અમરેલીમાં બાબરા વિસ્તારમાં કેનાલમાં પાણી છોડાયું, પાંચ ગામના ખેડૂતોને થશે ફાયદો
Amreli જિલ્લામાં બાબરાના ગામડાઓમાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે Amreliના બાબરાના ગામડાઓ માં કરીયાણા ના કાળુંભાર ડેમ માંથી કેનાલ માં છોડવામાં આવ્યું હતું.
Amreli જિલ્લામાં બાબરાના ગામડાઓમાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે Amreliના બાબરાના ગામડાઓ માં કરીયાણા ના કાળુભાર ડેમ માંથી કેનાલ માં છોડવામાં આવ્યું હતું. જો ગઇકાલે ખાખરિયા ગામ ના ખેડૂતો દ્વારા કેનાલ માં બેસી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. તેમણે જ પાણી છોડવા માટે માંગ કરી હતી, જેના પગલે તંત્ર આખરે સફાળું જાગ્યું હતું અને આખરે કેનાલ માં પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલમાં પાણી છોડાતા પાંચ ગામમાં ખેડૂતોને શિયાળુ પાકમાં ફાયદો થશે.