AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Sugar : શરીરમાં જો હાઈ બ્લડ સુગર લેવલ વધી જાય તો શરીર આપે છે આ સંકેતો

પ્રિ-ડાયાબિટીસ અથવા ડાયાબિટીસથી પીડિત લોકો ઘણીવાર હાઈ બ્લડ સુગર લેવલના લક્ષણોને અવગણે છે અને લક્ષણો દેખાયા પછી પણ તેને ઘટાડવાના પ્રયત્નો કરતા નથી

Blood Sugar : શરીરમાં જો હાઈ બ્લડ સુગર લેવલ વધી જાય તો શરીર આપે છે આ સંકેતો
Blood Sugar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 2:33 PM
Share

હાઈ બ્લડ શુગર (Blood Sugar) લેવલને ઓછું રાખવું એ ડાયાબિટીસમાં સૌથી મોટું કામ છે કારણ કે બ્લડ શુગર લેવલ વધવાથી ઘણી સમસ્યાઓ વધી શકે છે. ડાયાબિટીસ એ ઝડપથી ફેલાતો રોગ છે, પરંતુ લોકો તેના પ્રત્યે એટલી ગંભીરતા જોતા નથી જેટલી કેન્સર, કોવિડ (Covid) અથવા અન્ય ચેપી રોગો માટે તેઓ ગંભીર હોય છે. તેથી, લોકો ઘણીવાર ડાયાબિટીસ સાથે સંકળાયેલ કારણો અને જોખમી પરિબળોને ગંભીરતાથી લેતા નથી. તે જ સમયે, પ્રિ-ડાયાબિટીસ અથવા ડાયાબિટીસથી પીડિત લોકો ઘણીવાર હાઈ બ્લડ સુગર લેવલના લક્ષણોને અવગણે છે અને લક્ષણો દેખાયા પછી પણ તેને ઘટાડવાના પ્રયત્નો કરતા નથી.

જ્યારે બ્લડ સુગર વધે ત્યારે શરીર કયા સંકેતો આપે છે?.

હાઈ બ્લડ શુગર લેવલના લક્ષણોને અવગણવાથી ડાયાબિટીસ ગંભીર બનવાની શક્યતા વધી શકે છે. લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ અને હાઈ બ્લડ સુગર લેવલને કારણે થતા નુકસાનને ટાળવા માટે તેમના બ્લડ શુગર લેવલની નિયમિત તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે, જ્યારે બ્લડ સુગર લેવલ વધારે હોય ત્યારે શરીર દ્વારા આપવામાં આવતા લક્ષણો પર ધ્યાન આપવું પણ જરૂરી છે. અહીં વાંચો એ મહત્વના લક્ષણો વિશે જે ખૂબ જ હાઈ બ્લડ સુગર લેવલ સૂચવે છે.

વારંવાર પેશાબ

વારંવાર પેશાબની સમસ્યા એ બ્લડ સુગરનું સ્તર વધ્યા પછી હાઈ બ્લડ શુગરના પ્રથમ સામાન્ય સંકેતોમાંનું એક છે. આવી સ્થિતિમાં, ડાયાબિટીસના દર્દી સામાન્ય કરતા વધુ વખત બાથરૂમમાં જઈ શકે છે. જ્યારે શરીરની નસોમાં ગ્લુકોઝ જમા થાય છે, ત્યારે શરીર તેને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. તેથી, જો તમને સામાન્ય કરતાં વધુ વાર બાથરૂમ જવાની જરૂર જણાય, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

તરસ વધવી

ડાયાબિટીસના દર્દીઓને વધુ તરસ લાગે છે, પરંતુ જો વારંવાર પેશાબની સાથે ખૂબ તરસ લાગે છે, તો સમજવું જોઈએ કે તમારું બ્લડ સુગર લેવલ ખૂબ વધી ગયું છે. પેશાબને કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે અને આવી સ્થિતિમાં માત્ર પાણી પીવાથી તમારી તરસ છીપતી નથી.

થાક

જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી, તો શરીરને શક્તિ મળતી નથી. તેથી જ, ડાયાબિટીસના દર્દીને ખોરાક ખાવા છતાં ખૂબ નબળાઇ અથવા થાક લાગે છે.

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">