Constipation : શું રોજ સવારે પેટ બરાબર સાફ નથી રહેતું ? કબજિયાતની સમસ્યાને ચપટીમાં ભગાવો દૂર

ગાયનું (Cow )ઘી અને દૂધ પણ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એક ચમચી ગાયનું ઘી અને તેની સાથે એક ગ્લાસ ગાયનું ગરમ ​​દૂધ લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

Constipation : શું રોજ સવારે પેટ બરાબર સાફ નથી રહેતું ? કબજિયાતની સમસ્યાને ચપટીમાં ભગાવો દૂર
Constipation Problem (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 8:51 AM

કબજિયાત (Constipation )એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો એક યા બીજા સમયે પરેશાન થઈ શકે છે. પેટ (Stomach )સાફ ન થવું એ પણ કબજિયાતનું લક્ષણ (Symptoms )હોઈ શકે છે. આ સમસ્યા પર ધ્યાન નહીં આપવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. સામાન્ય રીતે યોગ્ય આહાર ન લેવાને કારણે કબજિયાતની સમસ્યા થાય છે. કબજિયાત થવા પાછળ આ સિવાય પણ બીજા ઘણા કારણો હોય શકે છે.

ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોવું, પૂરતું પાણી ન પીવું, રાત્રે પૂરતી ઊંઘ ન લેવી અને અસ્તવ્યસ્ત જીવનશૈલીને કારણે કબજિયાત થઈ શકે છે. કબજિયાતની સમસ્યા માટે કાયમી દવાઓ ખાવાથી લાંબા ગાળે તે શરીરમાં આંતરડા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને તમારા રસોડામાં હાજર કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું જે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થઇ શકે છે.

કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય

કાળા કિસમિસ

કાળી કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. કિસમિસ પલાળવી ખૂબ જ જરૂરી છે કારણ કે પલાળેલી કિસમિસ પાચનમાં મદદ કરે છે. વાત દોષ ધરાવતા લોકો માટે તે સારું છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

મેથીના દાણા

કબજિયાતની સમસ્યામાં પણ મેથીના દાણાને જરૂરી માનવામાં આવે છે. એક ચમચી મેથી લો. તેને આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે તેને પાણી સાથે લો. વાત અને કફ દોષવાળા લોકો માટે આ ઉપાય ઉત્તમ  છે પરંતુ પિત્ત દોષવાળા લોકોએ તેના સેવનથી બચવું જોઈએ.

આમળાનો રસ

આમળાનો રસ કબજિયાતની સમસ્યાને દૂર કરવાની સાથે વાળને મજબૂત કરવા, સફેદ વાળને કાળા કરવા, આંખોની રોશની કરવામાં પણ મદદ કરે છે. સવારે ખાલી પેટ આમળાનો રસ પીવો. તે બધા માટે ફાયદાકારક છે.

ગાયનું ઘી

ગાયનું ઘી અને દૂધ પણ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એક ચમચી ગાયનું ઘી અને તેની સાથે એક ગ્લાસ ગાયનું ગરમ ​​દૂધ લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">