દૂધ, દહીં અને પનીરનું વધુ પડતું સેવન આ લોકો માટે ખતરનાક ! થઈ શકે છે મોટી સમસ્યા, જાણો કેમ?

|

Mar 31, 2024 | 11:07 AM

ડેરી ઉત્પાદનો કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન બી, પોટેશિયમ અને વિટામિન ડી જેવા આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ છે, પરંતુ વધુ પડતા સેવનથી આ સમસ્યા થઈ શકે છે

દૂધ, દહીં અને પનીરનું વધુ પડતું સેવન આ લોકો માટે ખતરનાક ! થઈ શકે છે મોટી સમસ્યા, જાણો કેમ?
Excessive consumption of milk curd and cheese can be dangerous

Follow us on

દૂધ, દહીં, પનીર અને છાશ સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે તે સૌ કોઈ જાણે છે. ડેરી ઉત્પાદનોને સંતુલિત આહારનો આવશ્યક ભાગ માનવામાં આવે છે. તેઓ કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન બી, પોટેશિયમ અને વિટામિન ડી જેવા આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ છે જે બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધાના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

પરંતુ જ્યારે હૃદયના દર્દીઓની વાત આવે છે, ત્યારે ડેરી ઉત્પાદનોનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ. ડેરી ઉત્પાદનોમાં ફેટ વધુ હોય છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે અને હૃદય રોગને આમંત્રણ આપી શકે છે. દરરોજ 200 ગ્રામ ડેરી ઉત્પાદનોનું સેવન હૃદયના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.

જો કે, નિષ્ણાતો કહે છે કે ડેરી ઉત્પાદનોને સંપૂર્ણપણે છોડી દેવી જોઈએ નહીં કારણ કે તેમાં મહત્વપૂર્ણ પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને લાભ આપે છે. તેથી ઓછી ચરબીયુક્ત દૂધ, દહીં અને પનીરનું સેવન કરવું જોઈએ. ફુલ ફેટ દૂધ અને ક્રીમ, ચીઝનું સેવન હંમેશા ઓછી માત્રામાં કરવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

હૃદયના દર્દીઓ માટે ડેરી વિકલ્પો શું છે?

હૃદયના દર્દીઓ માટે સંતૃપ્ત ચરબી ઓછી હોય તેવા વિકલ્પોને પ્રાધાન્ય આપવું મહત્વપૂર્ણ છે કારણ કે આ ઘટકો કાર્ડિયોવેસ્ક્યુલર જોખમી પરિબળોને વધારી શકે છે.

લો ફેટ અથવા સ્કિમ્ડ મિલ્ક

શ્રેષ્ઠ પસંદગીઓમાં લો ફેટ દૂધ અને સ્કિમ્ડ મિલ્કનો સમાવેશ થાય છે, જેમાં saturated fat ઓછું હોય છે અને શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

લો ફેટ દહીં

તેવી જ રીતે,લો ફેટ દહીં, ખાસ કરીને ખાંડ વગરનું સાદું દહીં, ચરબી અને કેલરીથી બચવા માટે એક ઉત્તમ વિકલ્પ છે.

લો ફેટ પનીર

લો ફેટ પનીર જેમ કે કોટેજ ચીઝ દ્વારા પણ શરીરને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના પોષણ પૂરું પાડી શકાય છે, જો કે ચીઝમાં કેલરી હોય છે તેથી તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ.

ગ્રીક દહીં

સામાન્ય દહીંની તુલનામાં, ગ્રીક દહીંમાં પ્રોટીનનું પ્રમાણ વધુ અને કાર્બોહાઇડ્રેટ્સ ઓછું હોય છે જે તેને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે.

હૃદયના દર્દીઓ માટે સૌથી ખરાબ ડેરી પ્રોડક્ટ્સ :

ફુલ ફેટ મિલ્ક

હાર્ટના દર્દીઓએ ફુલ ફેટવાળા દૂધ અને દહીંથી દૂર રહેવું જોઈએ કારણ કે તેમાં saturated fat અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે, જે હૃદય રોગની સમસ્યાને વધુ વધારી શકે છે.

ચીઝ

saturated fatથી ભરપૂર ક્રીમ ચીઝનું સેવન ઓછું કરવું જોઈએ, જ્યારે ચેડર અથવા સ્વિસ જેવી હાર્ડ ચીઝ પણ ચરબીથી ભરપૂર હોય છે, તેથી હૃદયના દર્દીઓએ તેને ટાળવું જોઈએ.

Next Article