AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે ચૈત્ર માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ હોવાથી સોમનાથ ત્રિવેણી સંગમ અને કરનાળીમાં લોકો ઉમટી પડ્યા

લોકો હાલના સંજોગોમાં રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ચોથી લહેરની આશંકા વચ્ચે હવે ચોથી લહેરના આવે અને લોકોનું આરોગ્ય સારું રહે તે માટે પિતૃ દેવતાઓ સાથે ભગવાનને પણ પ્રાર્થના કરી હતી.

આજે ચૈત્ર માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ હોવાથી સોમનાથ ત્રિવેણી સંગમ અને કરનાળીમાં લોકો ઉમટી પડ્યા
Triveni Sangam (Somnath)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 1:42 PM
Share

આજે ચૈત્ર માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ () હોય દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરો (Tample) માં પહોંચી રહ્યાં છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે સોમનાથ (Somnath) માં આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે ભારે માત્રામાં પિતૃતર્પણ માટે ભાવિકો ઉમટયા છે. મૃત આત્માઓને મોક્ષ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. આ સાથે પ્રાંચી ખાતે મોક્ષ પીપળાને પાણી રેડવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ડભોઇ તાલુકાના કરનળી ગામ ખાતે નર્મદા નદીના કિનારે ભવ્ય અને પૌરાણીક તેમજ પ્રખ્યાત કુબેરભંડારી (Kuber Bhandari) મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને કારણે લોકો પિતૃતર્પણ માટે પણ આવી નહોતા શક્યા ત્યારે આજે ચૈત્રી અમાસ અને શનિવાર હોય જેને કારણે ત્રિવેણી સંગમ પર ભારે માત્રામાં ભાવિકો ઉમટયા હતા લોકો પોતાના સ્વજનો કે જે કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા હતા તેમની સદગતિ થાય તેમના આત્માને શાંતિ મળે તે માટે ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા

પ્રાંચીમાં પણ આજે ભારે માત્રામાં ભાવિકો પીપળાને પાણી પીવડાવવા માટે હાથમાં પાણી લઈ કતારો માં ઉભા હતા. લોકો પોતાના સ્વજનોને સ્વજનોને મુક્તિ મળે સાથે કોરોના મહામારી નો જે લોકો ભોગ બન્યા છે અને તેમની પાછળ સંજોગોના કારણે પિતૃતર્પણ કરાવી નથી શક્યા તેવા તમામ પિતૃઓની મોક્ષ ગતિ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા.

લોકો હાલના સંજોગોમાં રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ચોથી લહેરની આશંકા વચ્ચે હવે ચોથી લહેરના આવે અને લોકોનું આરોગ્ય સારું રહે તે માટે પિતૃ દેવતાઓ સાથે ભગવાન સોમનાથને પણ પ્રાર્થના કરી રહ્યા હતા.

Today being the last day of Chaitra month and Saturday being Amas, people flocked to Triveni Sangam and Karnali

Karnali, Kuber Bhandari

ડભોઇ તાલુકાના કરનળી ગામ ખાતે નર્મદા નદીના કિનારે ભવ્ય અને પૌરાણીક તેમજ પ્રખ્યાત કુબેરભંડારી મંદિર આવેલ છે. આ મંદિર ખાતે અમાસના દર્શનનું ખૂબ મહત્વ હોય છે ત્યારે આજ રોજ પિતૃ પક્ષના ચૈત્ર માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ હોય દૂર દૂરથી ભક્તો આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ડભોઇ તાલુકાનું સુપ્રસિધ્ધ કુબેર ભંડારી ધામ નર્મદા નદીના કિનારે કરનાળી ગામ ખાતે આવેલું છે. બાજુમાં ખળ ખળ વહેતી નર્મદા નદી અને અતિ અલૌકિક ધામ કુબેર ભંડારી ખાતે અમાસ ભરવાનું અત્યંત મહત્વ હોય છે અમાસના દિવસે કુબેર ભંડારી મહાદેવના દર્શન કરી ભક્તો મનવાંછિત ફળની પ્રાપ્તી કરતાં હોવાની માન્યતા છે ત્યારે આજ રોજ કરનળી ખાતે ચૈત્ર માસ એટલે કે પિતૃ તર્પણ માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ હોય આ દિવસનું અત્યંત મહત્વ ભક્તોમાં છે ત્યારે અમાસના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.

વહેલી સવારથી જ કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટના સ્વયં સેવકો ભક્તોને દર્શન કરવા કામે લાગ્યા હતા જ્યારે કોઈને તકલીફ ના પડે ભોજન સહિત તમામ સુવિધાઓ પૂરી પાડી શકાય તે માટે ખાસ આયોજન કરવમાં આવ્યું હતું. નર્મદા નદીમાં સ્નાન કરી ભક્તો કુબેર ભંડારી મહાદેવને બિલી પત્ર, દૂધ, તલ, સહિત પૂજા સામગ્રીથી અભિષેક અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad: નરોડા GIDC ફાયર સ્ટેશન પાસે આલ્ફા મેટલ ઇન્ડસ્ટ્રીમાં આગ, એક વ્યક્તિનું દાઝી જવાથી મોત

આ પણ વાંચોઃ Vadodara: હરિધામ સોખડાના ગુણાતિત સ્વામીના અપમૃત્યુ કેસની તપાસ કરજણ CPIને સોંપવામાં આવી

Follow Us
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
g clip-path="url(#clip0_868_265)">