Health Benefits: દુર્લભ છે આ કૃષ્ણ ફળ, પરંતુ તેના ફાયદા જાણીને તમે પણ આજે જ લઈ આવશો ઘરે

કૃષ્ણ ફળ મૂળ બ્રાઝિલનું છે, પરંતુ હવે તે ભારત સહિત ઘણા દેશોમાં ઉગાડવામાં આવે છે. આ ફળ પોષક તત્વોનો ભંડાર હોવાનું કહેવાય છે. તેને તમારા આહારમાં સામેલ કરવાથી, શરીર અને મનને જરૂરી પોષક તત્વો મળે છે.

Health Benefits: દુર્લભ છે આ કૃષ્ણ ફળ, પરંતુ તેના ફાયદા જાણીને તમે પણ આજે જ લઈ આવશો ઘરે
Know the Health Benefits of Passion fruit aka Krishna fruit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 7:22 AM

શું તમે ક્યારેય પેશન ફ્રુટ વિશે સાંભળ્યું છે? આ ફળને ‘કૃષ્ણ ફળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણ ફળ બ્રાઝીલીયન ફળ છે, પરંતુ આજે તે ઘણા દેશોમાં ઉગાડવામાં આવે છે. ભારતની વાત કરીએ તો તે નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, મિઝોરમ અને મેઘાલય જેવા રાજ્યોમાં આ ફળનું ઘણું ઉત્પાદન થાય છે.

કૃષ્ણ ફળ જાંબલીથી પીળા અને સોનેરી રંગમાં બદલાય છે. તે સ્વાદમાં મીઠું-ખાટું અને બીજવાળું હોય છે. આ ફળમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે જેમ કે ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, સોડિયમ, વિટામિન સી, એ, ડી, કે, ઈ, આયર્ન, ફોસ્ફરસ, એન્ટીઓક્સીડેન્ટ્સ વગેરે. જે મનુષ્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. જો કે આ ફળ કોઈ રોગની દવા નથી, પરંતુ તેનું સેવન કરવાથી તમારા શરીરને ચોક્કસપણે તે પોષક તત્વો મળશે જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદરૂપ સાબિત થશે. જાણો કૃષ્ણ ફળના ઘણા ફાયદા.

ડાયાબિટીસ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કૃષ્ણ ફળનું સેવન વ્યક્તિને ડાયાબિટીસથી બચાવે છે. સાથે જ, જેમને ડાયાબિટીસ છે, તેમના માટે પણ આ ફળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું અને ફાઇબરનું પ્રમાણ વધારે છે. એવું માનવામાં આવે છે કે તે ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તેમનું વજન પણ વધતું નથી.

હાર્ટ

પેશન ફ્રૂટ હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ, તેમજ ઇલેક્ટ્રોલાઇટ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેને ખાવાથી હૃદય તેનું કામ સારી રીતે કરે છે અને હૃદયરોગનું જોખમ ઘટે છે.

ઓસ્ટીયોપોરોસિસ

આ ફળમાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જેમ કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે, જે હાડકાની ઘનતા જાળવે છે. તેના સેવનથી ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓનું જોખમ ઘટે છે.

અસ્થમા

અહેવાલ છે કે જો તેની છાલનો અર્ક પીવામાં આવે તો અસ્થમા અને શ્વાસની તકલીફમાં ઘણી રાહત મળે છે. આ ફળ શ્વાસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. પરંતુ કૃષ્ણ ફળને ઠંડી તાસીરનું માનવામાં આવે છે. જેથી નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.

રોગપ્રતિકારક સિસ્ટમ

પેશન ફ્રૂટમાં વિટામિન સી, બીટા-ક્રિપ્ટોક્સાન્થિન અને આલ્ફા-કેરોટિન હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને અનેક રોગોથી બચાવે છે. બીજી બાજુ, આયર્નથી સમૃદ્ધ હોવાથી, તે શરીરમાં લોહીની અછત થવા દેતું નથી. તેનું નિયમિત સેવન એનિમિયાને અટકાવે છે.

આ પણ વાંચો: બારેમાસ મળતા ચીકુ તમારા સ્વાસ્થ્ય માટે છે ખૂબ ફાયદાકારક, જાણો તેના ગુણ અને ફાયદાઓ

આ પણ વાંચો: Be Alert : વજન ઝડપથી ઘટી રહ્યું છે તો સાવચેત થજો, આ ગંભીર રોગો હોઈ શકે છે

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">