Narmada: કરજણ ડેમમાંથી પાણી છોડાતા હજરપુરા ગામમાં 500 એકર ખેતીમાં નુકસાન

ઉપરવાસ ગણાતા સાગબારા અને ડેડીયાપાડામાં 21 ઇંચ જેટલો વરસાદ થતાં કરજણ ડેમમાંથી અઢીલાખ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાવામાં આવ્યુ હતું.

Narmada: કરજણ ડેમમાંથી પાણી છોડાતા હજરપુરા ગામમાં 500 એકર ખેતીમાં નુકસાન
banana crop damage
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 2:47 PM

કરજણ ડેમ (Karajan dam) ના ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પાડવાના કારણે અઢી લાખ ક્યુસેક પાણી (Water) નદીમાં છોડવામાં આવ્યું હતું. પાણી છોડાતા નદી કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. ખેતરોમાં પાણી ફરી વળતાં ખેતીમાં કરોડોનું નુકસાન થયુ છે. હાલ આ પાણી ઓસરી જતાં ખેડૂતોએ ખેતરની મુલાકાત લીધી હતી અને કેટલુ નુકસાન થયુ છે તેનો તાગ મેળવ્યો હતો.

ઉપરવાસ ગણાતા સાગબારા અને ડેડીયાપાડામાં 21 ઇંચ જેટલો વરસાદ થતાં કરજણ ડેમમાંથી અઢીલાખ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાવામાં આવ્યુ હતું. નાંદોદ તાલુકાના 5 ગામોમાં ખેતીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. હજરપુરા ગામમાં 500 એકર ખેતીમાં પારાવાર નુકસાન થયુ છે. કરજણ ડેમમાંથી છોડાયેલું પાણી આસપાસના નાંદોદ તાલુકાના 5થી 10 ગામના ખેતરમાં ઘુસી જતા હજારો એકર કેળનો પાક નષ્ટ થયો હતો. જેને પગલે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અગાઉની ચોમાસાની સીઝનમાં કરજણ ડેમનું પાણી ખેતરમાં ભરાઈ જતાં એ નુકસાનીનું વળતર હજુ સુધી મળ્યુ નથી. તો આ વખતની નુકસાનીનું વળતર ક્યારે મળશે.

નાંદોદ તાલુકાના ખેડૂતોએ રોષ સાથે જણાવ્યું હતું કે કરજણ ડેમના અધિકારીઓ અચાનક વધુ પાણી છોડે અને તરત પાણી બંધ કરી દે છે. અધિકારીઓના આવા મનસ્વી વહીવટને લીધે કાંઠા વિસ્તારના ગામોના ખેતરમાં પાણી ભરાઈ જતાં પાકને નુકસાન થાય છે. હાલમાં અમારા ખેતરની ફેન્સિંગ તૂટી ગઈ છે. મોટરો બળી ગઈ છે અને સિંચાઈનો સામાન તણાઈ ગયો છે. જેથી મનસ્વી વહીવટ કરતા કરજણ ડેમના અધિકારીઓને છૂટા કરી અમારી નુકસાનીનું યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે.

આ પણ વાંચો

હજરપુરા ગામમાં છેલ્લા 3 વર્ષથી નર્મદા અને કરજણ ડેમના પાણી ખેતરોમાં ફરી વળે છે. જોકે તંત્ર દ્વારા નુકસાન બાબતે સર્વે કરવામાં આવે છે, પણ અત્યાર સુધી વળતર ચુકવાયું નથી અને આ વર્ષે ફરી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેળા, શેરડી, શાકભાજી જેવા પાકોમાં પાણી ફરી વળતા નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નાંદોદ તાલુકામાં હજરપુરા સહિત આજુબાજુના ગામમાં કુલ 600 એકર જમીનમાં નુકસાન છે. ત્યારે કેળના પાકમાં થયેલા કરોડોના નુકસાનનું ભરપાઈ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાયા હતા. તે સમયે માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ પણ મુલાકાત કરી. ખેડૂતોને વહેલુ વળતર મળે તેવી ખાતરી પણ આપી છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">