Valsad : ખેરગામ ગુજરાત ક્વિન જોડાણ બસ સેવા શરૂ કરાતા મુસાફરોને રાહત

વલસાડથી (Valsad) 4.40 કલાકે વધારાની ખેરગામ બસ ઉપડશે જે ખેરગામથી મળસ્કે 5.20 કલાકે વલસાડ જવા ઉપડશે. જેનાથી મુસાફરોને મોટી રાહત થશે.

Valsad : ખેરગામ ગુજરાત ક્વિન જોડાણ બસ સેવા શરૂ કરાતા મુસાફરોને રાહત
Bus Service in Valsad (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 7:44 PM

કોરોનાકાળમાં વલસાડ (Valsad )ડેપો દ્વારા ગુજરાત ક્વિન જોડાણની સાત સાત બસ(Bus ) સેવા દોડતી હતી પરંતુ ક્વિન અને બસ લાંબા ગાળા સુધી બંધ રહેતા તેના મુસાફરો (Passengers )ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. મુસાફરોએ ખાનગી વાહનોનો સહારો લઈને નોકરી ધંધા કે અભ્યાસ માટે જવું પડ્યું હતું. વલસાડ ડેપો માત્ર ધરમપુર માટે જ રાત્રિ ક્વીન બસ સેવા દોડાવે છે અને ખેરગામ રૂમલાની ત્રણ-ચાર માસ પહેલાની માંગ 28 જુલાઈએ એસટી તંત્રએ શરુ કરી દેતા મુસાફરોએ રાહત અનુભવી છે. લાંબા સમયથી મુસાફરો દ્વારા આ બસ સેવા શરૂ કરવા માંગણી કરવામાં આવી રહી હતી.

આગોતરી જાણ વગર જ બસ સેવા શરૂ કરાતા ઘણા મુસાફરો રહ્યા અજાણ

વલસાડ વિભાગીય નિયામક અને ડેપો મેનેજર બંનેને બસ સેવા શરુ કરવા પૂર્વે આગોતરી જાણ કરવા માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી. પણ આ બાબતની કોઈપણ સત્તાવાર જાહેરાત વિના કંટ્રોલ કેબિન પર પણ જાહેર નોટિસ મૂક્યા વિના કે મુસાફરોને કોઈપણ જાણ કર્યા વગર તારીખ 28મીએ મળસ્કે બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. તંત્રના અધિકારીઓ આવક નહીં આવે તો તરત બસ બંધ કરવાની વાત કરવામાં આવે છે, પણ નવી બસ સેવા શરૂ કરવા બાદ મુસાફરોને તેની જાણ ન હોવાથી આવક ન થાય તો તે માટે અધિકારીઓ સામે શું કરવું જોઈએ તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

ખેરગામ વિભાગના ક્વિનના સક્ષમ મુસાફરોએ માંગ કર્યા બાદ દોઢ મહિને કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વગર જ બસ સેવા શરૂ થઈ છે, જે શિડયુલ વલસાડથી મધરાતે સાડાબાર વાગે રેલવે સ્ટેશન જઈ ત્યાંથી ગુજરાત ક્વિન આવ્યા બાદ 12.40 વાગ્યે ખેરગામ રુમલા માટે ઉપડશે જે રૂમલાથી ક્વિન જોડાણ માટે મધરાતે અઢી વાગે ઉપડશે જે ખેરગામથી 2.55 કલાકે(દશેરા ટેકરીથી) ઉપડી રેલાવે સ્ટેશન જશે. ત્યારબાદ વલસાડથી 4.40 કલાકે વધારાની ખેરગામ બસ ઉપડશે જે ખેરગામથી મળસ્કે 5.20 કલાકે વલસાડ જવા ઉપડશે. જેનાથી મુસાફરોને મોટી રાહત થશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આમ ખેરગામ માટે બે બસ સેવા શરૂ થઈ છે જેનાથી ટ્રેન યાત્રિકોને ખૂબ જ રાહત થશે.જોકે  વલસાડ ડેપો રાત્રે સવા નવે ઉપડતી વાપી તથા ખેરગામ અગાસી બસને રેલ્વે સ્ટેશન થઈને ઉપાડે તો 3-4 ટ્રેનના મુસાફરોને ડેપો સુધી લાંબા થવું નહીં પડે અને રેલવે સ્ટેશનથી સીધા બસમાં જઈ શકે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">