કોથમીર માત્ર સજાવટ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ, જાણો તેના સ્વાસ્થ્ય લાભ

કોથમીરનો ઉપયોગ આપણે ત્યાં સજાવટ માટે થાય છે. તેમજ વધારે ચટણી બનાવવા માટે પણ થાય છે. ચાલો આજે તમને જણાવીએ કોથમીરના સ્વાસ્થ્ય લાભ.

કોથમીર માત્ર સજાવટ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ, જાણો તેના સ્વાસ્થ્ય લાભ
Coriander is best not only for food decoration but also for health, know its health benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 10:01 AM

તમે ઘણી પ્રકારની વાનગીઓમાં કોથમીરનો ઉપયોગ કરો છો. તેનો ઉપયોગ ચટણી અને પરાઠા માટે કરી શકો છો. કોથમીર તમારા ખોરાકમાં અનન્ય સ્વાદ ઉમેરવાનું કામ કરે છે. સ્વાદ ઉપરાંત, તે ઘણા સ્વાસ્થ્ય લાભો માટે પણ જાણીતી છે. તમે કોથમીરનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. કોથમીરમાં હૃદયની તંદુરસ્તી અને દ્રષ્ટિ સુધારવાની ક્ષમતા છે. તેમજ કોથમીરથી પાચનમાં સુધારો થઇ શકે છે. ચાલો જાણીએ કોથમીરના ફાયદા.

તમારા હૃદયની તંદુરસ્તી જાળવે છે

જેમ જેમ આપણી ઉંમર વચે છે, તેમ તેમ હૃદયરોગનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. તેથી, વિટામિન્સ અને પ્રોટીનથી સમૃદ્ધ ખોરાકનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. કોથમીર કેલ્શિયમ, આયર્ન અને મેંગેનીઝથી સમૃદ્ધ છે. જે આપણા હાડક અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

માસિકની અનિયમિતતા અટકાવે છે

કોથમીરના પાંદડા અનિયમિત પીરિયડ્સ ધરાવતી મહિલાઓ માટે ફાયદાકારક છે. આ જડીબુટ્ટીમાં એસ્કોર્બિક એસિડ, પાલ્મીટીક એસિડ, લિનોલીક એસિડ અને સ્ટીઅરિક એસિડ હોય છે. આનું સેવન કરવાથી, માસિક સ્રાવ યોગ્ય રહે છે, તેમજ પીડા ઘટાડવામાં મદદ કરે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

એક અભ્યાસ મુજબ, કોથમીરમાં આવા કેટલાક સંયોજનો છે જે લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે એન્જાઈમ સક્રિય કરે છે જે લોહીમાંથી સુગર દૂર કરવાનું કામ કરે છે.

દ્રષ્ટિ સુધારે છે

સતત ટીવી, મોબાઈલ ફોન અને લેપટોપ સ્ક્રીન જોવાથી આંખો પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં કોથમીર ખૂબ અસરકારક છે. જો તમે કોથમીર અથવા તેના બીજનું સેવન કરો છો, તો તે આંખો માટે ફાયદાકારક છે. કોથમીરમાં આયર્ન અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. તે આપણી દ્રષ્ટિ સારી રાખે છે. તે એનિમિયાને દૂર કરવામાં પણ મદદ કરે છે.

તણાવ ઓછો કરે છે

કોથમીર તમારા પાચનને પ્રોત્સાહન આપે છે, જે તમારા શરીરમાં તણાવ ઘટાડે છે. આ પાંદડા આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. કોથમીરમાં હાજર પોષક તત્વો શરીર પર ઓક્સિડેટીવ તણાવ પણ ઘટાડે છે.

પાચનમાં સુધારો કરે છે

કોથમીરના પાનમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે પાચનમાં સુધારો કરી શકે છે. તે ચયાપચયને વેગ આપે છે. પેટનું ફૂલવું અને કબજિયાતને દૂર રાખવામાં મદદ કરે છે. આનાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. આ તમને વધારે ખાવાથી અટકાવે છે.

આ પણ વાંચો: ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો તુલસી-હળદરનો ઉકાળો, જાણો રીત અને ફાયદા

આ પણ વાંચો: Headache: માથાનો દુખાવો દૂર કરવા માટેના 3 અસરકારક યોગાસન, આજથી જ શરુ કરી દો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">