AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંખોની સમસ્યા નથી સામાન્ય: ઘટવા લાગ્યું છે આંખોનું તેજ, તો આપવાનો આ 6 ઘરેલુ ઉપાય

Eyesight Home Remedies: જો તમે નબળી દૃષ્ટિથી પરેશાન છો, તો કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી તમે આંખોને સ્વસ્થ રાખી શકો છો. ચાલો જાણીએ આ ઉપાય શું છે.

આંખોની સમસ્યા નથી સામાન્ય: ઘટવા લાગ્યું છે આંખોનું તેજ, તો આપવાનો આ 6 ઘરેલુ ઉપાય
Eyesight Home Remedies
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 8:33 AM
Share

કોરોનાના આ સમયમાં ઘણાબધા લોકો ઘરેથી લેપટોપમાં કામ કરે છે. એટલું જ નહીં બાળકો પણ ઘરે બેઠા શિક્ષણ મેળવી રહ્યા છે. આ માટે તેમણે સતત સ્ક્રીન ફેસ કરવી પડે છે. જેની અસર સીધી આંખો પર પડી રહી છે. ચિંતાની વાત એ છે કે આપણે નાની સમસ્યાને ઇગ્નોર કરી દઈએ છીએ પરંતુ આગળ જતા આ સમસ્યા વિકરાળ સ્વરૂપ લઇ લેતી હોય છે. આવામાં ચાલો તમને જણાવીએ કેટલાક ઘરેલું ઉપાય કે જેનાથી તમારી આંખોની સમસ્યામાં રાહત મળશે.

પલાળેલી બદામ ખાઓ

પલાળેલી બદામનું સેવન આંખોની દ્રષ્ટિ માટે સારું છે. આ માટે તમે દરરોજ રાત્રે 7 થી 8 બદામ પલાળીને રાખી શકો છો. બીજા દિવસે સવારે બદામની પેસ્ટ બનાવો. અને આ પેસ્ટને પાણીમાં બેલાવીને ખાઈ લો. તેનાથી આંખોની સમસ્યામાંથી મુક્તિ મળે છે. બદામ મગજને પણ તેજ બનાવે છે.

કિસમિસ અને અંજીર ખાઓ

નબળી દ્રષ્ટિની સમસ્યા માટે તમે પલાળેલા કિસમિસ અને અંજીરનું સેવન કરી શકો છો. આ માટે, 2 અંજીર અને 10 થી 15 કિસમિસને રાત્રે પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે તમે ખાલી પેટ તેનું સેવન કરી શકો છો.

આંખોની કસરત કરો

આંખોને સ્વસ્થ રાખવા માટે આંખની કસરતો કરવી જરૂરી છે. તે તનાવમાં પણ રાહત આપે છે. આ માટે તમારા બંને હાથને એક સાથે ઘસો અને બાદમાં તેને આંખો પર રાખો. થોડા સમય પછી, હાથ લઇ લો અને ધીમે ધીમે આંખો ખોલો. આ સિવાય, તમે આંખની કીકીને પણ ડાબેથી જમણે, તેમજ ઉપર અને નીચે ફેરવી શકો છો.

બદામ, વરિયાળી અને સાકારનું મિશ્રણ

આ ઘરેલું ઉપાય આંખોની રોશની માટે ખૂબ ફાયદાકારક છે. આ માટે તમારે બદામ, વરિયાળીનાં દાણા અને સાકારની જરૂર પડશે. ત્રણેયને એક સાથે વાટી લો. તૈયાર થયેલું આ ચૂરણ રાત્રે સૂતા પહેલા એક ચમચી દૂધ સાથે લો. એક અઠવાડિયા સુધી તેનું સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ સુધારવા માંડશે.

દેશી ઘી

દેશી ઘીનું આયુર્વેદમાં ઘણું મહત્વ છે. તે આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ઘીમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. તેઓ દૃષ્ટિ સુધારે છે. તમે તેને આંખો પર લગાવીને દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે આંખો પર ઘી લગાવવું પડશે અને થોડીવાર માટે તેનું મસાજ કરવું પડશે.

આમળા

દરરોજ સવારે એક ચમચી આમળાનો રસ પીવાથી આંખોની રોશની સુધરે છે. આમળા આંખોની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Monsoon Health Tips: ચોમાસામાં આ 5 ખાદ્ય વસ્તુઓથી રહો દુર, નહીંતર સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: Health Tips: પાંચનશક્તિ સાથે જોડાયેલી આ પાંચ 5 અફવાઓ પર તમે પણ કરો છો વિશ્વાસ? જાણો શું છે સત્ય

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">