AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો

આપણો આહાર અને જીવનશૈલી આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. તંદુરસ્ત રહેવા માટે વ્યક્તિએ હંમેશા પૌષ્ટિક આહાર લેવો જોઈએ. ચાલો આપણે જાણીએ કે, પેટની સમસ્યાઓથી દૂર રહેવા માટે કઈ વસ્તુઓ ટાળવી જોઈએ.

Health Tips: જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો
જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 10:04 AM
Share

Health Tips:પેટ આપણા શરીરનો મહત્વનો ભાગ છે અને પાચનતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પાચન તંત્રને વધારવા માટે કામ કરે છે. આ સિવાય તે ઉર્જા આપવામાં મદદ કરે છે. આપણે જે ખાઈએ છીએ તે આપણા સ્વાસ્થ્ય (Health)ને અસર કરે છે. આપણે જે ખાઈએ છીએ તેની હકારાત્મક અને નકારાત્મક અસરો હોય છે. તેથી તમારે તમારા આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.ઘણા લોકોને વારંવાર પેટ સંબંધિત સમસ્યાઓ થતી હોય છે. તેની પાછળનું મુખ્ય કારણ આહાર હોઈ શકે છે. ચાલો જાણીએ પેટની સમસ્યા (Stomach problems)ને દૂર કરવા માટે કઈ વસ્તુઓથી બચવું જોઈએ.

ધોયા વગર ફળો અને શાકભાજી ખાવા

ફળો અને શાકભાજીમાં હાનિકારક જંતુનો ખાતરો હોઈ શકે છે. જો તમે ધોયા પછી શાકભાજી (Vegetables)અને ફળો ખાતા નથી, તો સ્વાસ્થ્ય (Health)ને નુકસાન થઈ શકે છે. તેથી ખાતા પહેલા ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈ લો.

અધકચરું પાકેલું માંસ અને સીફૂડ

અધકચરું પાકેલું માંસ અને સીફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કારણ કે, તેમાં જંતુઓ અને બેક્ટેરિયા હોય છે. અધકચરું પાકેલા માંસ અને સીફૂડ ખાવાથી ફૂડ પોઈઝનિંગ (Food poisoning)અને પેટની સમસ્યા થઈ શકે છે.

કાચું દૂધ

ક્યારેક ડેરી પ્રોડક્ટ (Dairy product)ખાવાથી પેટની સમસ્યા પણ વધી શકે છે. કાચું દૂધ પીવાથી અપચો થઈ શકે છે. તેથી થોડા સમય માટે દૂધમાંથી બનેલી વસ્તુઓ નું સેવન કરવાનું ટાળો. આ સિવાય ફિલ્ટર વગર પાણી ન પીવું.

વધારે માત્રામાં મીઠું અને ખાંડનું સેવન

ખાણી પીણીમાં ખાંડ અને મીઠાના વપરાશને મર્યાદિત કરો. આ વસ્તુઓનો વધુ પડતો વપરાશ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ચા અને કોફીનું સેવન

ચા અને કોફીનું વધુ પડતું સેવન કરવાનું ટાળો કારણ કે તેમાં કેફીન હોય છે. કેફીનનું વધુ પ્રમાણ સ્વાસ્થ્ય (Health)માટે હાનિકારક છે. તેનાથી અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે.

મસાલેદાર ખોરાક

મસાલાવાળો ખોરાકનો સ્વાદ વધારવાનું કામ કરે છે. પરંતુ વધુ પડતા મસાલાનું સેવન નુકસાનકારક છે. વધુ મસાલાવાળી વસ્તુઓ ખાવાનું ટાળો કારણ કે, આ વસ્તુઓ પેટની સમસ્યા વધારી શકે છે. તેના કારણે ગેસ,અપચો વગેરેની સમસ્યાઓ થઈ શકે છે.

ખાલી પેટે એસિડિક વસ્તુઓ ખાવી

નારંગી, દ્રાક્ષ, લીંબુ જેવા સાઇટ્રસ ફળો ક્યારેય ખાલી પેટ પર ન ખાવા જોઈએ. આ બધી વસ્તુઓ એસિડિક છે અને જો સવારે નાસ્તા પહેલા તેનું સેવન કરવામાં આવે તો અપચો થઈ શકે છે. કાર્બોનેટેડ પીણાં પણ ટાળવા જોઈએ કારણ કે તે ગેસનું નિર્માણ કરે છે.

આ પણ વાંચો : shreyas iyer fit :દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચાર, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી ઈજામાંથી બહાર આવ્યો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">