AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: બનાવવું હતું જંગલ, બની ગયો ઉકરડો ! અધિકારીઓનું અજ્ઞાન કરોડોમાં પડ્યું ! જંગલનો કેમ થયો ‘કચરો ?’

વર્ષ 2018માં તે સમયના શાસકો દ્વારા આ ડંપિંગ સાઈટ હટાવી અહીં 8 હજારથી વધુ વૃક્ષોના છોડ વાવી મ્યુઝિયમ ઓફ ટ્રી ઉભુ કરવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય માવજતના અભાવે છોડ અને વૃક્ષો ઉગવાને બદલે સૂકાવા લાગ્યા.

Vadodara: બનાવવું હતું જંગલ, બની ગયો ઉકરડો ! અધિકારીઓનું અજ્ઞાન કરોડોમાં પડ્યું ! જંગલનો કેમ થયો ‘કચરો ?’
Vadodara Museum of Tree
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 7:46 AM
Share

વડોદરા (Vadodara) ના વડસરમાં નાગરિકોને વૃક્ષો, હરિયાળી અને સ્વચ્છ ઓક્સિજન મળે તે માટે શાસકોએ જંગલ (forest) બનાવવાનો એક નવો પ્રયોગ કર્યો, પણ લાખના બાર હજાર કરવા માટે જાણીતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) ના અધુરું જ્ઞાન ધરાવતા અધિકારીઓને કારણે જંગલમાં મંગલને બદલે હજારો વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. વડોદરા શહેરના વડસરમાં આવેલી ડંપિંગ સાઈટ ઉર્ફે ટ્રી મ્યુઝિયમ અને સાયકલ ટ્રેકની આ વાત છે. વડસરની આ વિશાળ જગ્યા આમ તો વિશ્વામિત્રી નદીની કોતર છે. પરંતુ નદીના ગણિત અને વિજ્ઞાનથી અજ્ઞાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ શહેરભરનો કચરો અહીં ઠાલવી આ જગ્યાની ભૂગોળ તો બદલી નાંખી, પરંતુ જળ, જમીન અને વાતાવરણ દૂષિત કરી નાખ્યુ. શહેરભરનો કચરો અહીં ઠાલવવામાં આવતા જમીન દૂષિત થતી ગઈ અને ભૂગર્ભ જળ પણ દૂષિત થયા.

કચરાનો ઢગલો ઊંચે જઈ રહ્યો હતો જેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે તેને સળગાવવા લાગતા વ્યાપક વાયુ પ્રદુષણ થવા લાગ્યું. જેને કારણે આસપાસની સોસાયટીઓના રહીશો પરેશાન થતાં વ્યાપક વિરોધ થયો. વર્ષ 2018માં તે સમયના શાસકો દ્વારા આ ડંપિંગ સાઈટ હટાવી અહીં 8 હજારથી વધુ વૃક્ષોના છોડ વાવી મ્યુઝિયમ ઓફ ટ્રી ઉભુ કરવામાં આવ્યું. પરંતુ યોગ્ય માવજતના અભાવે છોડ અને વૃક્ષો ઉગવાને બદલે સૂકાવા લાગ્યા. હાલ 5 હજાર જેટલા વૃક્ષો છે જે પણ મારવાના વાંકે જીવી રહ્યા છે.

4 વર્ષના ગાળામાં આ વૃક્ષો જે કદમાં વિકસવા વિસ્તરવા જોઈએ તે નથી થયા. પર્યાવરણવિદો કહી રહ્યા છે કે વૃક્ષો વાવવા માટે આ જગ્યા જ ખોટી પસંદ કરવામાં આવી છે. જ્યાં કચરો અને પ્લાસ્ટિક વર્ષો સુધી દટાયેલું રહ્યું હોય તેવી જમીનની ફળદ્રુપતા જ નષ્ટ થઇ ગઇ હોવાથી ત્યાં વૃક્ષો કેવી રીતે ઉછરી શકે ? પર્યાવરણવાદી અને કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમી રાવત કહે છે કે વૃક્ષોના છોડ વાવતા પૂર્વે જમીનની ટ્રીટમેન્ટ કરી હોત તો આજે આ પરિસ્થિતિ ના હોત.

વૃક્ષો ઉછેરવા માટેની આ જગ્યા જ નથી છતાં અહીં જો વૃક્ષોનું મ્યુઝિયમ બનાવ્યું તો તેના રખેવાળી માટે તાલીમબદ્ધ નિપુણ પૂરતો સ્ટાફ મુકવો જરૂરી હતો. તો જ તેનું સંપૂર્ણ સુપર વિઝન થાય અને આ જંગલ ખુશનુમા અને મંગલ થઈ શકે પરંતુ અફસોસ કે એવું કંઈ જ નથી કરાયું.

આ પણ વાંચોઃ Bhavnagar : કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓ પર પણ વરસ્યા

આ પણ વાંચોઃ  Ahmedabad : ગરમી સાથે જ પાણીજન્ય રોગચાળો વકર્યો, સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ ઉમટ્યા

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">