AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : વારંવાર પેટનો દુ:ખાવો આ બિમારીનુ બની શકે છે કારણ, આ રીતે રાખો કાળજી

લીવર ફેલ થવાના ઘણા કારણો છે. આ સમસ્યા ઘણીવાર લિવર સિરોસિસ અથવા ફેટી લિવરને કારણે થાય છે. ઘણા કિસ્સાઓમાં, આ સમસ્યા પિત્તાશયમાં અવરોધને કારણે પણ થઈ શકે છે.

Health Tips : વારંવાર પેટનો દુ:ખાવો આ બિમારીનુ બની શકે છે કારણ, આ રીતે રાખો કાળજી
Health Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 8:18 AM
Share

Health Tips :  જો તમને વારંવાર પેટમાં દુખાવો, ઉલ્ટી અને થાકની ફરિયાદ રહે છે, તો તે લીવર વધવાની નિશાની છે. આ સ્થિતિમાં લીવર ધીરે ધીરે બગડવા લાગે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ રોગ સાયલન્ટ કિલર છે. જેની સમયસર સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે.

આ રીતે લીવર ખરાબ થાય છે

સર ગંગા રામ હોસ્પિટલના લિવર અને ગેસ્ટ્રો વિભાગના અધ્યક્ષ ડો.અનિલ અરોરાએ (Dr. Anil Arora) જણાવ્યુ કે, જ્યારે પણ લિવરમાં કોઈ સમસ્યા થાય છે ત્યારે તે પોતાની જાતને બચાવવા માટે ડાઘ ટિશ્યૂ બનાવવાનું શરૂ કરી દે છે, પરંતુ ક્યારેક આ ટિશ્યૂ વધુ ને વધુ સખત થઈ જાય છે. જેને કારણે લિવરને ખુબ જ નુકસાન થાય છે અને બીજી ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે.

વધુમાં ડોક્ટરે જણાવ્યું કે, લિવર વધવાના ઘણા કારણો છે. આ સમસ્યા ઘણીવાર લિવર સિરોસિસ અથવા ફેટી લિવરને (Fatty lever) કારણે થાય છે. ઘણા કિસ્સાઓમાં, આ સમસ્યા પિત્તાશયમાં અવરોધને કારણે પણ થઈ શકે છે. જેઓ આલ્કોહોલનું (Alcohol) સેવન કરે છે, અને જેમને ક્યારેય હેપેટાઇટિસ છે તેઓેને આ સમસ્યા વધુ થાય છે.

આ રોગને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે

ડોક્ટરે જણાવ્યું કે, લીવર ફેલ થવાના લક્ષણો ધીરે ધીરે જોવા મળે છે. તેથી જ તેના રોગને સાયલન્ટ કિલર (Silent Killer) કહેવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં, આ સમસ્યાઓ યકૃતની સંપૂર્ણ નિષ્ફળતા બાદ જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણી વખત લીવર ફેલ થવાનું જોખમ રહે છે. જેના કારણે ફરજિયાત ટ્રાન્સપ્લાન્ટ કરવુ પડે છે. તેથી, એ મહત્વનું છે કે જો કોઈને પેટમાં દુખાવાની સમસ્યા હોય, તો તેણે તેનો લિવર ફંક્શન ટેસ્ટ (LFT) અથવા સેરોલોજી ટેસ્ટ કરાવવો જોઈએ.

આ રીતે કાળજી રાખો

ડોક્ટરના કહેવા મુજબ, લિવર સંબંધિત કોઈપણ સમસ્યાથી બચવા માટે સૌથી જરૂરી છે કે લોકો પોતાના આહારનું ધ્યાન રાખે. ખોરાકમાં ખાંડ, મીઠું અને લોટનો ઉપયોગ ઓછો કરો. જે લોકો દારૂનું સેવન કરે છ, તે છોડી દે. તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન્સ લો. ઉપરાંત, દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કસરત કરો. જો શરીરનું વજન વધારે હોય તો તેને ઘટાડવાનો પ્રયાસ કરો.આ રીતે તમે આ બિમારીથી બચી શકો છો.

આ પણ વાંચો : Healthy Drinks : આ ડ્રિંક્સ તમને આખો દિવસ એનર્જી આપશે, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

આ પણ વાંચો : Ahmedabad : “આયુર્વેદની પંચકર્મ પદ્ધતિથી ટાઈપ-2 ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડી શકાય છે” માધવબાગ સંસ્થાનો દાવો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">