Weight loss Tips: જો તમારી પેટની ચરબી પણ વધી ગઈ છે તો મેથીના દાણા છે રામબાણ ઈલાજ

મેથીના દાણા (Fenugreek Seeds) સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મેથીના નાના દાણા પણ અનેક રોગોનો રામબાણ ઈલાજ છે. મેથીના દાણામાંથી (Fenugreek Seeds) પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે.

Weight loss Tips: જો તમારી પેટની ચરબી પણ વધી ગઈ છે તો મેથીના દાણા છે રામબાણ ઈલાજ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 29, 2021 | 6:00 PM

મેથીના દાણા (Fenugreek Seeds) સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મેથીના નાના દાણા પણ અનેક રોગોનો રામબાણ ઈલાજ છે. મેથીના દાણામાંથી (Fenugreek Seeds) પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે. લીલી મેથીને શાક અને પરાઠા તરીકે ખાવામાં આવે છે. મેથીના દાણા અથવા પાવડર તરીકે ઉપયોગમાં લેવાય છે. લોકો વધતા વજનને ઘટાડવા માટે અનેક ઉપાય કરતા હોય છે. પરંતુ આપણા રસોડામાં ઘણી એવી વસ્તુ છે, જેનું સેવન કરવાથી તમારું વજન ઘટે છે. મેથીના દાણાથી વજન ઘટે છે. મેથીના દાણામાં અનેક પ્રકારના પૌષ્ટિક ગુણ હોય છે. આ સાથે જ મેથીના દાણા ફેટ બર્ન કરવાનું કામ કરે છે.

મેથીના દાણામાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ હોય છે. જેનો ઉપયોગ ઘણા વર્ષથી કરવામાં આવે છે. મેથીના દાણામાં ફાઈબર, આયર્ન, વિટામિન એ અને ડી ભરપૂર માત્રામાં હોય છે. જો તમે સાચી રીતે મેથીના દાણાનો ઉપયોગ કરો છો તો તમારું વજન ઘટાડી શકો છો. મેથીમાં ફાઈબર સારી માત્રામાં હોય છે. જે પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે. આ સિવાય મેથીના દાણાનું સેવન કરો છો તો શરીરને ડિટોક્સિફાઈડ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણાનું સેવન ફાયદાકારક છે. જેનાથી શુગર કંટ્રોલમાં રહે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વજન ઓછું કરવા માટે સવારે એક ગ્લાસ પાણીમાં મેથીના દાણા પીવો. આ માટે તમારે રાત્રે મેથીની દાણા પાણીમાં રાખવા પડશે. મેથીના દાણાને પાણીમાં ઉકાળો થોડીવાર પછી ઠંડુ થયા બાદ ગાળીને પીવો. તે તમારા શરીરમાં ડિટોક્સિફાઈગ એજન્ટ તરીકે કામ કરે છે. આ પીણામાં ઝીરો કેલરી હોય છે. મેથીના દાણાનું સેવન કરવાથી તમને કબજિયાતની સમસ્યા નહીં થાય.

જો તમે ઓછી કેલરીવાળી ચા પીવા માંગતા હોવ તો મેથીની ચા એક સારો વિકલ્પ છે. આ ચાની વિશેષતા એ છે કે તેમાં એવી બધી વસ્તુઓ શામેલ છે, જે પેટની ચરબી ઘટાડે છે. તેને બનાવવા માટે એક ચમચી મેથી, તજ અને થોડું આદુ નાખો. તેને પીવાથી શરીરને ડિટોક્સિફાઈઝ કરવામાં આવે છે. આ સાથે વજન પણ નિયંત્રણમાં રહે છે. વજન ઓછું કરવા માટે મેથીના દાણા અને મધનો ઉપયોગ કરી શકાય છે. મધ એ નેચરલ ઈમ્યુનીટી બૂસ્ટર છે. આ બંને ચીજો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ માટે તમે મેથીની પેસ્ટમાં મધ અને લીંબુ નાખીને પી શકો છો. તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું છે. તમે તેને હર્બલ ટીની જેમ પી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">