AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાંધાના દુ:ખાવાને કહો બાય બાય! અપનાવો આ 7 અસરકારક ઘરેલું ઉપાય અને પછી જુઓ પરિણામ

સાંધાનો દુખાવો મોટા પ્રમાણે લોકોમાં જોવા મળે છે. જેની પાછળ કારણ છે આજકાલની જીવનશૈલી. ચાલો આજે તમને જણાવીએ કે આ પ્રકારના દુખાવામાંથી કેવી રીતે રાહત મેળવી શકાય.

સાંધાના દુ:ખાવાને કહો બાય બાય! અપનાવો આ 7 અસરકારક ઘરેલું ઉપાય અને પછી જુઓ પરિણામ
home remedies to reduce pain of joint pain, know the details
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 2:33 PM
Share

આપણા ત્યાં ઘણા લોકોને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા થતી હોય છે. ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જો કે તેના ઘણા કારણોમાંથી એક કારણ એ છે કે ખોરાક અને જીવનશૈલી એક રૂટીનમાં ના હોવું. સાંધાના દુખાવાને લઈને સલાહ સુચન તમને ઘણા લોકો આપતા હોય છે પરંતુ કોઈ પણ ઉપચાર કર્યા પહેલા તેના તજજ્ઞનો સંપર્ક કરવો જરૂરી બની જાય છે.

તમને જણાવી દઈએ કે ઓછા દુખાવા અને સમસ્યા ધરાવતા લોકો ઘરે જ થોડી આસાન રીતોથી અને આસનોથી સમસ્યામાં રાહત મેળવી શકે છે. તેમજ ઘરે અથવા આસપાસના યોગા સેન્ટર જઈને સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ચાલો જણાવીએ કેટલાક ઉપાયો.

કસરત

કસરતથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. દરરોજ કસરત કરવાથી ઓસ્ટીયોપોરોસિસના વિકાસમાં વિલંબ આવે છે. જે સાંધાનો દુખાવો થવાના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. ચાલવું, તાઈ ચી, સ્વિમિંગ, સાયકલિંગ, યોગ વગેરે સાંધાના દુખાવા માટે સારા કહેવાય છે. બધા ઓસ્ટીયોપોરોસિસના વિકાસના વિલંબ માટે ઉપયોગી છે.

વજન ઘટાડવું અને આહાર

જો તમારું વજન વધારે છે, તો તમારે જલ્દીથી વજન ઘટાડવાના પ્રયાસ શરુ કરવાની જરૂર છે. કારણકે ઘૂંટણને સમગ્ર શરીરનું વજન ઉપાડવું પડે છે. જેના કારણે પીડા વધી શકે છે. તેથી વજન ઓછું કરવું પણ જરૂરી બને છે. સાથે જ સ્વસ્થ આહાર જેમ કે ફાયબર, વિટામીન ડી, કેલ્સિયમ વગેરેથી ભરપુર આહાર લાભદાયક નીવળી શકે છે.

ફિઝીયોથેરાપી

તમે ઉપચાર સેશન માટે ફિઝિયોથેરાપિસ્ટ સાથે વાત કરી શકો છો અને પીડા ઘટાડવા માટે નિયમિત ઘૂંટણની માલિશ કરી શકો છો.

એરોમાથેરાપી

આ થેરાપી ઘણા આવશ્યક તેલ સાથે કરવામાં આવે છે જે પીડા અને જડતાને ઘટાડે છે. આના માટે તમે જાણકારનો સંપર્ક કરી શકો છો.

આરામ અને સલામતી

જ્યારે તમારા ઘૂંટણ દુખે છે, ત્યારે તેને યોગ્ય આરામ આપો અને જ્યારે તમે બહાર ચાલતા હોવ ત્યારે ઘૂંટણની સલામતી માટે ઘૂંટણ કેપ પહેરો. સોજો ઓછો કરવા માટે તેને બરફથી નિયમિતપણે ઠંડો કરો.

ગરમી અને ઠંડક

ગરમી અને ઠંડક એ પીડા અને સોજો ઘટાડવાનો એક અસરકારક માર્ગ છે. ગરમી લુબ્રિકેશન અને જડતામાં સુધારો કરે છે અને ઠંડકથી પીડા અને સોજો ઓછો થાય છે.

એક્યુપંક્ચર

ફિઝિયોથેરાપી અને એરોમાથેરાપી સાથે, એક્યુપંક્ચર એ ઘૂંટણની અથવા સાંધાનો દુખાવો ઘટાડવા અને સોજો ઘટાડવાનો બીજો મુખ્ય અસરકારક માર્ગ છે.

આ પણ વાંચો: Ahmedabad: ક્યાય ફરવા જાઓ કે પછી લો કોઈ નવું મકાન તો થઈ જાવ સાવધાન ! વાંચો છેતરપિંડીની અલગ અલગ ઘટના

આ પણ વાંચો: Mehsana: બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ, જોવા મળ્યો મેનેજમેન્ટનો અભાવ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">