Health Tips : જાણો કેળાના પાન પર ખોરાક ખાવો સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે?

તમે જોયું અને સાંભળ્યું હશે કે ઘણા વિસ્તારમાં લોકો કેળના પાનમાં ખોરાક ખાય છે. ચાલો આજે જાણીએ કે આ આદત કેમ ફાયદાકારક છે.

Health Tips : જાણો કેળાના પાન પર ખોરાક ખાવો સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે?
Health Tips: why eating food on banana leaves is beneficial for health?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:44 PM

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે કેળના પાનમાં ઘણા પોષક તત્વો હોય છે. પૂજાના કામમાં કેળાના પાનનો ઉપયોગ મોટાભાગે કરવામાં આવે છે કારણ કે તે સૌથી શુદ્ધ માનવામાં આવે છે. એટલું જ નહીં, પહેલાના સમયમાં લોકો કેળના પાન પર ખોરાક ખાતા હતા. પરંતુ તે આજના જમાનામાં તે ભાગ્યે જ વપરાય છે.

કેળાના પાંદડાનો ઉપયોગ કેટલાક દક્ષિણ ભારતીય ઘરો અને રેસ્ટોરન્ટમાં થાય છે. જો કે, દક્ષિણ ભારતમાં હજુ પણ મહેમાનોને કેળના પાન પર ભોજન આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેળાના પાન પર ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ અને પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેળના પાન ખાવાના ફાયદાઓ વિશે.

આરોગ્ય માટે ફાયદાકારક છે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કેળના પાનમાં પોલીફેનોલ્સ નામના એન્ટી-ઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો ખાદ્ય પદાર્થોમાં સરળતાથી મળી જાય છે. તેમાં બેક્ટેરિયા વિરોધી ગુણધર્મો છે જે ખોરાકમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. આ બીમાર પડવાની શક્યતા ઘટાડે છે.

સ્વાદ વધારે છે

કેળના પાંદડામાં ખાદ્ય મીણનું પાતળું પડ હોય છે જેનો સ્વાદ ખૂબ જ અલગ હોય છે. જ્યારે કેળના પાન પર ગરમ ખોરાક પીરસવામાં આવે છે, ત્યારે તે પીગળે છે અને ખોરાક સાથે ભળી જાય છે. આ તેનો સ્વાદ વધારે છે.

પર્યાવરણ માટે સારું

પર્યાવરણ એ આજના સમયમાં મોટો મુદ્દો છે. સામાન્ય રીતે પાર્ટીમાં પ્લાસ્ટિક અથવા સ્ટાઇરોફોમ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લેટ્સ ખાધા પછી નિકાલ કરવી મુશ્કેલ છે. તમે તેના બદલે કેળાના પાંદડા વાપરી શકો છો. કેળના પાનમાં વધુ જગ્યા હોય તો તેમાં સરળતાથી પીરસી શકાય છે. આ સિવાય કેળના પાનને સાફ કરવા માટે વધારે પાણીની જરૂર નથી. સાથે તે ખૂબ જ આરોગ્યપ્રદ છે.

રાસાયણિક મુક્ત

કેળના પાનમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ હોતું નથી. જ્યારે પ્લાસ્ટિકની થાળીમાં ખોરાક પીરસવાથી પીગળેલા પ્લાસ્ટિકનો ભાગ આપણા પેટમાં જઈ શકે છે જે કેન્સર સહિત અન્ય રોગોનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં કેળના પાન ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો: દરરોજ રસોઈમાં સુગંધ માટે ભેળવતા હશો કોથમીર, પરંતુ નહીં જાણતા હોવ તેના આ અમુલ્ય ફાયદા

આ પણ વાંચો: Health Tips: ઈંડાના શોખીન થઈ જાઓ સાવધાન, તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા ના બની જાય ઈંડાની આડઅસરો!

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">