AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Fruits : સાંધાના દુખાવાથી પરેશાન છો ? ઉનાળાના આ 3 ફળોથી તમને મળશે રાહત

ઉનાળામાં એવા ઘણા ફળો મળે છે, જેમાં શરીરને સ્વસ્થ રાખવાના ગુણ હોય છે. શું તમે વારંવાર સાંધાના દુખાવાથી પરેશાન છો? જાણો ક્યા ફળોથી તમે તમારી જાતને આ સમસ્યાથી ઘણી હદ સુધી બચાવી શકો છો.

Summer Fruits : સાંધાના દુખાવાથી પરેશાન છો ? ઉનાળાના આ 3 ફળોથી તમને મળશે રાહત
Summer Fruits
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 8:11 PM
Share

જેમ-જેમ તાપમાન વધે છે, આપણે એવા ફળ ખાવાનો પ્રયત્ન કરીએ છીએ જે શરીરને ઠંડુ રાખી શકે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળાના ફળો સાંધાના દુખાવા સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને ઘટાડી અથવા દૂર કરી શકે છે. વાસ્તવમાં ઉનાળામાં એવા ઘણા ફળો મળે છે. જેમાં શરીરને સ્વસ્થ રાખવાના ગુણ હોય છે. શું તમે વારંવાર સાંધાના દુખાવાથી પરેશાન છો? જાણો ક્યા ફળોથી તમે તમારી જાતને આ સમસ્યાથી ઘણી હદ સુધી બચાવી શકો છો.

આ પણ વાંચો : Health Tips: સવારના બ્રેકફાસ્ટમાં સામેલ કરો દલિયા, મળશે ઘણા ફાયદા, જાણો તેની રેસિપી

સાંધાના દુખાવાથી બચવા આ ફળો ખાઓ

1. એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણધર્મોવાળા ફળો

નિષ્ણાતો એમ પણ કહે છે કે, મોસમી ફળો હંમેશા ખાવા જોઈએ. કારણ કે તાજા હોવાને કારણે તેમાં પોષક તત્વો જળવાઈ રહે છે. જો તમે સાંધાના દુખાવા કે અન્ય કોઈ ઓર્થો પ્રોબ્લેમના જોખમનો સામનો કરી રહ્યા છો, તો તમારે ચેરીનું સેવન કરવું જોઈએ. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જેના કારણે તે સોજો અને સાંધાનો દુખાવો ઓછો કરી શકે છે. જો તમે પગના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માંગતા હોવ તો રોજ યોગ્ય માત્રામાં ચેરી ખાઓ.

2. એન્ટીઑકિસડન્ટો વાળા ફળો

એન્ટિઓક્સિડન્ટ્સ આપણા શરીરમાં બને છે અથવા તો આપણે ખાવા-પીવામાંથી મેળવીએ છીએ. તેઓ આપણા કોષોને રેડિકલ નુકસાનથી બચાવવા માટે કામ કરે છે. ચેરી, બ્લેક બેરી અને ફાલસામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં વિટામિન E પણ હોય છે જે આંખો માટે ફાયદાકારક છે. શરીરમાં સોજો ઓછો કરવા અને પગના દુખાવામાં રાહત મેળવવા માટે આ ફળોનું સેવન કરો.

3. વિટામિન સી વાળો ખોરાક

ઉનાળામાં વિટામિન સીથી ભરપૂર વસ્તુઓ ખાવી જ જોઈએ. ઉનાળામાં શરીરના ડીહાઈડ્રેશન સહિત અન્ય ઘણી સમસ્યાઓનું જોખમ રહે છે. વિટામિન સી આપણને તેનાથી બચાવવાનું કામ કરે છે. ચેરી અને બ્લેક બેરીને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી માટે ચેરી, બ્લેક બેરી અને ફાલસા ચોક્કસ ખાવા જોઈએ.

4. પીડા ઓછી કરતા ગુણધર્મો

ચેરી, બ્લેક બેરી અને ફાલસામાં દુખાવો ઘટાડવાના ગુણ હોય છે. જો તમને વારંવાર સાંધાનો દુખાવો થતો હોય તો ઉનાળામાં આ ત્રણ વસ્તુઓ ચોક્કસ ખાઓ.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

હેલ્થના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">