7 દિવસમાં ફટાફટ ઉતરશે વજન, આજે જ ફોલો કરો સાત દિવસનો GM Diet Plan

GM આહાર યોજનામાં એવા ખોરાકનો સમાવેશ થાય છે જે શરીરને ડિટોક્સ કરે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે તે કેવી રીતે શરૂ થયું અને તમે તેને આખા અઠવાડિયા દરમિયાન કેવી રીતે અનુસરી શકો.

7 દિવસમાં ફટાફટ ઉતરશે વજન, આજે જ ફોલો કરો સાત દિવસનો GM Diet Plan
7 Day GM Diet Plan for Weight LossImage Credit source: Freepik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 5:19 PM

What Is GM Diet plan: આજકાલ લોકો વજન ઘટાડવા માટે અલગ-અલગ ટ્રિક અજમાવી રહ્યા છે. તેમાં જિમ, વર્કઆઉટ અને મોંઘા-ખર્ચાળ ડાયટ પ્લાનને અનુસરવાનો સમાવેશ થાય છે. ડાયટ પ્લાન (Diet Plan)ની વાત કરીએ તો તેમાં પણ ઘણા વિકલ્પો આવવા લાગ્યા છે. અમે જીએમ ડાયટ પ્લાન ( GM Diet Plan) વિશે વાત કરી રહ્યા છીએ, જેના માટે દાવો કરવામાં આવે છે કે જો તેને એક અઠવાડિયા સુધી સતત ફોલો કરવામાં આવે તો વજન ઝડપથી ઘટાડી શકાય છે. તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, અઠવાડિયાના સાતેય દિવસ તમારે કયા સમયે કયો ખોરાક (Food) કે ફળ ખાવા જોઈએ.

આ પ્રકારના ડાયટ પ્લાનમાં એવા ખોરાકનો સમાવેશ થાય છે જે શરીરને ડિટોક્સ કરે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે તે કેવી રીતે શરૂ થયું અને તમે તેને આખા અઠવાડિયા દરમિયાન કેવી રીતે અનુસરી શકો.

જીએમ ડાયટ પ્લાન ક્યાંથી આવ્યો?

જીએમ ડાયેટ પ્લાન જાણતા પહેલા સમજો કે તેની શરૂઆત ક્યાંથી થઈ. આ એક પ્રકારનો અમેરિકન ડાયટ પ્લાન છે, જે આજકાલ ટ્રેન્ડમાં છે. તે જનરલ મોટર્સ ડાયેટ નામથી શરૂ થયું, જેણે તેના કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેની શરૂઆત કરી. આ મામલો 1985નો છે, જ્યારે GM કંપનીએ કામદારો માટે વજન ઘટાડવા અને તેમને સ્વસ્થ રાખવા માટે આ ડાયટ બનાવ્યો હતો. તે અસરકારક સાબિત થયો અને આજે સામાન્ય લોકો પણ તેનું પાલન કરે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ સ્ટેપ બાય સ્ટેપ જીએમ ડાયેટ ફોલો કરો

દિવસ 1 : આ ડાયટ અનુસાર, તમારે પહેલા દિવસે ફક્ત ફળો ખાવાના છે. ફળોમાં પણ કેળા ન ખાવા જોઈએ, કારણ કે તેનાથી વજન વધે છે. તમે ઈચ્છો તો તરબૂચ ખાઈ શકો છો. તે વજન ઘટાડવામાં મદદરૂપ છે અને તે પોષક તત્વોની ઉણપને પણ પૂરી કરે છે.

દિવસ 2 : ડાયટ અનુસાર આ દિવસે ફક્ત શાકભાજી લેવાની સલાહ આપવામાં આવે છે. તમે તેમને રાંધેલા અથવા કાચા ખાઈ શકો છો. પ્રયત્ન કરો કે શાકભાજી લીલા હોય.

દિવસ 3 : તમે આ દિવસે ફળો અને શાકભાજી બંનેનું સેવન કરી શકો છો, પરંતુ તેમને મર્યાદિત માત્રામાં ખાઓ. શાકભાજીમાં બટેટા અને ફળોમાં કેળા ખાવાનું ટાળો.

દિવસ 4 : જીએમ આહાર મુજબ, ચોથા દિવસે, તમારે ફક્ત દૂધ અને કેળા ખાવાનું છે. દિવસભરમાં અંતર રાખીને, તમે 6 થી 7 કેળા અને ત્રણ ગ્લાસ દૂધ પી શકો છો.

દિવસ 5 : જે લોકો નોન-વેજ ખાય છે, તેઓ આ દિવસે ચિકન અથવા માછલી ખાઈ શકે છે. જો તમે શાકાહારી છો તો આ દિવસે માંસને બદલે પનીર અને બ્રાઉન રાઇસ ખાઓ.

દિવસ 6 :  આ દિવસે પણ તમારે માછલી અથવા ચિકન ખાવું જોઈએ અને શાકાહારી લોકો માંસને બદલે પનીર ખાઈ શકે છે. ધ્યાનમાં રાખો કે જો તમે આ ભારે ખોરાકનું સેવન કરો છો, તો પાણી પણ વધુ પ્રમાણમાં પીવો.

દિવસ 7 : જીએમ ડાયટ પ્લાનમાં સાતમા દિવસે, તમે ફળો, શાકભાજી અને જ્યૂસનું સેવન કરી શકો છો. આ દિવસે શાકભાજીમાં માત્ર કઠોળ ખાઓ. દૂધને બદલે, સોયા દૂધનો ઉપયોગ કરો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">