શું Protein ખાધા પછી પેટ અને છાતીમાં બળતરા થાય છે? જાણી લો તેને પચાવવાનો સાચો રસ્તો
જિમ કે ફિટનેસના શોખીનો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ બોડી બનાવવા માટે વધારે પ્રોટીન શેક કે પ્રોટીન ડાયેટ પર નિર્ભર છો, તો પેટમાં ગૅસ, એસિડિટી અને પાચનની મોટી સમસ્યા થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, જ્યારે શરીર પ્રોટીન યોગ્ય રીતે નથી પચાવી શકતું, ત્યારે કેટલાક ખાસ સંકેતો મળી આવે છે.

જો તમે પણ ફિટનેસના શોખીન છો અને પ્રોટીન શેક પર નિર્ભર છો, તો આ સમાચાર તમારા માટે છે. ખૂબ વધારે પ્રમાણમાં પ્રોટીન લેવાથી, હેવી પ્રોટીન શેક પીવાથી કે એક સાથે ખૂબ વધારે ખોરાક ખાવાથી છાતીમાં બળતરા, એસિડિટી કે એસિડ રિફ્લક્સની સમસ્યા થઈ શકે છે. પ્રોટીનને પચાવવા માટે પેટને વધારે પ્રમાણમાં એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવું પડે છે, જેનાથી આ સમસ્યા વધુ વધી શકે છે.
ખાનપાનમાં ફેરફાર લાવવાની જરૂર
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, પ્રોટીનનું સેવન શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમારા ખોરાકમાં ફાઈબર, ન્યૂટ્રિઅન્ટ્સ અને કાર્બોહાઇડ્રેટ્સની સાથે પ્રોટીનનું પ્રમાણ પણ હોવું જોઈએ. જો એવું નથી, તો તમારે તમારા ખાનપાનમાં ફેરફાર લાવવાની જરૂર છે.
પ્રોટીન આપણા શરીર માટે એક અત્યંત જરૂરી પોષક તત્વ છે, જે સ્નાયુઓના નિર્માણ, ટિશ્યૂઝના સમારકામ અને શરીરના વધુ સારા કામકાજમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કે, ઘણીવાર શરીર પ્રોટીનને યોગ્ય રીતે પચાવવામાં અસમર્થ થઈ જાય છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમે પણ પૌષ્ટિક આહાર લો છો છતાં આખો દિવસ નબળાઈ અનુભવો છો, તો એનો અર્થ એ છે કે તમારું પ્રોટીન યોગ્ય રીતે નથી પચી રહ્યું.
આ 5 સંકેતો દર્શાવે છે કે, તમારું પ્રોટીન કેમ નથી પચી રહ્યું?
નબળું પાચનતંત્ર: પેટમાં બ્લોટિંગ (પેટ ફૂલવું) કે ગૅસની સમસ્યા થવી, આ એક ખૂબ મોટો સંકેત છે કે તમારું શરીર પ્રોટીનને યોગ્ય રીતે પચાવી શકતું નથી. આ એ વાતનો સંકેત છે કે, તમારું શરીર પ્રોટીનને યોગ્ય રીતે તોડી શકતું નથી.
પ્રોટીનને પચાવવામાં શરીરને પૂરતા પ્રમાણમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સની જરૂર હોય છે. જો આ એન્ઝાઇમ્સ ઓછા બની રહ્યા હોય તો પ્રોટીન યોગ્ય રીતે પચતું નથી અને પેટમાં સોજો તેમજ અસ્વસ્થતા થઈ શકે છે.
- સ્નાયુઓમાં દુખાવો અને નબળાઈ: પ્રોટીન સ્નાયુઓના નિર્માણ અને તેમના સમારકામ માટે જરૂરી છે. જો શરીર પ્રોટીનને યોગ્ય રીતે નથી પચાવી શકતું તો સ્નાયુઓને પૂરતું પોષણ મળતું નથી. તેના કારણે સ્નાયુઓમાં દુખાવો, નબળાઈ અને ખેંચાણની સમસ્યા જોવા મળી શકે છે.
- વજન ઘટવું અને ભૂખ ન લાગવી: પ્રોટીન પાચનની સમસ્યાના કારણે શરીરને પૂરતું પોષણ નથી મળતું, જેના કારણે વજન ઘટવા લાગે છે. પ્રોટીન પાચનમાં તકલીફ થવા પર શરીરને પૂરતી એનર્જી નથી મળતી, જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટવા લાગે છે.
- ઘા રુઝાવામાં વાર લાગવી: જ્યારે શરીર પ્રોટીનને સારી રીતે એબ્ઝોર્બ (શોષણ) નથી કરતું, ત્યારે નાની-મોટી ઈજા રુઝાવામાં પણ ઘણો સમય લાગે છે. આવામાં સ્નાયુઓ નબળા પડી જાય છે અને શરીર જલ્દી થાકવા લાગે છે.
- શારીરિક ફેરફારો: જ્યારે શરીરને ઓછું પ્રોટીન મળે છે, ત્યારે નખ સરળતાથી તૂટવા લાગે છે. આ સિવાય વાળ નબળા પડીને ખરવા લાગે છે અને સ્કિન પણ ડ્રાય થઈ જાય છે.
જો તમને જમ્યા પછી થાક લાગે છે, તો આ બાબતો પર ધ્યાન આપો:
- તમારા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર સામેલ કરો. તમારે થાળીમાં દાળ, દહીં અને સલાડ જરૂર એડ (Add) કરવા જોઈએ.
- એક વારમાં વધારે ખોરાક ન ખાઓ, ખાવાનો સાચો સમય અને મર્યાદિત માત્રામાં ખાઓ.
- ખોરાકને સારી રીતે ચાવીને લો, જો પ્રોટીન શેક લઈ રહ્યા છો તો તેને પણ ધીમે-ધીમે પીઓ.
- જમ્યા પછી તરત જ પાણી ન પીઓ, ઓછામાં ઓછા એક કલાક પછી પીઓ અને ખૂબ વધારે પાણી ન પીઓ.
- ખૂબ ભારે કે પ્રોસેસ્ડ પ્રોટીન ખાવાથી બચો, તે પાચનશક્તિ નબળી કરે છે.
- જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમે નેચરલી તમારા પ્રોટીનના સેવનને સુધારી શકો છો અને તેના પોષક તત્વોનો લાભ લઈ શકો છો.
