AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ગોળની ચા પીવાના છે અનેક ફાયદા, જાણીને તમે ખાંડને કહી દેશો બાય બાય

જો તમે મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગતા હો તો ખાંડને બદલે ગોળની ચા લેવાનું શરુ કરી ડો. ગોળ ગરમ છે, તેથી ઉનાળાની ઋતુમાં મર્યાદિત માત્રામાં તેનું સેવન કરો.

Health Tips: ગોળની ચા પીવાના છે અનેક ફાયદા, જાણીને તમે ખાંડને કહી દેશો બાય બાય
Benefits of drink jaggery tea
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 1:57 PM
Share

ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ અને આયર્ન જેવા તત્વો જોવા મળે છે. જે શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. ગોળ માત્ર ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે ઘણા ઔષધિય ગુણથી પણ ભરપુર છે. જો તમે મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગતા હો, તો પછી ખાંડને બદલે ગોળની ચા લો. તે વજન ઘટાડવામાં અને શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આજે તમને ગોળની ચા પીવાના ફાયદા જણાવીએ.

ગોળની ચા પીવાના ફાયદા

1. જાડાપણું ઓછું કરવા માટે

જો તમે પણ મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો, અને વજન ઓછું કરવા માંગતા હો તો ખાંડને બદલે ગોળની ચા પીવો. પરંતુ એ પણ ધ્યાનમાં રાખજો કે ઉનાળામાં ગોળનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે.

2. પાચનશક્તિને મજબૂત બનાવવું

પાચનમાં ગોળ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખરેખર, ગોળમાં કુદરતી મીઠાશ હોય છે જેમાં ખાંડની તુલનામાં ઘણા વિટામિન અને ખનિજો જોવા મળે છે. જે પેટની બળતરા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

3. આધાશીશીના દુ: ખાવા માટે

ગોળમાંથી બનાવેલી ચાનું સેવન કરવાથી આધાશીશીની સમસ્યામાંથી રાહત મળે છે. આધાશીશી અથવા માથાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે ખાંડમાંથી બનેલી ચાને બદલે ગોળમાંથી બનાવેલી ચાનું સેવન કરી શકાય છે.

5. ગ્લોઇંગ સ્કીન માટે

ત્વચામાં ખીલની સમસ્યા માટેનું એક મોટું કારણ ખાંડનો વધારે ઉપયોગ કરવો પણ હોઈ શકે છે. પરંતુ તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરીને પિમ્પલ્સ અને ત્વચાની બીજી સમસ્યાથી રાહત મેળવી શકો છો.

આ પણ વાંચો: Corona vaccine : કોરોના વેક્સિન લીધા બાદ હાથમાં દુ:ખાવો કેમ થાય છે ? જાણો કારણ

આ પણ વાંચો: Health Tips: પાચનતંત્રની નહીં રાખો સંભાળ તો પસ્તાવાનો પાર નહીં રહે, જાણો ઘરેલું ઉપાય

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">