AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Health Tips: ચોમાસામાં આ 5 ખાદ્ય વસ્તુઓથી રહો દુર, નહીંતર સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર

ચોમાસાની ઋતુમાં ભેજને કારણે બેક્ટેરિયા અને સૂક્ષ્મજંતુ ઝડપથી વિકાસ પામે છે. ઘણા બેક્ટેરિયા આપણી આંખોથી દેખાય તેવા હોતા નથી. પરંતુ આ વસ્તુઓનું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે.

Monsoon Health Tips: ચોમાસામાં આ 5 ખાદ્ય વસ્તુઓથી રહો દુર, નહીંતર સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર
Do not eat these things in monsoon, it is harmful for health
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 7:26 AM
Share

ચોમાસાની ઋતુ સળગતી ગરમી બાદ રાહતની લહેર લઈને આવે છે, પરંતુ આની સાથે એક જોખમ પણ વધે છે. જી હા ચોમાસામાં ખાદ્ય ચીજોમાં ઇન્ફેકશન થવાની શક્યાતા વધે છે. જેના કારણે ખાદ્ય ચીજો ઝડપથી બગડે છે. તમે તમારા ઘરના વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે આ સિઝનમાં કેટલીક ચીજો ટાળવી જોઈએ. બેક્ટેરિયાથી ચેપગ્રસ્ત ખોરાક ખાવાથી ફૂડ પોઇઝનિંગ, પેટનું ફૂલવું, ઝાડા-ઉલટી, વગેરે થઈ શકે છે. આ સિવાય તમારી રોગપ્રતિકારક શક્તિ પણ પ્રભાવિત થાય છે. ચાલો આપણે જાણીએ કે વરસાદની ઋતુમાં કઇ બાબતોથી બચવું જોઈએ.

મશરૂમ

ચોમાસા દરમિયાન ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે, મશરૂમ પર જંતુઓ અને બેક્ટેરિયા ઝડપથી વધે છે. મશરૂમ પરના બેક્ટેરિયા આપણને દેખાતા નથી, પરંતુ તેઓ પેટને લગતા રોગો વધારે આપે છે. તેથી, વરસાદની ઋતુમાં મશરૂમ્સ ન ખાવા જોઈએ.

ખાટી વસ્તુઓ ટાળો

ચોમાસામાં અથાણાં, ચટણી, ખાટી કેન્ડી અને આમલી જેવી ખાટી ચીજો ખાવાનું ટાળો. આવી વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ખાટી ચીજો ખાવાથી ગળું ખરાબ અને તાવ આવે છે.

બહારનો જ્યુસ

જ્યુસ ચોક્કસપણે તમને થોડા સમય માટે ગરમ અને ભેજવાળા હવામાનથી રાહત આપે છે. પરંતુ તે સમસ્યાઓ પેદા કરી શકે છે. જ્યુસ બનાવનારા લોકો પહેલેથી જ ફળો કાપીને રાખે છે. જેના કારણે બેક્ટેરિયા સરળતાથી વધે છે. જો તમારે જ્યૂસ પીવો હોય તો તમે નાળિયેર પાણી, લીંબુનું શરબત અને જલજીરાનું સેવન કરી શકો છો.

સી ફૂડ

ચોમાસાની ઋતુમાં પાણી સૌથી ઝડપથી ગંદુ થઈ જાય છે. તેથી માછલી, ઝીંગા વગેરે ખાવાનું ટાળો. ઘણી વખત, સીફૂડને યોગ્ય રીતે ધોવા અને રાંધવા પછી પણ તેમાં ચેપનું જોખમ રહેલું હોય છે. તેથી, આ બધું ટાળવું જોઈએ.

લીલા શાકભાજી

આપણે બધા જાણીએ છીએ કે લીલી શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ચોમાસાની ઋતુમાં તેનાથી બચીને રહેવું. ચોમાસામાં ભેજને લીધે લીલી શાકભાજી ઝડપથી બગડે છે. આ સિવાય પાલક, કોબી યોગ્ય રીતે રાંધ્યા પછી પણ તેમાં સૂક્ષ્મજંતુઓનું જોખમ રહેલું છે, આ વસ્તુઓ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ મોસમમાં મોસમી ફળ અને શાકભાજી ખાઓ.

આ પણ વાંચો: Health Tips: પાંચનશક્તિ સાથે જોડાયેલી આ પાંચ 5 અફવાઓ પર તમે પણ કરો છો વિશ્વાસ? જાણો શું છે સત્ય

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">