AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constipation : શું રોજ સવારે પેટ બરાબર સાફ નથી રહેતું ? કબજિયાતની સમસ્યાને ચપટીમાં ભગાવો દૂર

ગાયનું (Cow )ઘી અને દૂધ પણ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એક ચમચી ગાયનું ઘી અને તેની સાથે એક ગ્લાસ ગાયનું ગરમ ​​દૂધ લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

Constipation : શું રોજ સવારે પેટ બરાબર સાફ નથી રહેતું ? કબજિયાતની સમસ્યાને ચપટીમાં ભગાવો દૂર
Constipation Problem (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 8:51 AM
Share

કબજિયાત (Constipation )એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો એક યા બીજા સમયે પરેશાન થઈ શકે છે. પેટ (Stomach )સાફ ન થવું એ પણ કબજિયાતનું લક્ષણ (Symptoms )હોઈ શકે છે. આ સમસ્યા પર ધ્યાન નહીં આપવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. સામાન્ય રીતે યોગ્ય આહાર ન લેવાને કારણે કબજિયાતની સમસ્યા થાય છે. કબજિયાત થવા પાછળ આ સિવાય પણ બીજા ઘણા કારણો હોય શકે છે.

ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોવું, પૂરતું પાણી ન પીવું, રાત્રે પૂરતી ઊંઘ ન લેવી અને અસ્તવ્યસ્ત જીવનશૈલીને કારણે કબજિયાત થઈ શકે છે. કબજિયાતની સમસ્યા માટે કાયમી દવાઓ ખાવાથી લાંબા ગાળે તે શરીરમાં આંતરડા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને તમારા રસોડામાં હાજર કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું જે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થઇ શકે છે.

કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય

કાળા કિસમિસ

કાળી કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. કિસમિસ પલાળવી ખૂબ જ જરૂરી છે કારણ કે પલાળેલી કિસમિસ પાચનમાં મદદ કરે છે. વાત દોષ ધરાવતા લોકો માટે તે સારું છે.

મેથીના દાણા

કબજિયાતની સમસ્યામાં પણ મેથીના દાણાને જરૂરી માનવામાં આવે છે. એક ચમચી મેથી લો. તેને આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે તેને પાણી સાથે લો. વાત અને કફ દોષવાળા લોકો માટે આ ઉપાય ઉત્તમ  છે પરંતુ પિત્ત દોષવાળા લોકોએ તેના સેવનથી બચવું જોઈએ.

આમળાનો રસ

આમળાનો રસ કબજિયાતની સમસ્યાને દૂર કરવાની સાથે વાળને મજબૂત કરવા, સફેદ વાળને કાળા કરવા, આંખોની રોશની કરવામાં પણ મદદ કરે છે. સવારે ખાલી પેટ આમળાનો રસ પીવો. તે બધા માટે ફાયદાકારક છે.

ગાયનું ઘી

ગાયનું ઘી અને દૂધ પણ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એક ચમચી ગાયનું ઘી અને તેની સાથે એક ગ્લાસ ગાયનું ગરમ ​​દૂધ લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">