ગળાની સમસ્યા માટે કારગર ઈલાજ છે મીઠાના પાણીના કોગળા
મોસમ બદલવાથી ગળામાં ખરાશ અથવા તો અવાજ બેસી જવાની ફરિયાદો સામે આવે છે. ગળું ખરાબ થાય એટલે ગળામાં દુખાવો અથવા તો ગળામાં કફ જામી જાય છે અને ગળાનો અવાજ પણ બદલાઈ જાય છે. ગળું ખરાબ થાય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી ખૂબ જ મદદ મળે છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો […]
મોસમ બદલવાથી ગળામાં ખરાશ અથવા તો અવાજ બેસી જવાની ફરિયાદો સામે આવે છે. ગળું ખરાબ થાય એટલે ગળામાં દુખાવો અથવા તો ગળામાં કફ જામી જાય છે અને ગળાનો અવાજ પણ બદલાઈ જાય છે. ગળું ખરાબ થાય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી ખૂબ જ મદદ મળે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મીઠું અને પાણીનું મિશ્રણ જીવાણુ માટે ખૂબ જ ખતરનાક હોય છે અને તેના પ્રભાવથી જીવાણુઓ મરી પણ જાય છે. જ્યારે કફ જમા થયો હોય ત્યારે કફને દૂર કરીને તેને બહાર કાઢવામાં મદદ કરશે અને એટલા માટે મીઠાના પાણીના કોગળા કરવાનું કહેવામાં આવે છે. પરંતુ કોગળા કરતી વખતે પાણી વધારે ગરમ ન હોય તે રીતે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને તે પાણીથી કોગળા કરવા જોઇએ. તે પાણીમાં તમે ફટકડીનો ટુકડો પણ નાખી શકો છો જેનાથી તમને આરામ મળશે.
મીઠું સાથે ખાવાનો સોડા પણ બે ચપટી ભેળવીને કોગળા કરવાથી પણ આરામ મળે છે. મીઠું સાથે ગરમ પાણીમાં હળદર પણ ઉમેરી શકાય છે. તેનાથી ફાયદો થાય છે કારણ કે તેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો ક્યાં તો ફટકડી નાંખવી જોઈએ અથવા તો ખાવાનો સોડા નાંખવો જોઈએ. મીઠુંની સાથે કોઈ પણ એક જ વસ્તુ નાખવી જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.