AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાસ્થ્ય માટે દરરોજ એક મુઠ્ઠી ચણા છે ‘ઘણા’, આ પાંચ ફાયદા જાણીને તમે પણ થઇ જશો અચંબિત

શેકેલા ચણામાં સારી માત્રામાં ફાઈબર, પ્રોટીન અને આયર્ન હોય છે. જેના લીધે, તેને ખાવાથી ત્વરિત ઉર્જા મળે છે. સવારે શેકેલા ચણાનું સેવન કરવાથી શરીરને ઘણા આરોગ્ય લાભ થાય છે. ચાલો જણાવીએ વિગત.

સ્વાસ્થ્ય માટે દરરોજ એક મુઠ્ઠી ચણા છે 'ઘણા', આ પાંચ ફાયદા જાણીને તમે પણ થઇ જશો અચંબિત
Benefits of eating roasted chickpeas every morning
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 2:33 PM
Share

ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચણા પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. ઘણા લોકોને ફક્ત શેકેલા ચણા સ્વાદ માટે જ ખાવાનું ગમે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ચણા માત્ર સ્વાદથી જ નહીં આરોગ્યની રીતે પણ ખૂબ ફાયદાકારક છે. શેકેલા ચણામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જેથી તેનો ઉપયોગ તંદુરસ્ત નાસ્તા તરીકે પણ થઈ શકે.

શેકેલા ચણામાં વિટામિનની સાથે કાર્બોહાઈડ્રેટ, ભેજ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. શેકેલા ચણામાં સારી માત્રામાં ફાઈબર પણ હોય છે. તેમાં પ્રોટીન અને આયર્ન પણ ભરપુર હોય છે. જેના લીધે, તેને ખાવાથી ત્વરિત ઉર્જા મળે છે. સવારે શેકેલા ચણાનું સેવન કરવાથી શરીરને ઘણા આરોગ્ય લાભ થાય છે. લોહીની ઉણપ ધરાવતા લોકોએ શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ. તેની મદદથી, એનિમિયાની ઉણપને દૂર કરી શકાય છે. આટલું જ નહીં, તે ઇમ્યુનિટી માટે પણ સારા માનવામાં આવે છે. તો ચાલો આજે તમને શેકેલા ચણા ખાવાના ફાયદાઓ વિશે જણાવીએ.

શેકેલા ચણા ખાવાના ફાયદા

1. ઇમ્યુનિટી

શેકેલા ચણામાં ઘણા વિટામિન અને ખનિજો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. પાચનતંત્રને ચણા દ્વારા મજબૂત બનાવી શકાય છે, એટલું જ નહીં, તે ઇમ્યુનિટીને મજબૂત કરવામાં પણ મદદ કરી શકે છે.

2. બ્લડ સુગર

શેકેલા ચણા ખાવા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શેકેલા ચણા ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. રોજ તેનું સેવન કરવાથી સુગરની સમસ્યા દૂર થઈ શકે છે.

3. ઉર્જા

શેકેલા ચણામાં વિટામિનની સાથે કાર્બોહાઈડ્રેટ, ભેજ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. શેકેલા ચણામાં સારી માત્રામાં ફાઈબર પણ હોય છે. તેમાં પ્રોટીન અને આયર્ન પણ ભરપુર હોય છે. તેને ખાવાથી શરીરમાં ઉર્જા રહે છે. એનર્જીના અભાવને દૂર કરવા માટે, તમે આહારમાં શેકેલા દાણાને સમાવી શકો છો.

4. એનિમિયા

એનિમિયાના દર્દીઓ માટે ચણાનું સેવન ખૂબ ફાયદાકારક છે. જે લોકોને એનિમિયા હોય છે તેઓએ શેકેલા ચણાનો આહારમાં સમાવેશ કરવો જોઇએ. ચણાના સેવનથી એનિમિયાની ઉણપને દૂર કરી શકાય છે.

5. હાડકાં મજબૂત બનાવવા

હાડકાં મજબૂત બનાવવા માટે શેકેલા ચણા અચુકથી ખાવા. કેમ કે કેલ્શિયમ દૂધ અને દહીં સમાન વિરામિન્સ ચણામાં જોવા મળે છે, તેથી કેલ્શિયમ હાડકાં માટે સારું માનવામાં આવે છે. ચણા ખાવાથી હાડકા નબળા થવાથી બચી શકાય છે.

આ પણ વાંચો: Health Tips: કાળા તલને ના સમજશો સામાન્ય, સ્વાસ્થ્યને લઈને આના છે 6 આશ્ચર્યજનક ફાયદાઓ

આ પણ વાંચો: Health Tips: ગોળની ચા પીવાના છે અનેક ફાયદા, જાણીને તમે ખાંડને કહી દેશો બાય બાય

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">