લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમા ગુજરાતની 24 પૈકી 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં આદિવાસી લોકો વસવાટ કરે છે. વલસાડ લોકસભા બેઠક પર ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજના જાતીય સમીકરણો મહત્વના છે. લોકસભા ચૂંટણી માટે વલસાડ બેઠક પર જીતનાર પક્ષની સરકાર બનવાની લોકવાયકા પ્રચલિત હોવાનું માનવામાં આવે છે. વલસાડ લોકસભા બેઠક જીતવા માટે કોંગ્રેસે આંદોલનકારી નેતા તરીકે અનંત પટેલ પ્રચલિત છે.
વલસાડ લોકસભા બેઠક પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું કોંગ્રેસના લોકસભા ઉમેદવાર તરીકે નામ જાહેર કરાયું જે આ વિસ્તારમાં આદિવાસી આગરની તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના લડાયક નેતા તરીકે અનંત પટેલ લોકપ્રિય છે. દક્ષિણ ગુજરાતમાં જાતીય સમીકરણોના આધારે અનંત પટેલ ફિટ બેસે છે.
વલસાડ લોકસભા બેઠક પર ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજના જાતીય સમીકરણો મહત્વના હોવાને કારણે કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવાંઆ આવ્યો છે. લોક સભા ચૂંટણી માટે વલસાડ બેઠક પર જીતનાર પક્ષની સરકાર બનવાની લોકવાયકા પ્રચલિત હોવાનું માનવામાં આવે છે પરંતુ આ વખતે આ વાત સાચી પડશે કે કેમ તે હવે આગામી ચૂંટણીના પરિણામો બાદ જ સામે આવશે.
મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે બે ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. અનંત પટેલ અને સિદ્ધાર્થ ચૌધરી બંને કોંગ્રેસના સીટિંગ ધારાસભ્યો તરીકે ગૃહમાં બેસે છે. આંતરિક વિવાદોને થાળી પાડવા માટે કોંગ્રેસે ચાલુ ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.
ધારાસભ્ય અનંત પટેલ અંગે વાત કરવામાં આવે તો તેઓ હાલમાં વાંસદા 177 વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય છે. હવે કોંગ્રેસ દ્વારા તેમને લોકસભા 2024 માટે ઉમેદવાર જાહેર કર્યા છે. તેમના પોલિટિકલ કરિયરની વાત કરવામાં આવે તો..
(ઈનપુટ ક્રેડિટ : નીલેશ ગામીત)
Published On - 8:59 pm, Tue, 12 March 24