Vadodara : સ્વીટી પટેલના ભાઇએ એસીબી સમક્ષ અજય દેસાઇના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માંગ કરી

તેમણે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે પીઆઇ અજય દેસાઇની કંપાસ કાર ગિફ્ટમાં અપાઇ હતી તો એ મુદ્દે તથા તેમની બહેન અને અજયની પત્ની પૂજાનું ઉપરાંત અજયના અમદાવાદના મકાનની તપાસ કરવામાં આવે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:23 PM

કરજણના ચકચારી સ્વીટી પટેલ(Sweety Patel)કેસના આરોપી પીઆઇ અજય દેસાઇની આવક તથા મિલકતો તથા કિરીટસિંહ જાડેજા સહિતના અન્ય લોકો સાથેના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માટે સ્વીટી પટેલના ભાઇ જયદીપ પટેલે એસીબી(ACB)સમક્ષ માંગ કરી છે.

તેમણે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે પીઆઇ અજય દેસાઇની કંપાસ કાર ગિફ્ટમાં અપાઇ હતી તો એ મુદ્દે તથા તેમની બહેન અને અજયની પત્ની પૂજાનું ઉપરાંત અજયના અમદાવાદના મકાનની તપાસ કરવામાં આવે. પીઆઇની મિલકત આવક કરતાં વધુ હોવાનું જણાવી તપાસ કરવાની  માંગ  કરાઈ છે.

 

સ્વીટી પટેલના ભાઇ જયદીપ પટેલે એસીબીના ડિરેકટરને પત્ર લખીને માગ કરી છે કે, તેમની બહેન સ્વીટીનાં બેંક ખાતા અને લોકરની તપાસ કરાય એ જરુરી છે. બહેનની લાશને સગેવગે કરવા જે કાળા રંગની કંપાસ જીપકારને અજય દેસાઇએ તેમની બહેનને બર્થ ડે ગિફ્ટ તરીકે આપી હતી એવું જે-તે સમયે તેમની બહેને તેમને જણાવ્યું હતું, જેથી આ કારની તપાસ કરવામાં આવે.

આ ઉપરાંત સહ આરોપી કિરીટસિંહ જાડેજા તથા અન્ય લોકો જોડે અજય દેસાઇના આર્થિક વ્યવહારો, રોકાણ અંગે તપાસ કરાય તથા તેમની બહેનનું અને અજયની પત્ની પૂજાનું ઘર તથા અમદાવાદના અજયના ઘર, અન્ય મિલકતોની તપાસ કરાય. અજય દેસાઇની મિલકતો તેની આવક કરતાં વધુ હોવાથી તપાસ કરવી જરૂરી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનથી ઉડીને આવેલું શંકાસ્પદ કબૂતર ઝડપાયું, તેના પગ અને પાંખ પર મોબાઈલ નંબર લખેલો જોવા મળ્યો

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : સંજીવ અને એશ્વર્ય ન લગાવી શક્યા ફાઇનલના ટિકિટ પર નિશાનો, શૂટિંગમાં મેડલની આશા સમાપ્ત

Follow Us:
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">