AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રિપુંડના ચમત્કારિક ફાયદા! આ ફાયદાઓ વિશે આપે ક્યારેય નહીં જાણ્યું હોય

દેવાધિદેવ મહાદેવ (MAHADEV)એ ત્રિપુંડધારી છે અને મહાદેવના ભક્તો પણ ત્રિપુંડ ધારણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ત્રિપુંડે માત્ર તિલકનો એક પ્રકાર જ નથી ત્રિપુંડ લગાવવાના કેટલાક ચમત્કારિક ફાયદા પણ છે.

ત્રિપુંડના ચમત્કારિક ફાયદા! આ ફાયદાઓ વિશે આપે ક્યારેય નહીં જાણ્યું હોય
ત્રિપુંડના વૈજ્ઞાનિક ફાયદાઓ
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 15, 2021 | 6:16 PM
Share

દેવાધિદેવ મહાદેવ (MAHADEV)એ ત્રિપુંડધારી છે અને મહાદેવના ભક્તો પણ ત્રિપુંડ ધારણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ત્રિપુંડે માત્ર તિલકનો એક પ્રકાર જ નથી ત્રિપુંડ લગાવવાના કેટલાક ચમત્કારિક ફાયદા પણ છે. લોકો શિવજીનો અભિષેક કરે, બીલીપત્ર, ભાંગ, ધતુરો અર્પણ કરે કે જેનાથી શિવજી પ્રસન્ન થાય. એવું કહેવાય છે કે જો આપ ચંદન અને ભસ્મનું તિલક એટલે કે ત્રિપુંડ પણ જો શિવજીને લગાવો છો તો તરત જ આપની મનોકામના પૂર્ણ કરશે મહેશ્વર.

ત્રિપુંડ તિલક દરમિયાન ત્રણ રેખા દોરવામાં આવે છે. ત્રિપુંડની આ ત્રણ રેખાઓ શરીરની ત્રણ નાડીઓ એટલે કે ઈડા, પિંગળા અને સુષુમ્નાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આપણા શાસ્ત્રોમાં ત્રિપુંડનું ખાસ મહત્વ વર્ણવાયું છે. ત્રિપુંડ તિલકનો ઉલ્લેખ શિવપુરાણમાં કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ત્રિપુંડની પ્રત્યેક રેખામાં 9 દેવી દેવતાઓનો વાસ હોય છે. ત્રિપુંડની ત્રણેય રેખાઓ ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને કાર્યશક્તિને રજુ કરે છે.

આમ તો શરીરના કુલ 32 અંગ પર ત્રિપુંડ ધારણ કરી શકાય. જેમકે મસ્તક, લલાટ, કાન, આંખ, હાથેળી, કોણી, નાભિ વગેરે. શું તમે જાણો છો કે કપાળ પર લગાવેલા ત્રિંપુંડના તો વૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે? એવું કહેવાય છે કે ભસ્મ અને ચંદનથી થતું ત્રિપુંડ વ્યક્તિના જ્ઞાનતંતુને શીતળતા પ્રદાન કરે છે તો ભસ્મના ત્રિપુંડથી શરીરના રોગ પણ દુર થઈ જતા હોવાની માન્યતા છે. એટલે કે ત્રિપુંડ જો મહાદેવને શ્રદ્ધા સાથે અર્પણ કરવામાં આવે તો વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય અને વ્યક્તિ જો ત્રિપુંડ લગાવે તો તેના તમામ પાપનો નાશ થાય છે અને સાથે શિવકૃપાને પાત્ર પણ બની જાય છે.

આ પણ વાંચો સૂર્યદેવની કૃપા મેળવવા ખાસ કરો આ સ્તોત્રનું પઠન

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">