AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો? તો આપ ન કરી બેસતા આ ભૂલ

દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી. દેવી સરસ્વતીની કૃપાને પ્રાપ્ત કરવા આ પાંચ બાબતો ક્યારેય ન ભૂલવી. જો આ પાંચ બાબતોનું આજના દિવસે રાખશો ધ્યાન તો અચુક વરસશે દેવીના આશીર્વાદ.

મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો? તો આપ ન કરી બેસતા આ ભૂલ
વસંત પંચમી દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 16, 2021 | 12:31 PM
Share

મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી. વસંત પંચમી એ દેવી સરસ્વતીનો (GODESS SARSWATI) પ્રાગટ્ય દિવસ કહેવાય છે. આજના દિવસે મા સરસ્વતીની પૂજા થાય છે. વિદ્યાની દેવી સરસ્વતીને રીઝવવાનો આ ઉત્તમ દિવસ કહેવાય છે. ત્યારે જો આપ પણ આજે મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો ધ્યાન રહે કે આ ભૂલો આપ ન કરી બેસો.

1. વસંતપંચમીનો પર્વ એ પ્રકૃતિમાં પરિવર્તનનો સંકેત આપે છે. ત્યારે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે છોડ કે વૃક્ષોને નુકસાન ક્યારેય ન પહોંચાડવું. આજના દિવસે તેને બિલકુલ ન કાપવા જોઈએ. 2. વસંત પંચમીના દિવસે રંગબેરંગી કપડા ન પહેરવા જોઈએ. એવું કહેવાય છે કે દેવી સરસ્વતીનો પ્રિય રંગ પીળો છે. એટલે વસંત પંચમીના દિવસે પીળા રંગના જ વસ્ત્રો ધારણ કરવા. 3. વસંત પંચમીના દિવસે શક્ય હોય તો વ્રત રાખવું. પણ જો વ્રત ન કરી થઈ શકે તો ધ્યાન રહે આજના દિવસે સ્નાન કર્યા વગર ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. 4. વસંત પંચમીના દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરવું. આજના દિવસે માંસ અને મદિરાનું સેવન વર્જિત ગણાય છે. 5. વસંત પંચમી એ લોકો માંગલિક કાર્યો કરતા હોય છે. તો આજના દિવસથી અભ્યાસનો પ્રારંભ પણ શુભ મનાય છે. ત્યારે આજના દિવસે કોઈ પ્રત્યે ખરાબ વિચાર ન લાવવો. કોઈને અપશબ્દ પણ ન બોલવા. એવું કહેવાય છે કે કોઈ પ્રત્યે જો આપના મનમાં અશુભ વિચાર છે તો આજના દિવસે શરુ કરેલુ આપનું કામ પૂર્ણ થતું નથી.

જો આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો દેવી સરસ્વતી વ્યક્તિના તમામ મનોરથ પૂર્ણ કરતાં હોવાની માન્યતા છે. વસંત પંચમીની ખુબ ખુબ શુભેચ્છાઓ.

આ પણ વાંચો ત્રિપુંડના ચમત્કારિક ફાયદા! આ ફાયદાઓ વિશે આપે ક્યારેય નહીં જાણ્યું હોય

Follow Us
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
g clip-path="url(#clip0_868_265)">