Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Watermelon Peel : તરબુચની છાલ પણ આરોગ્ય માટે છે લાભકારક, જાણો આ ફાયદાઓ

Benefits of Watermelon Peel : તરબુચની છાલમાં અનેક પોષકતત્વો રહેલા છે. જે આપણને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. શરીરમાં શુગર લેવલને કંટ્રોલમાં લાવવા સાથે જ ત્વચાને પણ નિખારે છે.

Benefits of Watermelon Peel : તરબુચની છાલ પણ આરોગ્ય માટે છે લાભકારક, જાણો આ ફાયદાઓ
watermalon image
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 20, 2021 | 3:01 PM

Benefits of Watermelon Peel: તરબુચને ઉનાળાની ગરમીમાં તરબુચને સૌથી સારું ફળ માનવામાં આવે છે.  તરબુચ આરોગ્ય માટે અનેક રીતે લાભકારક છે. વિટામિનની ભરપુર માત્રાને કારણે તરબુચ શરીરની રોગપ્રતિકારક શક્તિ (immune system)ને મજબૂત બનાવે છે. તરબુચ ખાવાથી મન શાંત રહે છે અને ક્રોધ ઓછો થાય છે. તરબુચમાં લાઇકોપીન (Lycopene) નામનું તત્વ હોય  છે જે ત્વચાને નિખારે છે. રક્તવાહિની (cardiovascular diseases)ના રોગોને રોકવામાં પણ તરબુચ ખૂબ અસરકારક છે. તરબુચમાં 90 ટકા પાણી છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. ઉનાળામાં તરબુચ ડિહાઇડ્રેશન (dehydration)ને અટકાવે છે સાથે જ અનેક રોગોને મટાડે છે.

તરબુચની છાલ પણ લાભકારક આપણે બધા તરબુચ ખાઈએ છીએ પણ તેની છાલ ફેંકી દઈએ છીએ. જે તરબુચની છાલને આપણે કચરો માનીને ફેંકી દઈએ છીએ તેના આરોગ્યની દૃષ્ટિએ અનેક લાભ છે. તરબુચની છાલમાં અનેક પોષકતત્વો રહેલા છે જે આપણને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. શરીરમાં શુગર લેવલને કંટ્રોલમાં લાવવા સાથે જ ત્વચાને પણ નિખારે છે. આવો જાણીએ તરબુચની છાલના ફાયદાઓ

બ્લડ પ્રેશર અને શુગરને કંટ્રોલમાં રાખે છે ફાઈબર(Fiber)થી ભરપૂર તરબુચની છાલમાં પણ મોટા પ્રમાણમાં ફાઇબર હોય છે, જે બ્લડ પ્રેશર  (blood pressure) અને શુગર લેવલ (sugar level)ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય ફાઇબરથી ભરપૂર તરબુચની છાલ ખોરાકને પચાવવામાં અને પેટને સાફ રાખવામાં મદદરૂપ બને છે.

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?

વજનને નિયંત્રણમાં રાખે છે તરબુચની સાથે તરબુચની છાલ વજન નિયંત્રિત કરવામાં પણ મદદગાર છે. તરબુચની છાલમાં રહેલું ફાઈબર વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે વજનને નિયંત્રણમાં રાખવા માટે તરબુચની છાલનો સલાડ તરીકે ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલી ઓછી કેલરી ચયાપચય (metabolism)માં વધારો કરે છે.

અનિંદ્રામાં લાભકારક જો તમને સૂવામાં તકલીફ પડતી હોય અને અનિંદ્રાથી પીડાતા હો તો તમે સારી ઉંઘ માટે તરબુચની છાલનો ઉપયોગ કરી શકો છો. તરબુચની છાલમાં રહેલું મેગ્નેશિયમ (magnesium) તમને સારી ઉંઘ લેવામાં મદદ કરે છે.

ચહેરાની કરચલીઓ દુર કરે છે તરબુચની છાલમાં રેહલા  લાઇકોપીન  (Lycopene),  ફ્લેવોનોઈડ્સ  (flavonoids) અને એન્ટીઓકિસડન્ટ્સ (antioxidants) વૃદ્ધાવસ્થાને કારણે ચહેરા પર પડતા કાળા ડાઘ, કરચલીઓ અને ફોલ્લીઓ ઘટાડવામાં મદદ કરે છે. તડબૂચની છાલને ત્વચા પર ઘસવાથી કરચલીઓ ઘટે છે અને સાથે જ ત્વચામાં નિખાર આવે છે. ત્વચામાં પાણીની માત્રા ફરી પાછી લાવી ત્વચાને ચમકદાર બનાવે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">