AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 દિવસમાં ફટાફટ ઉતરશે વજન, આજે જ ફોલો કરો સાત દિવસનો GM Diet Plan

GM આહાર યોજનામાં એવા ખોરાકનો સમાવેશ થાય છે જે શરીરને ડિટોક્સ કરે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે તે કેવી રીતે શરૂ થયું અને તમે તેને આખા અઠવાડિયા દરમિયાન કેવી રીતે અનુસરી શકો.

7 દિવસમાં ફટાફટ ઉતરશે વજન, આજે જ ફોલો કરો સાત દિવસનો GM Diet Plan
7 Day GM Diet Plan for Weight LossImage Credit source: Freepik
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 5:19 PM
Share

What Is GM Diet plan: આજકાલ લોકો વજન ઘટાડવા માટે અલગ-અલગ ટ્રિક અજમાવી રહ્યા છે. તેમાં જિમ, વર્કઆઉટ અને મોંઘા-ખર્ચાળ ડાયટ પ્લાનને અનુસરવાનો સમાવેશ થાય છે. ડાયટ પ્લાન (Diet Plan)ની વાત કરીએ તો તેમાં પણ ઘણા વિકલ્પો આવવા લાગ્યા છે. અમે જીએમ ડાયટ પ્લાન ( GM Diet Plan) વિશે વાત કરી રહ્યા છીએ, જેના માટે દાવો કરવામાં આવે છે કે જો તેને એક અઠવાડિયા સુધી સતત ફોલો કરવામાં આવે તો વજન ઝડપથી ઘટાડી શકાય છે. તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, અઠવાડિયાના સાતેય દિવસ તમારે કયા સમયે કયો ખોરાક (Food) કે ફળ ખાવા જોઈએ.

આ પ્રકારના ડાયટ પ્લાનમાં એવા ખોરાકનો સમાવેશ થાય છે જે શરીરને ડિટોક્સ કરે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે તે કેવી રીતે શરૂ થયું અને તમે તેને આખા અઠવાડિયા દરમિયાન કેવી રીતે અનુસરી શકો.

જીએમ ડાયટ પ્લાન ક્યાંથી આવ્યો?

જીએમ ડાયેટ પ્લાન જાણતા પહેલા સમજો કે તેની શરૂઆત ક્યાંથી થઈ. આ એક પ્રકારનો અમેરિકન ડાયટ પ્લાન છે, જે આજકાલ ટ્રેન્ડમાં છે. તે જનરલ મોટર્સ ડાયેટ નામથી શરૂ થયું, જેણે તેના કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેની શરૂઆત કરી. આ મામલો 1985નો છે, જ્યારે GM કંપનીએ કામદારો માટે વજન ઘટાડવા અને તેમને સ્વસ્થ રાખવા માટે આ ડાયટ બનાવ્યો હતો. તે અસરકારક સાબિત થયો અને આજે સામાન્ય લોકો પણ તેનું પાલન કરે છે.

આ સ્ટેપ બાય સ્ટેપ જીએમ ડાયેટ ફોલો કરો

દિવસ 1 : આ ડાયટ અનુસાર, તમારે પહેલા દિવસે ફક્ત ફળો ખાવાના છે. ફળોમાં પણ કેળા ન ખાવા જોઈએ, કારણ કે તેનાથી વજન વધે છે. તમે ઈચ્છો તો તરબૂચ ખાઈ શકો છો. તે વજન ઘટાડવામાં મદદરૂપ છે અને તે પોષક તત્વોની ઉણપને પણ પૂરી કરે છે.

દિવસ 2 : ડાયટ અનુસાર આ દિવસે ફક્ત શાકભાજી લેવાની સલાહ આપવામાં આવે છે. તમે તેમને રાંધેલા અથવા કાચા ખાઈ શકો છો. પ્રયત્ન કરો કે શાકભાજી લીલા હોય.

દિવસ 3 : તમે આ દિવસે ફળો અને શાકભાજી બંનેનું સેવન કરી શકો છો, પરંતુ તેમને મર્યાદિત માત્રામાં ખાઓ. શાકભાજીમાં બટેટા અને ફળોમાં કેળા ખાવાનું ટાળો.

દિવસ 4 : જીએમ આહાર મુજબ, ચોથા દિવસે, તમારે ફક્ત દૂધ અને કેળા ખાવાનું છે. દિવસભરમાં અંતર રાખીને, તમે 6 થી 7 કેળા અને ત્રણ ગ્લાસ દૂધ પી શકો છો.

દિવસ 5 : જે લોકો નોન-વેજ ખાય છે, તેઓ આ દિવસે ચિકન અથવા માછલી ખાઈ શકે છે. જો તમે શાકાહારી છો તો આ દિવસે માંસને બદલે પનીર અને બ્રાઉન રાઇસ ખાઓ.

દિવસ 6 :  આ દિવસે પણ તમારે માછલી અથવા ચિકન ખાવું જોઈએ અને શાકાહારી લોકો માંસને બદલે પનીર ખાઈ શકે છે. ધ્યાનમાં રાખો કે જો તમે આ ભારે ખોરાકનું સેવન કરો છો, તો પાણી પણ વધુ પ્રમાણમાં પીવો.

દિવસ 7 : જીએમ ડાયટ પ્લાનમાં સાતમા દિવસે, તમે ફળો, શાકભાજી અને જ્યૂસનું સેવન કરી શકો છો. આ દિવસે શાકભાજીમાં માત્ર કઠોળ ખાઓ. દૂધને બદલે, સોયા દૂધનો ઉપયોગ કરો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">