Health Tip: આંખોની રોશની સુધારવા ઘીમાં મિક્સ કરીને ખાઓ આ ઘરેલું વસ્તું, ઝાંખુ દેખાવાનું થશે બંધ

|

Aug 20, 2024 | 10:54 PM

ઘી આપણી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ સાથે ઘીનું સેવન કરવાથી આંખોની રોશની પર ચમત્કારિક અસર થઈ શકે છે. જો કે આંખોની નબળાઈના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ એ પણ સાચું છે કે આજના સમયમાં સ્ક્રીનના આડેધડ ઉપયોગથી ચશ્માની જરૂરિયાત વધી ગઈ છે.

Health Tip: આંખોની રોશની સુધારવા ઘીમાં મિક્સ કરીને ખાઓ આ ઘરેલું વસ્તું, ઝાંખુ દેખાવાનું થશે બંધ
Image Credit source: Social Media

Follow us on

આંખોની રોશની જાળવવા અને સુધારવી એ આજના સમયમાં એક મોટો પડકાર બની ગયો છે. મોબાઈલ, લેપટોપ અને ટીવી સ્ક્રીનના સતત ઉપયોગથી આંખો પર ખેચ આવે છે, જેનાથી તેમની દ્રષ્ટિ નબળી પડી શકે છે. આજકાલ તમે જોયું હશે કે બાળકો નાની ઉંમરથી જ ચશ્મા પહેરવાનું શરૂ કરી દે છે.

જો કે આંખોની નબળાઈના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ એ પણ સાચું છે કે આજના સમયમાં સ્ક્રીનના આડેધડ ઉપયોગથી ચશ્માની જરૂરિયાત વધી ગઈ છે. જો તમે પણ તમારી આંખોની રોશની વધારવા ઈચ્છો છો તો તેના માટે ઘીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ આંખોની રોશની વધારવા માટે ઘી સાથે કઈ વસ્તુઓ ખાઈ શકાય છે.

આંખોની રોશની સુધારવા માટેના ઘરેલું ઉપાય

ઘી અને ત્રિફળા

ત્રિફળાને આયુર્વેદમાં આંખો માટે વરદાન માનવામાં આવે છે. ઘી સાથે ત્રિફળાનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. તેને બનાવવા માટે, 1 ચમચી ત્રિફળા પાવડરને 1 ચમચી ઘી સાથે મિક્સ કરો અને દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

ઘી અને બદામ

બદામમાં વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા 5-6 બદામ ઘીમાં પલાળીને ખાઓ. તેનાથી આંખોની નબળાઈ દૂર થાય છે અને દ્રષ્ટિ સુધરે છે.

ઘી અને મધ

મધ અને ઘીનું મિશ્રણ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને બનાવવા માટે એક ચમચી ઘીમાં અડધી ચમચી મધ ભેળવીને સવારે તેનું સેવન કરો. તે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ઘી અને ગાજરનો રસ

ગાજરમાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. તમે ગાજરનો રસ 1 ચમચી ઘી મિક્સ કરીને પી શકો છો. આ આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને નજર સાફ કરે છે.

ઘી અને અળસીના બીજ

અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે અળસીના બીજને પીસીને અને તેને ઘી સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. તેને નિયમિત રીતે ખાવાથી આંખોની રોશની સારી થાય છે.

આ પણ વાંચો: Video: યોગગુરુ બાબા રામદેવે અમેરિકામાં ડ્રાઇવર વગરની કારમાં કરી મુસાફરી, જણાવ્યો પોતાનો અનુભવ

Next Article