બંગલો નં. 26: એવું તો શું છે આ બંગલામાં કે નરેન્દ્ર મોદીએ તેને બનાવી દીધું હતું મુખ્યમંત્રીનું સત્તાવાર આવાસ

સત્તાવાર રીતે જોવા જઈએ તો 1 નંબરનો બંગલો મુખ્યમંત્રીનો હોય છે. પરંતુ CM ભૂપેન્દ્ર પટેલને 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો. ચાલો જાણીએ આના પાછળનું રસપ્રદ કારણ.

બંગલો નં. 26: એવું તો શું છે આ બંગલામાં કે નરેન્દ્ર મોદીએ તેને બનાવી દીધું હતું મુખ્યમંત્રીનું સત્તાવાર આવાસ
Why Narendra Modi made Bungalow number 26 the official residence of the Chief Minister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 6:17 PM

ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી. નવા મુખ્યમંત્રી સાથે ગુજરાતને નવું મંત્રીમંડળ પણ મળ્યું. નવા મંત્રીઓએ પોતાનો ચાર્જ પણ સંભાળી લીધો. આ વચ્ચે ગાંધીનગરમાં મંત્રીમંડળના મંત્રીઓને નિવાસ ફાળવવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે સેક્ટર 20 માં બંગલા આવેલા છે. જે મંત્રીઓને ફાળવવામાં આવે છે. સત્તાવાર રીતે જોવા જઈએ તો 1 નંબરનો બંગલો મુખ્યમંત્રીનો હોય છે. પરંતુ CM ભૂપેન્દ્ર પટેલને 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો.

જો કે આ સિલસિલો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી ચાલ્યો આવે છે. ખરેખરમાં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા પછી 26 નંબરના બંગલાને મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન બનાવી દીધું હતું. અને 1 નંબરના બંગલાને સરકારી કચેરીમાં ફેરવી દીધો હતો. આ પહેલાના મુખ્યમંત્રી 1 નંબરના બંગલામાં રહેતા હતા. જોકે આ કરવા પાછળનું કારણ ખુબ રસપ્રદ છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ બંગલાને લકી માનવામાં આવે છે. કેની કારણ છે કે એમ માનવામાં આવે છે કે આ બંગલામાં જે રહે તે જરૂર મુખ્યમંત્રી બને છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો જ્યારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ 1 નંબરના બંગલામાં રહેતા હતા. અને એ સમયે અમરસિંહ ચૌધરીને 26 નંબરનો બંગલો આપવામાં આવ્યો હતો. બાદમાં બન્યું એવું કે અમરસિંહ પણ મુખ્યમંત્રી બન્યાલ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઉપરાંત જ્યારે ચીમનભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ પણ પહેલા નંબરના બંગલામાં રહેતા હતા. અને ત્યારે 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો હતો છબીલદાસ મહેતાને. ચીમનભાઈ પટેલના અવસાન બાદ છબીલદાસ મહેતા મુખ્યમંત્રી થયા હતા. કેશુભાઇના શાસનમાં પણ આ ઘટના જોવા મળી. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તે 1 નંબરમાં રહેતા હતા અને બંગલા નંબર 26 નંબરમાં સુરેશ મહેતા રહેતા હતા. કેશુભાઈ સામે બળવો થતાં સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા.

આ જોગાનુજોગ આટલે જ નથી અટકતો. બાદમાં જ્યારે શંકરસિંહ વાઘેલાની રાજપા સરકાર હતી. ત્યારે પણ આ વસ્તુ જોવા મળી. આ સમયે 26 નંબરના બંગલામાં દિલિપ પરીખ રહેતા હતા અને બાદમાં તેઓ પણ મુખ્યમંત્રી થયા હતા. નરેન્દ્ર મોદીની સત્તાના સમયે તેમણે આ બંગલાને જ સત્તાવાર રીતે મુખ્યમંત્રીનો બંગલો બનાવી દીધો અને બાદમાં જેટલા મુખ્યમંત્રી આવ્યા સૌ આ બંગલામાં જ રહ્યા છે.

મોદીના વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં આવેલા આનાદીબેન પટેલ, વિજય રૂપાણીએ પણ આ બંગલામાં નિવાસ કર્યો. અને હવે ભૂપેન્દ્ર પટેલ આ બંગલાના સત્તાવાર હક્કદાર બન્યા છે.

આ પણ વાંચો: AHMEDABADમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર PM મોદીને મળ્યા CM ભૂપેન્દ્ર પટેલ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">