AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : બરાનપુરામાં દરિયાઇ જીવની તસ્કરી ઝડપાઇ, વન વિભાગે દરોડા પાડતા કાચબા સહિત 23 દરિયાઈ જીવ મળી આવ્યાં

Vadodara News : છેલ્લા ઘણા સમયથી ધરમસિંહ નામનો શખ્સ દરિયાઇ જીવની તસ્કરી કરતો હોવાની ફરિયાદ હતી. જેને લઇ બરાનપુરામાં વન વિભાગની ટીમે ધરમસિંહ રાણાના ઘરે દરોડા પાડ્યાં હતા.

Vadodara : બરાનપુરામાં દરિયાઇ જીવની તસ્કરી ઝડપાઇ, વન વિભાગે દરોડા પાડતા કાચબા સહિત 23 દરિયાઈ જીવ મળી આવ્યાં
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 12:46 PM
Share

વડોદરામાં (Vadodara) દરિયાઇ જીવની તસ્કરીનો પર્દાફાશ થયો છે. બાતમીને આધારે વન વિભાગની ટીમે 23 દરિયાઇ જીવ જપ્ત કર્યા છે. બરાનપુરામાં દરિયાઇ જીવની તસ્કરી થતી હોવાની વન વિભાગની ટીમને બાતમી મળી હતી. છેલ્લા ઘણા સમયથી ધરમસિંહ નામનો શખ્સ દરિયાઇ જીવની તસ્કરી કરતો હોવાની ફરિયાદ હતી. જેને લઇ બરાનપુરામાં વન વિભાગની ટીમે ધરમસિંહ રાણાના ઘરે દરોડા પાડ્યાં હતા અને તપાસ કરતા ઘરમાંથી કાચબા અને અન્ય 23 દરિયાઇ જીવ મળી આવ્યાં હતા.

આ પણ વાંચો- Bhavnagar : નારી સંરક્ષણ ગૃહની એક અનોખી પહેલ, પાલક પિતા બની આશ્રિત દીકરીના કરાવ્યા લગ્ન

ધરમસિંહ રાણા સામે ગુનો નોંધાયો

પોલીસે દરોડા પાડતા બે કાચબા સાથે કેમિકલમાં મુકેલા દરિયાઇ જીવ પણ મળી આવ્યા હતા. હાલ પોલીસે દરિયાઇ જીવનો કબજો મળેવી ધરમસિંહ રાણા સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ દરિયાઇ જીવો મળી આવ્યા હતા

વન વિભાગે ધરમસિંહ રાણાના ઘરમાં દરોડો પાડી તપાસ કરતા બે જમીન ઉપરના કાચબા મળી આવ્યા હતા. તે સાથે કેમિકલમાં રાખવામાં આવેલા દરિયાઇ ઘોડા, દરિયાઇ કોરલ, જેલી ફિશ, વાત ફિશ, ક્રેબ, સ્ટાર ફિશ, ફ્રોગ, ઓક્ટોપસ, મીની શાર્ક, વગેરે મળી આવ્યા હતા. જે તમામ કબ્જે કરવામાં આવ્યા છે અને આ પ્રતિબંધિત જીવો રાખનાર ધરમસિંહ રાણા સામે ગુજરાત વન વિભાગ દ્વારા વન્ય જીવ અધિનિયમ-1972 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ત્યારે હવે ધરમસિંહ રાણા આ જીવો ક્યાંથી લાવ્યા હતા, ક્યારે લાવ્યા હતા અને શા માટે લાવ્યા હતા? તે અંગેની તપાસ કરવામાં આવશે. તે બાદ તેની સામે વધુ કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">