AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haridham Sokhada: 17 જાન્યુઆરીનો મહિલા હરિભક્તોનો વીડિયો વાઇરલ, હજુ એક વીકેટ પડવાનો અને ગુણાતીતને મારી નાખવાનો ઉલ્લેખ

ગુણતીત સ્વામીની હત્યાનો અગાઉથી જ પ્લાન થયો હોવાની શક્યતાની ચર્ચાને આ વીડિયોના કારણે હવા મળી રહી છે. શું આ એક વિકેટ કદાચ ગુણાતીત સ્વામીની તો નહીં હોય ને? તેવા સવાલ થઈ રહ્યા છે.

Haridham Sokhada: 17 જાન્યુઆરીનો મહિલા હરિભક્તોનો વીડિયો વાઇરલ, હજુ એક વીકેટ પડવાનો અને ગુણાતીતને મારી નાખવાનો ઉલ્લેખ
Haridham Sokhada: Video viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 2:28 PM
Share

વડોદરા હરિધામ સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના રહશ્યમય મોતનો કેસમાં નવો ખુલાસો થયો છે. અગાઉ 17 જાન્યુઆરીએ જયંત દવે અને મહિલા હરિ ભક્તો વચ્ચેનો વીડિયો વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોમાં એક વિકેટ પડી છે અને હજુ એક બાકી છે તેવો ઉલ્લેખ થયો હતો. ચાર માસ બાદ વાઇરલ વીડિયોમાં થયેલ સંવાદ સાચો પડ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે. ગુણતીત સ્વામીની હત્યાનો અગાઉથી જ પ્લાન થયો હોવાની શક્યતાની ચર્ચાને આ વીડિયોના કારણે હવા મળી રહી છે. શું આ એક વિકેટ કદાચ ગુણાતીત સ્વામીની તો નહીં હોય ને? તેવા સવાલ થઈ રહ્યા છે. હરિ ભક્તોના આવા પ્રશ્ન અંગે વડોદરા ગ્રામ્ય પોલીસ તપાસ કરશે કે કેમ તેના પર પણ સવાલ છે.

વાયરલ વીડિયોના અંશ

મહિલા હરિભક્ત – દવેભાઇ આવું કરવાનું કારણ શું ? ગુણાતીત, ગુણાતીત, ગુણાતીત. બસ જુઠ્ઠું

મહિલા હરિભક્ત – બે ગાદી નહીં થાય. મારી નાખીશું ગુણાતીતને પણ બે ગાદી તો નહીં થાય, બાપ એક જ હોય અને એક જ રહેશે

મહિલા હરિભક્ત – કોઇ એક મા અને બે બાપ ન હોય, કોઇ પત્નીના બે પતિ ન હોય, અહીં હશે, અમારે નથી હોતું. એટલે અમને ખોટું ન શીખવાડતા. આવ્યા મોટા શીખવાડવા વાળા ગુણાતીત.

મહિલા હરિભક્ત – શું આ બધા પ્રદેશમાંથી જશે. ગુરૂપ્રસાદ, સર્વમંગલ સ્વામી, બ્રહ્મવિહારી એ બધા જશે, કાઢશો તમે, તો અમે જતા રહીએ. અત્યારે કાઢો ચાલો અમે હમણાં ઉભા થઇ જઇએ, નહીં કાઢો. તમે અશોકભાઇને કાઢશો. બધાને તમે પ્રદેશ ખાલી કરાવશો. સ્વામીજી ખરાબ કામ કરતા હોય તો કાઢવા પણ પડે. એ સ્વામીજી ધામમાં ગયા છે. એક વિકેટ ગઇ હવે બીજી પડશે એવુ કે છે. અને સ્વામીના મોતને વિકેટ કહે છે. શાસ્ત્રી સ્વામી ધામમાં ગયા તો કે વિકેટ ગઇ.

ઉલ્લેખનીય છે તે ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસની તપાસ કરજણ CPIને સોંપવામાં આવી છે અને હવે ગુણાતીત સ્વામીના આપઘાત કેસની તપાસ કરજણના CPI આર.એન.રાઠવા કરશે. મહત્વપૂર્ણ છે કે ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ આ મહત્વનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ આજે ચૈત્ર માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ હોવાથી સોમનાથ ત્રિવેણી સંગમ અને કરનાળીમાં લોકો ઉમટી પડ્યા

આ પણ વાંચોઃ Surat: કામરેજ નજીકના ગામમાં 140 કિલો લીંબુની ચોરી, લીંબુની કિંમત આશરે 35 હજાર રુપિયા

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">