વડોદરા: અરવિંદ કેજરીવાલનું ‘આદિવાસી કાર્ડ’ અપાયા અનેક વચનો, કહ્યુ ચૂંટણીમાં ખરી લડાઈ ભાજપ-આપ વચ્ચે- કોંગ્રેસ તો ચિત્રમાં પણ નથી

Vadodara: પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે અરવિંદ કેજરીવાલે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરી. જેમા તેમણે વાયદાઓને પટારો ખોલીને રાખી દીધો હતો. આ તકે તેમણે આદિવાસીઓને પોતાના તરફ કરવા પેસા કાનુનનો (PESA Act) અમલ કરવાનુ વચન આપ્યુ અને બંધારણના 5 શેડ્યુલને પણ લાગુ કરવાની ખાતરી આપી.

વડોદરા: અરવિંદ કેજરીવાલનું 'આદિવાસી કાર્ડ' અપાયા અનેક વચનો, કહ્યુ ચૂંટણીમાં ખરી લડાઈ ભાજપ-આપ વચ્ચે- કોંગ્રેસ તો ચિત્રમાં પણ નથી
અરવિંદ કેજરીવાલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 1:20 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. શનિવારે તેમણે જામનગરમાં વેપારી એસોસિએશન સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ આજે રવિવારે તેઓ વડોદરા(Vadodara) પહોંચ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી અને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યુ કે મારી વેપારીઓ સાથેની મુલાકાતમાં જાણવા મળ્યુ કે વેપારીઓને ગુજરાતમાં ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. મારી મિટિંગમાં આવતા તેમને રોકવામાં આવે છે. આ તકે કેજરીવાલે કહ્યુ કે હું કોઈ આતંકવાદી તો નથી, હું તો સજ્જન વ્યક્તિ છુ. મારી મિટિંગમાં આવવાથી કોઈને શું આપત્તિ હોય? તેમણે ભાજપ(BJP) સરકાર પર ચાબખા મારતા પ્રહાર કર્યો કે વેપારીઓને દરેક રીતે ડરાવવામાં આવે છે. આ ડર દૂર કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે વેપારીઓએ આપણા દેશના વિકાસમાં મોટુ યોગદાન આપ્યુ છે. ગુજરાતના અનેક વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સમગ્ર વિશ્વમાં નામના મેળવા ચુક્યા છે. તેમણે દેશનું નામ રોશન કર્યુ છે. તેમને આ રીતે ડરાવવા, ધમકાવવા, અપમાનિત કરવા, ઉદ્ધતાઈથી વાત કરવી એ યોગ્ય નથી.

‘ગુજરાતમાં રેડ રાજ બંધ કરીશુ’ -કેજરીવાલ

આ તકે કેજરીવાલે જણાવ્યુ કે અમે વેપારીઓનો ડરનો માહોલ દૂર કરશુ, તેમને સન્માન આપશુ અને રેડ રાજ બંધ કરી દઈશું તેમણે કહ્યુ કે દિલ્હીમાં રેડ બંધ થઈ ગઈ છે. GST માટે પણ કોઈ રેડ કરાતી નથી. વેપારીઓ પર વિશ્વાસ મુકી તેમને કામ કરવાની તક આપશુ અને. ભ્રષ્ટાચારને દૂર કરશુ. કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે ગુજરાતમાં અમે VATમાં એમ્નેસ્ટી સ્કીમ લઈને આવશું, એમના જે જૂના કેસ ચાલી રહ્યા છે એ કેસનો નિવેડો લાવવા માટે તેમને સમય આપવામાં આવશે. વેટના જેટલા પેન્ડિંગ રિફન્ડ છે તે 6 મહિનામાં જાહેર કરશુ અને ગુજરાતના વિકાસમાં વેપારીઓને પાર્ટનર બનાવશુ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કેજરીવાલ રમ્યા આદિવાસી કાર્ડ

વધુમાં કેજરીવાલે ઉમેર્યુ કે આદિવાસી સમાજ માટે અમે ગેરન્ટી આપવા જઈ રહ્યા છીએ. આઝાદીના 75 વર્ષ બાદ પણ આદિવાસી સમાજ પછાત રહી ગયો છે. તેમનુ માત્ર શોષણ જ કરવામાં આવ્યુ છે. દરેકે આદિવાસીઓનુ શોષણ કર્યુ છે. તેમણે કહ્યુ કે આદિવાસી સમાજ માટે બંધારણમાં અલગ વ્યવસ્થા છે. પરંતુ અત્યાર સુધીની કોઈ સરકારોએ એ અલગ વ્યવસ્થાને લાગુ કરી નથી. કારણ કે તમામ સરકારોની નજર આદિવાસીઓની જમીન, જંગલ અને જળ પર જ રહે છે. દરેક સરકારોએ આદિવાસીઓને લૂંટવાનું કામ કર્યુ છે. કેજરીવાલે કહ્યુ કે ગુજરાતમાં અમારી સરકાર બનશે તો પહેલી ગેરંટી આદિવાસી સમાજને આપવામાં આવશે, જેમા બંધારણના 5માં શેડ્યુલમાં આદિવાસીઓ માટે જે અલગ વ્યવસ્થા કરાઈ છે તેને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. પેસા કાનુન જે આદિવાસીઓ માટે બનાવવામાં આવ્યો છે તેને લાગુ કરવામાં આવશે. પેસા કાનુનમાં (PESA Act) ગ્રામસભાની જોગવાઈ છે, જેમા ગ્રામસભાની મંજૂરી વિના આદિવાસીઓ સામે કોઈ એક્શન કોઈ સરકારને લેવાનો અધિકાર નથી આ કાયદાને કડકાઈપૂર્વક લાગુ કરવામાં આવશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">