Vadodara: તરસાલીમાં સેવાતીર્થ આશ્રમનો સ્લેબ તૂટતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત, બે મહિલા ઇજાગ્રસ્ત

સેવાતીર્થ આશ્રમમાં માનસિક અસ્વસ્થ લોકોની પણ સેવા કરવામાં આવે છે. આજે આ આશ્રમની છત તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી. દરમિયાન લોકોને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી ગયા હતા. ત્રણ મહિલાઓ દટાઇ હોવાની જાણ થતાં બચાવ કામગીરી શરૂ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 6:47 PM

વડોદરા (Vadodara) ના તરસાલી (Tarsali) વિસ્તારમાં બાયપાસ પાસે આવેલા સેવાતિર્થ આશ્રમ (Sevatirtha Ashram) ખાતે છતનો પોપડો ધરાશાયી થઇ જતાં ત્રણ મહિલાઓ (Women) ઈજાગ્રસ્ત થઈ હતી. જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ (Hospital) માં ખસેડવામાં આવી હતી. જે પૈકી ગંભીર રીતે ઇજા પામેલી એક મહિલાનું ટૂકી સારવાર દરમિયાન મોત થયું હતું.

સેવાતીર્થ આશ્રમમાં ગૌશાળા આવેલી છે તેમજ માનસિક અસ્વસ્થ લોકોની પણ સેવા કરવામાં આવે છે. આજે સવારે આ આશ્રમની છત તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી. દરમિયાન લોકોને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી ગયા હતા. લોકોને ત્રણ મહિલાઓ દટાઇ હોવાની જાણ થતાં બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ ઘટનામાં જયશ્રીબેન ઠક્કર, ભદ્રાબેન જોશી તેમજ ઇલાબેન ઠક્કર પર કાટમાળ પડવાથી તેમને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભદ્રાબેન જોશીનું ટૂકી સારવાર દરમિયાન મોત થયું હતું. મહિલાના મોતને પગલે વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ પટેલ તેમજ પોલીસ સ્ટાફના જવાનોએ સ્થળની મુલાકાત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ હરિધામ સોખડા મંદિરમાં ફરી વિવાદ, સરલ સ્વામીની ઓડિયો ક્લિપમાં કહેવાયું કે સંતોની હાજરીમાં પ્રબોધ સ્વામીએ મારી માફી માગી છે, સંતોએ નિવેદન આપ્યું કે આવું થયું જ નથી

આ પણ વાંચોઃ Mehsana: ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો, ગુંજા ગામે વિપુલ ચૌધરીના અને બોરીયાવીમાં અશોક ચૌધરીના સમર્થનમાં સંમેલન

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">