AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને ખબર છે ચા કે કોફી પીતા પહેલા પાણી પીવું કેટલું યોગ્ય? નથી ખબર તો વાંચો આ પોસ્ટ

Drinking Water Before Tea : ચા અને કોફી પીવાની આદત અનેક લોકોને હોય છે. ચા અને કોફી પીતા પહેલાં અનેક લોકો પાણી પીતા હોય છે. પરંતુ શું પાણી પીવાથી હેલ્થને કોઇ ફાયદો થાય? આ પ્રશ્ન દરેક લોકોને થતો હોય છે.

શું તમને ખબર છે ચા કે કોફી પીતા પહેલા પાણી પીવું કેટલું યોગ્ય? નથી ખબર તો વાંચો આ પોસ્ટ
Drinking Water Before Tea
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 11:45 AM
Share

Drinking Water Before Tea : ઘણીવાર તમે જોયું હશે કે વડીલો ચા પીતા પહેલા પાણી પીતા હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેઓ આવું કેમ કરે છે? છેવટે, ચા પીતા પહેલા પાણી શા માટે પીવામાં આવે છે? આપણામાંથી ઘણાએ આ વાતની નોંધ લીધી નહીં હોય, પરંતુ તેની પાછળ ઘણા કારણો છે. હા, કોફી કે ચા પીતા પહેલા પાણી પીવાના ઘણા ફાયદા છે. એટલા માટે લોકો ચા પીતા પહેલા પાણી પીવે છે. ચાલો વિગતવાર જાણીએ (drinking water before tea is good or bad)

શા માટે આપણે ચા પીતા પહેલા પાણી પીએ છીએ?

એસિડિટીની સમસ્યા ઓછી થાય છે

ખાલી પેટ ચા પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. ચા પીવાથી પેટમાં એસિડ વધે છે, જેના કારણે એસિડિટીની સમસ્યા વધે છે. આ સ્થિતિમાં ચા પીતા પહેલા પાણી પીવો. તેનાથી એસિડિટીથી રાહત મળી શકે છે.

શરીર હાઇડ્રેટેડ રહે છે

ચા અને કોફી પીધા પહેલાં એક ગ્લાસ પાણી પીવું જરૂરી છે. આમ કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે દરેક લોકોએ ચા અને કોફીના અડધો કલાક પહેલાં પાણી પીવુ જોઇએ.

દાંતને રક્ષણ મળે છે

કોફી અને ચા જેવી વસ્તુઓમાં ટેનીન નામના રસાયણો હોય છે, જે દાંતના સડાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે ચા અને કોફી પીઓ છો, ત્યારે તેનું સ્તર દાંત પર બને છે. બીજી તરફ, જો તમે ચા પીતા પહેલા પાણી પીઓ છો, તો તે દાંતને સડાથી રક્ષણ મળી શકે છે.

આ પણ વાંચો : રેગ્યુલર કોફીથી આ રીતે અલગ છે White Coffee, જાણો હેલ્થ માટે કેટલી ફાયદાકારક

સ્વાસ્થ્ય પર ઓછી નકારાત્મક અસર પડે છે

જો તમે ચા અને કોફી પીતા પહેલા પાણી પીઓ છો, તો તે શરીરના નકારાત્મક પ્રભાવોને ઘટાડવામાં મદદ કરે છે. એટલા માટે તો પણ તમે ચા કે કોફી પીઓ, તો તે પહેલા એક ગ્લાસ પાણી પી લો.

અલ્સર સમસ્યામાં રાહત

ખાલી પેટે ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં અલ્સર થવાની શક્યતા વધી જાય છે. જો તમે અલ્સર જેવી સમસ્યાથી પીડાવ છો તો ચા પીતા પહેલા પાણી પીવું એ વધુ સારો વિકલ્પ બની શકે છે. તેનાથી તમે ગંભીર પરેશાનીઓથી દૂર રહી શકો છો.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">