Alert: જાણો આ 5 ઝેરી આદતો વિશે, જે ધૂમ્રપાનથી પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે
આપણા આધુનિક જીવનમાં, આપણે એવી ઘણી ખરાબ આદતો પાળીને બેઠા છીએ, જેનું નુકસાન ખબ વધુ થાય છે. ચાલો આજે તમને જણાવીએ એવી આદતો વિશે.
આપણા આધુનિક જીવનમાં આપણી પાસે ચોક્કસપણે એવી ટેવો છે જેનું પાલન કરવું આપણને સારું લાગે છે પરંતુ વાસ્તવમાં આ ટેવોથી આપણું સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિને નુકસાન થઇ શકે છે. નિષ્ણાતો આ 5 આદતો વિશે જણાવે છે જે તમારા શરીર માટે ધૂમ્રપાન જેટલું ઝેરી અને ખતરનાક બની શકે છે.
અપૂરતી ઊંઘ
શું તમે નોંધ્યું છે કે જો તમે યોગ્ય રીતે ઊંઘતા ન હોવ તો તમે બીજા દિવસે કેટલા નિષ્ઠુર અને ચીડિયા રહો છો? ગુણવત્તાયુક્ત ઊંઘની ઉપેક્ષા કરવાની આ એક આડઅસર છે. હેલ્થ પ્રોફેશનલ્સના મતે, આપણું શરીર તેની કુદરતી ગતિએ કાયાકલ્પ કરી રહ્યું છે તેની ખાતરી કરવા માટે દરરોજ ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ લેવી જોઈએ. ઊંઘના કલાકોમાં કોઈપણ સમાધાન તમારી રોગપ્રતિકારક શક્તિ, શ્વસન અને પાચન તંત્રને નકારાત્મક અસર કરે છે.
ઉચ્ચ એનિમલ-પ્રોટીન આહાર લેવો
ચીઝ અને માંસ જેવા એનીમલ પ્રોટીનથી સમૃદ્ધ ખોરાકનો વધુ પડતો વપરાશ IGF1 નામના હોર્મોનને કારણે કેન્સરના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે. આ માટેનું જોખમ પરિબળ ધૂમ્રપાન સમાન છે. આવા પ્રોટીનનું વધુ પડતું સેવન ટાળવા માટે, તમારા આહારમાં કઠોળ જેવા છોડના પ્રોટીનનો સમાવેશ કરો.
લાંબા સમય સુધી બેસી રહેવું
જ્યારે તમે ઓફિસ જાવ છો ત્યારે આખો દિવસ તમારી ખુરશી પર ચોંટી રહેવું પડે છે. અને આ ધૂમ્રપાન જેટલું જ ખતરનાક છે. અભ્યાસો જણાવે છે કે લાંબા સમય સુધી બેસી રહેવું, પછી ભલે તે કામ હોય કે ડ્રાઇવિંગ હોય તેનું નુકસાન ફેફસા, સ્તન અને આંતરડા જેવા વિવિધ કેન્સર સાથે જોડાયેલ છે. ખાતરી કરો કે દર એક કે બે કલાકે તમે ઉભા રહીને આંટો મારો છો અને પછી તમારા કામ સાથે આગળ વધારો છો.
પોતાની જાતને અલગ કરી દેવી
જેટલો સમય જરૂરી છે તનાથી વધુ અને ખુબ વધુ પોતાને એકાંતમાં રાખવું યોગ્ય નથી. જેમ જેમ COVID-19 આપણા જીવનમાં પ્રવેશી ગયું છે તેમ તેમ આપણે સામાન્ય જીવનની વ્યાખ્યા બદલી છે. કોરોનામાં શારીરિક અંતરની ભલામણ કરવામાં આવે છે, સામાજિક અંતરની નહીં. ક્યારેક એકાંતમાં રહેવું ઠીક છે પણ એકલું થઇ જવું નથી.
આ એક બીજી વસ્તુ છે જેના કારણે વ્યક્તિ હૃદયરોગથી પીડિત થઈ શકે છે. એટલું જ નહીં, તેનથી ચિંતા, ભાવનાત્મક વિક્ષેપ અને હાનિકારક વ્યસનો જેવી વધારાની બીમારીઓને આમંત્રણ મળે છે. કેટલાક સારા મિત્રો બનાવવાની કોશિશ કરો જે તમારી વાત સાંભળશે.
ઘરમાં પુરાઈ રહેવું
વિટામિન ડી એ આપણા શરીરને સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક છે. જ્યારે શરીરને રોગપ્રતિકારક શક્તિ બનાવવાની અથવા તેને પુન:પ્રાપ્ત કરવાની જરૂર પડે છે ત્યારે સૂર્ય તેનો એક મહાન સ્રોત છે. તેથી 24/7 ઘરની અંદર બેસીને તમારા શરીરને હાની પહોંચી શકે છે વિટામિન-ડીની ઉણપ આવી શકે છે અને વધી શકે છે. જેનાથી COVID-19 સહિતના રોગોનું જોખમ પણ વધી શકે છે.
આ પણ વાંચો: વધુ પડતી હળદરનું સેવન કરતા હોવ તો થઈ જાઓ સાવધાન, નોંતરી બેસસો નવી બીમારી, જાણો યોગ્ય માત્રા
આ પણ વાંચો: Health : આયુર્વેદ અનુસાર એવા કયા ખોરાક છે જેને ગરમ કરીને ખાવો ન જોઈએ
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)