AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: રોજ ખાલી પેટે એક મુઠ્ઠી અંકુરિત ચણા ખાઓ, અડધી બીમારીઓ જાતે જ થઈ જશે દૂર

Sprouted Black Gram Benefits: ફણગાવેલા (અંકુરિત) ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. ચણામાં એટલા બધા પોષક તત્વો હોય છે કે જેને નિયમિત રીતે તમારા આહારમાં સામેલ કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને લગતી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

Health Tips: રોજ ખાલી પેટે એક મુઠ્ઠી અંકુરિત ચણા ખાઓ, અડધી બીમારીઓ જાતે જ થઈ જશે દૂર
Health care tipsImage Credit source: healthline
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 11:48 PM
Share

કાળા ચણા (Black Gram) સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ સિવાય આયર્ન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, વિટામીન વગેરે પોષક તત્વો મળી આવે છે. જો ચણા નિયમિત રીતે ખાવામાં આવે તો તમારી અડધી બીમારીઓ દૂર થઈ શકે છે. અંકુર ફૂટ્યા પછી ચણા ખાવાથી તેના ગુણો વધુ વધે છે. લોહીની ઉણપને (Blood Loss) દૂર કરવા ઉપરાંત ચણા તમારા શરીરનો થાક દૂર કરે છે અને તમારા મનને પણ તેજ બનાવે છે. એટલું જ નહીં, નિયમિત ચણા ખાવાથી તમારું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. ચણાના સ્વાસ્થ્ય લાભો અને તેને કેવી રીતે ખાવું તે વિશે અહીં વિગતવાર જાણો.

ચણાનું સેવન કેવી રીતે કરવું

ચણાને સવારથી સાંજ પાણીમાં પલાળી રાખો. રાત્રે તેનું પાણી કાઢી લો અને ચણાને કપડામાં બાંધી લો. સવાર સુધીમાં ચણા ફૂટી જશે. રોજ સવારે ખાલી પેટે એક મુઠ્ઠી અંકુરિત ચણા ખાઓ. ખાધા પછી લગભગ એક કલાક સુધી બીજું કંઈ ના ખાઓ.

નબળાઈ દૂર કરે છે

જો તમારું શરીર નબળું છે અથવા તમે તમારા શરીરમાં સતત થાક અનુભવો છો તો તમારે નિયમિતપણે અંકુરિત ચણા ખાવા જોઈએ. આ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે. ચણા ખાવાથી તમારી નબળાઈ ઝડપથી દૂર થાય છે.

આ પણ વાંચો

વજન નિયંત્રિત કરે છે

પ્રોટીન અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત હોવાને કારણે જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તેમના માટે કાળા ચણાને પણ ફાયદાકારક માનવામાં આવે છે. વજન ઘટાડનારા લોકો તેને તેમના આહારમાં સામેલ કરે છે તો તેમને ઘણી મદદ મળે છે.

લોહીની ઉણપ દૂર કરે છે

ચણાને નિયમિત રીતે ખાવાથી તમે શરીરમાં લોહીની ઉણપને ઝડપથી દૂર કરી શકો છો. અંકુરિત ચણા એનિમિયાના દર્દીઓ માટે ફાયદાકારક છે. શરીરમાં લોહીની ઉણપને દૂર કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ પણ નિયંત્રણમાં રહે છે.

પાચન તંત્ર માટે યોગ્ય

જે લોકોને પાચન સંબંધી તમામ સમસ્યાઓ હોય તેમના માટે પણ કાળા ચણા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફાઈબરથી ભરપૂર હોવાને કારણે તે તમારી પાચન તંત્ર માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. આ સિવાય કાળા ચણા કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

હાડકાની મજબૂતી માટે ફાયદાકારક

કેલ્શિયમ, આયર્ન, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન્સથી ભરપૂર હોવાને કારણે જે લોકોના હાડકાં નબળા હોય અથવા હાડકાં સંબંધિત સમસ્યા હોય, ચણા હાડકા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">