AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ બે વર્ષે ઘરે પરત ફર્યો ! જાણો શું છે તેના મોત અને ફરી જીવિત થવા પાછળનું રહસ્ય

Vadodara News : 2 વર્ષ પહેલા કમલેશને કોરોના થયા બાદ તેના પરિવારને અચાનક એક ફોન આવ્યો હતો. આ ફોનમાં કમલેશના પરિવારને કહેવામાં આવ્યું કે કમલેશનું કોરોનાના કારણે મોત થઈ ગયું છે.

કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ બે વર્ષે ઘરે પરત ફર્યો ! જાણો શું છે તેના મોત અને ફરી જીવિત થવા પાછળનું રહસ્ય
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 5:29 PM
Share

કોરોનાકાળમાં અનેક લોકોએ જીવન ગુમાવ્યુ છે. કોરોનાકાળમાં અનેક ઘર ઉજળ્યા છે. અનેક પરિવાર વિખરાઇ ગયા છે. જો કે અમે તમને એક એવી ઘટના જણાવવાના છે કે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો. જે વ્યક્તિનું બે વર્ષ પહેલા કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. તે વ્યક્તિ ફરી જીવતો ઘરે પાછો આવ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કમલેશ પાટીદાર ગુજરાતના વડોદરા જિલ્લામાં કામ કરતા હતા. જો કે બે વર્ષ પહેલા કોરોનાના કારણે મૃત્યુ થયાનું સામે આવ્યુ હતુ. જો કે હવે બે વર્ષ બાદ તે અચાનક ઘરે પરત ફર્યો છે.

આ પણ વાંચો-Ahmedabad : ઈન્ટરવ્યુના કાગળ બચાવવા જતાં યુવકનો ગયો જીવ, છરીના 3 ઘા મારી કરી હત્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે કમલેશ પાટીદાર બે વર્ષ બાદ પોતાના ઘરે પહોંચ્યા છે. પરિવારજનોએ તેને જીવતો જોયો તો બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કોરોનાની બીજી વેવ વખતે (2021)માં કમલેશની તબિયત ઘણી બગડી હતી. તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ કમલેશને કોરોના દર્દી હોવાનું જણાવ્યું હતું.

વડોદરામાં જ અંતિમ સંસ્કાર કર્યા

2 વર્ષ પહેલા કમલેશને કોરોના થયા બાદ તેના પરિવારને અચાનક એક ફોન આવ્યો હતો. આ ફોનમાં કમલેશના પરિવારને કહેવામાં આવ્યું કે કમલેશનું કોરોનાના કારણે મોત થઈ ગયું છે. આ શબ્દો સાંભળતા જ કમલેશના પરિવાર પર આભ તૂટી પડ્યું. કમલેશના પરિવારને કહેવામાં આવ્યું કે અમે આપના પુત્રના અંતિમ સંસ્કાર કરીએ છીએ. પરિવારને દૂરથી મૃતદેહ દેખાડવામાં આવ્યો હતો. જે પછી પરિવારે સ્વિકાર કરી લીધો કે કમલેશ દૂનિયાને અલવિદા કહી ચૂક્યો છે.

બે વર્ષથી એક ટોળકીના સકંજામાં હતો કમલેશ

બે વર્ષ બાદ અચાનક કમલેશના મામાના ઘરે સવારે ડોરબેલ વાગ્યો. બે વર્ષ પહેલા જેનો મૃતદેહ જોયો હતો તેને દરવાજો ખોલતા જ સામે જોતા સૌ કોઇ આશ્ચર્યમાં મુકાયો હતો. કમલેશને જોઈ પરિવારની ખુશીનો પાર ન રહ્યો. પરિવારજનો તેમને મળવા પહોંચ્યા હતા. બે વર્ષ બાદ ઘરે પરત ફરેલા કમલેશે પરિવારજનોને કહ્યું કે, છેલ્લા બે વર્ષથી તે ગુજરાતમાં એક ટોળકીના સકંજામાં ફસાયો હતો. ત્યાં તેને હેરાન કરવામાં આવી રહ્યો હતો. થોડા દિવસ પહેલા તે મોકો શોધી ત્યાંથી ભાગવામાં સફળ થયો. સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
g clip-path="url(#clip0_868_265)">