ઉકાળો લીવર માટે નુકશાનકારક હોવાની અફવા આયુષ મંત્રાલયે ફગાવી, સીમિત માત્રામાં સેવન ફાયદાકારક
તાજેતરમાં એવી અફવા ફેલાઈ હતી કે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે જે લોકો લાંબા સમયથી ઉકાળાનું સેવન કરી રહ્યા છે. તેમના લીવર માટે તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જો કે આયુષ મંત્રાલયે આ વાતને નકારી કાઢી છે. મંત્રાલયે પણ જણાવ્યું છે કે આ ધારણા તદ્દન ખોટી છે. કારણ કે ઉકાળા બનાવવા માટે વપરાતી તમામ […]
તાજેતરમાં એવી અફવા ફેલાઈ હતી કે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે જે લોકો લાંબા સમયથી ઉકાળાનું સેવન કરી રહ્યા છે. તેમના લીવર માટે તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જો કે આયુષ મંત્રાલયે આ વાતને નકારી કાઢી છે. મંત્રાલયે પણ જણાવ્યું છે કે આ ધારણા તદ્દન ખોટી છે. કારણ કે ઉકાળા બનાવવા માટે વપરાતી તમામ સામગ્રીનો ઉપયોગ ઘરમાં મસાલા તરીકે કરવામાં આવે છે. સામાન્ય રીતે ભારતીય વાનગીઓમાં આ તમામ મસાલાઓનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે અને અત્યાર સુધી તેનાથી કોઈ નુકશાન થયું હોય તેવી જાણકારી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સ્વાસ્થ્ય મંત્રાલયે જ કોરોના સામે બચવા ઉકાળા પીવાની સલાહ આપી છે. તજ, તુલસી અને કાળી મરીનો ઉપયોગ ઉકાળો બનાવવા માટે થાય છે અને તેનો અનુકૂળ પ્રભાવ પડે છે. આ સાથે જ કેટલાક લોકો આદુ, કિશમિશ વગેરેનો પણ ઉપયોગ કરે છે. જો કે તેનાથી લીવરને કોઈપણ પ્રકારનું નુકશાન નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે હાલના સમયમાં પણ ભારતના લોકો કોરોના વાઈરસથી બચવા માટે રોજ ઉકાળાનું સેવન કરે છે. જો કે તેના અતિરેકથી હંમેશા બચવું જોઈએ. દિવસમાં એકવાર વહેલી સવારે ઉકાળાનું સેવન યોગ્ય માની શકાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો