AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાથી હાર્ટ એટેક કેવી રીતે આવે છે? શું આ લોકોએ વધુ કસરત ન કરવી જોઈએ?

સમગ્ર દેશમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવવાના કેસ ખુબ નોંધાયા છે. કેટલાક લોકોનું તો હાર્ટ એટેકના કારણે મૃત્યું પણ થયા છે. આ વચ્ચે કેન્દ્રિય સ્વાસ્થ મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડને લઈ મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, હાર્ટ એટેકના કેસ વધવાનું માત્ર એક કારણ છે કોરોના વાયરસ.

કોરોનાથી હાર્ટ એટેક કેવી રીતે આવે છે? શું આ લોકોએ વધુ કસરત ન કરવી જોઈએ?
| Updated on: Nov 01, 2023 | 10:06 AM
Share

દેશભરમાં કોવિડ વાયરસ અને હાર્ટ એટેકના લઈ ખુબ ચર્ચા થઈ રહી છે. કેન્દ્રિય સ્વાસ્થ મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ વાયરસને હાર્ટ એટેકના વધતા કેસનું કારણ જણાવ્યું છે. તેમણે આઈસીએમઆરની હાલમાં કરેલા અભ્યાસને લઈ કહ્યું કે, જે લોકોને કોરોના વાયરસ થયો હતો તેને વધુ કસરત કરવી જોઈએ નહિ. આવું કરવાથી હાર્ટ એટેકનો શિકાર બની શકો છો. દેશભરમાં હાર્ટએટેકના વધતા કેસને લઈ સ્વાસ્થ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

વધુ કસરત કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે

આ વચ્ચે એ સવાલ ઉઠી રહ્યો છે કે, કઈ રીતે કોવિડ હાર્ટ એટેકનું કારણ બની રહ્યું છે અને કોવિડના દર્દીઓ વધુ મહેનત કરવાથી કે કામ કરવાથી હાર્ટ એટેક આવી શકે ?

આ સવાલોનો જવાબ જાણવા માટે Tv9 એક્સપર્ટ સાથે વાતચીત કરી હતી.સફદરજંગ હોસ્પિટલમાં સીનિયર અને કાર્ડિયોલોજિસ્ટ ડો દિપક સુમન કહે છે કે, કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે પરંતુ એક્સરસાઈઝની એક લિમિટ હોય છે. વધુ કસરત કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. જે લોકો અચાનક વધુ કસરત કરે છે તેના શરીરને આનાથી નુકસાન થઈ શકે છે.

આવું એટલા માટે થાય છે કારણ કે, વધારે વર્કઆઉટના કારણે શરીરમાં ઓક્સિજનની સ્પલાઈ વધી જાય છે. ફેફસાં ઝડપથી કામ કરે છે જેની સીધી અસર હૃદયના કાર્ય પર પડે છે. હૃદય ઝડપથી લોહી પંપ કરવાનું શરૂ કરે છે. જેના કારણે હૃદયની કામગીરી પ્રભાવિત થાય છે અને એટેકનો ખતરો રહે છે.

હાર્ટ એટેકની બિમારીથી કેવી રીતે બચવું

ડો અજિત જણાવે છે કે, હાર્ટએટેકની બિમારીથી બચવા માટે જરુરી છે કે, તમારી લાઈફ સ્ટાઈલનું ધ્યાન રાખો. જમવામાં નમક, મેંદોની માત્રા ઓછી રાખો. ધૂમ્રપાન અને દારુના સેવનથી દુર રહો અને ડોક્ટરની સલાહ મુજબ કસરત કરો. ઉંધનું પણ ખાસ ધ્યાન રાખે રાત્રે ઓછામાં ઓછી 8 કલાકની ઉંધ લો. માનસિક તણાવથી દુર રહો સમયે સમયે તમારા હાર્ટનું ચેકઅપ કરાવતા રહો.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">