AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetesના દર્દીઓએ કરવા જોઈએ આ વ્યાયામ, આ Fitness Tipsના કારણે મળશે રાહત

Diabetes patients: સારી જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસના દર્દીઓ પોતાના બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. તેના માટે તમારે કેટલાક વ્યાયામ કરવાની જરુર છે.

Diabetesના દર્દીઓએ કરવા જોઈએ આ વ્યાયામ, આ Fitness Tipsના કારણે મળશે રાહત
Diabetes Patients Fitness TipsImage Credit source: Pixabay.com
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 11:47 PM
Share

ઘણા લોકો પોતાની ખરાબ ડાયટ અને જીવનશૈલીને કારણે ડાયબિટીસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવુ જરુરી થઈ જાય છે. આજે દેશ અને દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની (Diabetes patients) સંખ્યા વધી રહી છે પણ કેટલીક બાબતનું ધ્યાન રાખીને અને કેટલાક વ્યાયામ કરવાથી તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. નિયમિત રીતે વ્યાયામ અને યોગ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. તે ડાયાબિટીસના (Diabetes) દર્દીના બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અનહેલ્ધી ડાયટ, વધારે પડતો તણાવ અને ખરાબ જીવનશૈલીને કારણે ડાયબિટીસ થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે અને તેમાંથી રાહત મેળવવા માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.

યોગ – તમે સ્વસ્થ રહેવા માટે નિયમિત યોગ કરી શકો છો. તે ટાઈપ 2ના ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. તે માનસિક તણાવને પણ ઓછો કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનાથી સારી ઊંઘ પણ આવે છે. યોગ માનસિક અને શારીરિક રીતે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સાયકલ – સાયકલ ચલાવવાથી બ્લડ સુગર ઘટાડવામાં મદદ મળે છે. નિયમિત સાયકલ ચલાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેનાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. સાયકલ ચલાવવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ડાયાબિટીસથી પીડિત લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

ચાલવું – ચાલવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે બહાર ફરવા જઈ શકો છો અથવા તમે તમારા ટેરેસ પર ચાલી શકો છો. નિયમિત ચાલવાથી તમામ ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ પ્રેશર અને બ્લડ સુગર જાળવવામાં મદદ મળે છે, ખાસ કરીને ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓમાં. તેથી, દરરોજ નિયમિતપણે 15થી 20 મિનિટ ચાલો.

તરવુ – ડાયાબિટીસના દર્દીઓ સ્વિમિંગ પણ કરી શકે છે. તરવુ એક સારી કસરત છે. તે માત્ર ફિટ રાખવામાં જ મદદ કરે છે, પરંતુ તે બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. આ ઈન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે. સ્વિમિંગ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તરવાથી ડાયાબિટીસના દર્દીઓમાં હૃદયરોગનું જોખમ પણ ઓછું થાય છે. તેથી તમે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે સ્વિમિંગ પણ કરી શકો છો.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">