓમાં પણ ફાયદો કરે છે. તમે તેને કોઈપણ આહાર પર અથવા રાત્રે દૂધ સાથે લઈ શકો છો.

ગ્રીન ટી- ગ્રીન ટી એ માત્ર તાજું અને હાઇડ્રેટિંગ પીણું નથી. પોલિફીનોલ્સથી ભરપૂર આ પીણું બળતરા અને કેન્સર જેવી બીમારીઓ સામે લડવામાં પણ મદદરૂપ છે. ગ્રીન ટી મેટાબોલિઝમ વધારીને ચરબી ઘટાડવાનું કામ કરે છે. તે કોષોને નુકસાનથી બચાવવા માટે પણ કામ કરે છે.

આ પણ વાંચો: Dengue Fever: પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યા હોય તો આહારમાં સામેલ કરો આ વિટામિન, તાવમાં મળશે રાહત

આ પણ વાંચો: કેટલાક ખાસ ઉપાય અજમાવવાથી ફેફસાને પ્રદૂષણથી બચાવી શકાય, જાણો શું છે આ ખાસ ઉપાય

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">