AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetesના દર્દીઓએ કરવા જોઈએ આ વ્યાયામ, આ Fitness Tipsના કારણે મળશે રાહત

Diabetes patients: સારી જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસના દર્દીઓ પોતાના બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. તેના માટે તમારે કેટલાક વ્યાયામ કરવાની જરુર છે.

Diabetesના દર્દીઓએ કરવા જોઈએ આ વ્યાયામ, આ Fitness Tipsના કારણે મળશે રાહત
Diabetes Patients Fitness TipsImage Credit source: Pixabay.com
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 11:47 PM
Share

ઘણા લોકો પોતાની ખરાબ ડાયટ અને જીવનશૈલીને કારણે ડાયબિટીસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવુ જરુરી થઈ જાય છે. આજે દેશ અને દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની (Diabetes patients) સંખ્યા વધી રહી છે પણ કેટલીક બાબતનું ધ્યાન રાખીને અને કેટલાક વ્યાયામ કરવાથી તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. નિયમિત રીતે વ્યાયામ અને યોગ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. તે ડાયાબિટીસના (Diabetes) દર્દીના બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અનહેલ્ધી ડાયટ, વધારે પડતો તણાવ અને ખરાબ જીવનશૈલીને કારણે ડાયબિટીસ થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે અને તેમાંથી રાહત મેળવવા માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.

યોગ – તમે સ્વસ્થ રહેવા માટે નિયમિત યોગ કરી શકો છો. તે ટાઈપ 2ના ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. તે માનસિક તણાવને પણ ઓછો કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનાથી સારી ઊંઘ પણ આવે છે. યોગ માનસિક અને શારીરિક રીતે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સાયકલ – સાયકલ ચલાવવાથી બ્લડ સુગર ઘટાડવામાં મદદ મળે છે. નિયમિત સાયકલ ચલાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેનાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. સાયકલ ચલાવવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ડાયાબિટીસથી પીડિત લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

ચાલવું – ચાલવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે બહાર ફરવા જઈ શકો છો અથવા તમે તમારા ટેરેસ પર ચાલી શકો છો. નિયમિત ચાલવાથી તમામ ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ પ્રેશર અને બ્લડ સુગર જાળવવામાં મદદ મળે છે, ખાસ કરીને ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓમાં. તેથી, દરરોજ નિયમિતપણે 15થી 20 મિનિટ ચાલો.

તરવુ – ડાયાબિટીસના દર્દીઓ સ્વિમિંગ પણ કરી શકે છે. તરવુ એક સારી કસરત છે. તે માત્ર ફિટ રાખવામાં જ મદદ કરે છે, પરંતુ તે બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. આ ઈન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે. સ્વિમિંગ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તરવાથી ડાયાબિટીસના દર્દીઓમાં હૃદયરોગનું જોખમ પણ ઓછું થાય છે. તેથી તમે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે સ્વિમિંગ પણ કરી શકો છો.

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">