વડોદરાના (Vadodara) વિશ્વ વિખ્યાત ગરબા મહોત્સવમાં વિવાદ સર્જાયો છે. યુનાઇટેડ વેના (United way of baroda) ગરબામાં સતત બીજા દિવસે ખેલૈયાઓએ હોબાળો મચાવીને રોષ વ્યક્ત કર્યો હતો.જો કે હોબાળાને પગલે માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવ્યા હતા અને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું.ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતાં ગરબા બંધ કરવાનો વારો આવ્યો હતો. સ્ટેજ પાસે જ ખેલૈયાઓનું ટોળું વળી ગયું હતું. સતત અડધો કલાક સુધી હોબાળા બાદ ફરીથી ગરબા શરૂ થયા હતા.
તો બીજી બાજુ મુખ્ય કલાકાર અતુલ પુરોહિતે પણ શાંતિ જાળવવા અપીલ કરી હતી, તેમણે ત્રીજા દિવસે મેદાન સાફ કરાવવાની ખાતરી આપી હતી. બીજીબાજુ ગરબાના (Garba) આયોજનમાં વ્યવસ્થાનો અભાવ હોવાના મુદ્દે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ કરાઈ છે..તમને જણાવી દઈએ કે, ઈન્ટરવલ બાદ પગમાં પથ્થરો વાગતા ખૈલેયાઓએ હોબાળો મચાવ્યો હતો.તો ફૂડ કોર્ટ (Food court) તથા પાણીના સ્ટેન્ડમાં પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ખૈલાયાઓ રોષે ભરાયા હતા.
પ્રથમ નોરતે પણ ખેલૈયાઓએ પથ્થર -પથ્થરના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.તો આ મામલે ગઈકાલે ગ્રાહક સુરક્ષામાં પણ ખેલૈયાઓએ ફરિયાદ કરી હતી.વડોદરા શહેરમાં યોજાતા યુનાઇટેડ વેના ગરબા વિશ્વ વિખ્યાત છે.અહીં પાસનો ભાવ 5000 હોવા છતા ખૈલેયા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખૈલેયાઓએ વિરોધ (Protest) નોંધાવ્યો હતો.
Published On - 8:09 am, Wed, 28 September 22