AIIMS ચીફ ડો.ગુલેરિયાએ ઓક્સિજન લેવલ વિશે આપી મહત્વપૂર્ણ જાણકારી, જાણો શું કહ્યું

|

May 07, 2021 | 3:41 PM

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે 92 અથવા 93 ના ઓક્સિજન સ્તરને ગંભીર ન માનવું જોઇએ. પરંતુ આ એક ચેતવણી સ્તર છે જે દર્શાવે છે કે દર્દીને સમયસર તબીબી સહાયની જરૂર હોય છે.

AIIMS ચીફ ડો.ગુલેરિયાએ ઓક્સિજન લેવલ વિશે આપી મહત્વપૂર્ણ જાણકારી, જાણો શું કહ્યું
Dr. Randeep Guleria

Follow us on

કોરોનાવાયરસને કારણે, આખા દેશમાં ઓક્સિજનની જરૂરિયાત વધી છે અને લોકો હોસ્પિટલોમાં દાખલ થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુરુવારે દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે કોવિડ -19 માં 92 અથવા 93 ના ઓક્સિજન સ્તરને ગંભીર ન માનવું જોઇએ. પરંતુ આ એક ચેતવણી સ્તર છે જે દર્શાવે છે કે દર્દીને સમયસર તબીબી સહાયની જરૂર હોય છે. ડો. રનદીપ ગુલેરિયાએ એમ પણ જણાવ્યું કે ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ એ સમયની આવશ્યકતા છે.

તેમણે કહ્યું, “આજકાલ ઓક્સિજન સિલિન્ડરોનો દુરૂપયોગ એ ગંભીર બાબત છે. કેટલાક લોકો ઘરે ઓક્સિજન સિલિન્ડરોનો સ્ટોક કરે છે, તેઓને ડર કરે છે કે પછીથી જરૂર પડી શકે છે. આ બરાબર નથી.” તેમણે કહ્યું, “જો તમારું ઓક્સિજનનું સ્તર 94 ટકા કે તેથી વધુ છે, તો તેનો અર્થ એ કે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. ગભરાવાની જરૂર નથી.”

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં તેમણે કહ્યું છે કે, “ઓક્સિજનનું સામાન્ય સ્તર ધારવતા વ્યક્તિ દ્વારા ઓક્સિજન સીલીન્ડરનો દુરૂપયોગ તે વ્યક્તિને વંચિત કરી શકે છે જેનું ઓક્સિજનનું સ્તર 90 અથવા 80 ની નીચે છે”.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તેમણે કહ્યું, ‘ગંભીર કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન મહત્વપૂર્ણ છે, કારણ કે આ વાયરસ ફેફસાના કામને અસર કરે છે. ગંભીર કોરોનાગ્રસ્ત દર્દીઓમાં શ્વાસની તકલીફ અથવા શ્વાસ લેવામાં તકલીફ એ સૌથી સામાન્ય લક્ષણો છે. આ શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજનના સપ્લાયને અવરોધે છે. તેથી તેમને ઓક્સિજન ઉપચારની જરૂર છે, જે તબીબી ઓક્સિજન દ્વારા પૂરી પાડવામાં આવે છે. ‘

સ્વાભાવિક છે કે ઓક્સિજનના સ્તરને લઈને સૌ ઘણી ચિંતામાં હોય છે. અને સતત ઓક્સિજન સ્તર માપતા રહેતા હોય છે. આવામાં જ્યારે ઓક્સિજન લેવલ ઘટવા માંડે છે ત્યારે ચિંતામાં આવી જાય છે. પરંતુ જો લેવલ 92 અથવા 93 આવે છે તો ચિંતા કર્યા વગર તબીબી સલાહ લેવાનો સમય છે.

આ પણ વાંચો: રડતી બાળકીને બંદ કરાવવા પિતા કર્યું એવું કે બાળકી ડરી ગઈ, 80 લાખથી વધુ વખત જોવાયો આ Video

આ પણ વાંચો: મુંબઈ પોલીસે Tom and Jerry નો આ વીડિયો શેર કરીને લોકોને કરી અપીલ, જોઇને તમે પણ ખુશ થઇ જશો

Next Article