AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: સફાઇકર્મીને 16 કરોડની નોટિસથી પરિવાર મૂકાયો ચિંતામાં, સફાઇકર્મી હવે કાયદાની શરણે

16 કરોડની નોટિસ મળ્યા બાદ શાંતિલાલના જીવનમાં અશાંતિએ ઘર માડ્યું છે અને પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. શાંતિલાલ અને તેમની પત્નીનો દાવો છે કે નોટિસ ફટકારનાર બેંકમાં તેમનું ખાતુ નથી, કે નથી કદી તેઓએ આ બેંકની લોન લીધી તો પછી 16 કરોડ બાકી લોનની નોટિસ કેમ ફટકારવામાં આવી..?

Vadodara: સફાઇકર્મીને 16 કરોડની નોટિસથી પરિવાર મૂકાયો ચિંતામાં, સફાઇકર્મી હવે કાયદાની શરણે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 8:21 PM
Share

વડોદરામાં કોર્પોરેશનના એક સફાઇકર્મીને એક કે બે હજાર નહીં પરંતુ રૂપિયા 16 કરોડની લોન ભરપાઇ કરવાની નોટિસ મળી છે. જે બેંકમાં આપનું ખાતું ન હોય, જે બેંકમાંથી કદી આપે એક પણ રૂપિયાની લોન ન લીધી હોય અને આવી જ કોઇ બેંકમાંથી જો આપને કરોડોની બાકી લોન ભરપાઇ કરવાની નોટિસ મળે તો? કંઇક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે

સમગ્ર ઘટના પર નજર કરીએ તો, વડોદરાના વોર્ડ નંબર 12માં સફાઇકર્મી તરીકે ફરજ બજાવતા શાંતિલાલ સોલંકીને રાષ્ટ્રીયકૃત બેંકે 16 કરોડની લોન ચૂકવવા આદેશ કર્યો છે. વડોદરા શહેર મામલતદાર દ્વારા શાંતિલાલ સોલંકીને રાષ્ટ્રીયકૃત બેંકે નોટિસ ફટકારી છે. આ નોટિસમાં ફરમાન કરાયું છે કે જો 4 મે સુધી જો લોન ભરપાઇ નહીં કરાય તો તેમનું 5 લાખની કિંમતનું મકાન જપ્ત કરી લેવાશે.

આ પણ વાંચો: Breaking news: બાવળા નેશનલ હાઇવે ઉપર કલરની કંપનીમાં ભીષણ આગ, આગ ઓલવવા ફાયર રોબોની પણ લેવાઇ રહી છે મદદ

16 કરોડની નોટિસ મળ્યા બાદ શાંતિલાલના જીવનમાં અશાંતિએ ઘર માડ્યું છે અને પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. શાંતિલાલ અને તેમની પત્નીનો દાવો છે કે નોટિસ ફટકારનાર બેંકમાં તેમનું ખાતુ નથી, કે નથી કદી તેઓએ આ બેંકની લોન લીધી તો પછી 16 કરોડ બાકી લોનની નોટિસ કેમ ફટકારવામાં આવી..?

બેંક સામે ઉઠ્યા છે અનેક સવાલો

જોકે અહીં સવાલ એ સર્જાય કે શું કોઇ બેંક સફાઇકર્મીને કરોડો રૂપિયાની લોન આપે? શું કોઇ બેંક ગ્રાહકની તપાસ કર્યા વગર જ કરોડોની લોન આપી શક? જે વ્યક્તિના નામે મિલ્કત જ ન હોય શું તેને બેંક નોટિસ ફટકારી શકે? શું બાકી લોન વસૂલી મુદ્દે રાષ્ટ્રીયકૃત બેંકની કોઇ ભૂલ થઇ છે? કેમ એક સામાન્ય સફાઇકર્મીને કરોડોની લોનની નોટિસ ફટકારવામાં આવી? હાલ આ સમગ્ર મામલે શાંતિલાલે કાયદાનો સહારો લેવાનો નિર્ણય કર્યો છે અને જાણીતા ધારાશાસ્ત્રીની મદદ લીધી છે. વકીલ ખુદ આ નોટિસ જોઇને આશ્ચર્યમાં મુકાયા છે.. અને બેંક વિરૂદ્ધ કાર્યવાહીની વાત કરી રહ્યા છે.

અધધ રૂપિયાની નોટિસથી પરિવાર ચિંતામાં મૂકાયો

16 કરોડની નોટિસથી પરિવાર ચિંતામાં મૂકાયો છે. તો વકીલે કાયદાની બાબત સાથે કરીને માનહાનીના દાવાની વાત કરી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે 16 કરોડની નોટિસ પાછળનું રહસ્ય શું છે? શું આ કોઇ ટેક્નિકલ એરર છે કે પછી કોઇ માનવીય ભૂલ. જોવાનું એ રહે છે કે 16 કરોડની નોટિસના રહસ્ય પરથી ક્યારે પડદો ઉચકાય છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
g clip-path="url(#clip0_868_265)">