Vadodara: હરિધામ સોખડામાં વધુ એક મોત, પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું

મહિલા સાથે રહેલાં રાજકોટના કાજલબેન રાજેન્દ્રભાઈ જડિયા અને હરિધામ સોખડાના સ્ટાફે પોલીસને આ અંગેની જાણ કરતાં તાલ્કાલિક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી હતી અને મૃતકની સાથે આવેલા લોકોની પુછપરછ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

Vadodara: હરિધામ સોખડામાં વધુ એક મોત, પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું
woman dies after falling from bed in Haridham Sokhada
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 1:53 PM

છેલ્લા કેટલાક સમયથી વારંવાર વિવાદમાં રહેતા હરિધામ સોખડામાં એક મહિલા સેવિકાનું પલંગ પરથી પડી જતાં મોત થયું છે. રાજકોનો સેવક પરિવાર ચાર-પાંચ દિવસ પહેલાં આત્મીય કોલોનીમાં આવીને રોકાયો હતો. દરમિયાન ગત રાત્રે આ બનાવ બનતાં તાલ્કાલિક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી હતી અને મૃતકની સાથે આવેલા લોકોની પુછપરછ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

હરિધામ સોખડામાં આત્મીય કોલોની ખાતે પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનો રાજકોટનો પરિવાર ચાર-પાંચ દિવસ પહેલાં રોકાવા આવ્યો હતો. દરરોજ સત્સંગમાં ભાગ લેતા આ પરિવાના 82 વર્ષીય મૃદુલાબેન જયેશ ભાઈ શાહ સાંજે લોખંડના પલંગ પર ઊંઘી ગયા બાદ રાત્રે 10 વાગ્યાના સુમારે ઉંઘમાં જ પલંગ પરથી નીચે પડી ગયાં હતાં. તેમને માથાના ભાગે તથા મોઢાના ભાગે ઇજા થતાં મોત થયું હતું. આથી મહિલા સાથે રહેલાં રાજકોટના કાજલબેન રાજેન્દ્રભાઈ જડિયા અને હરિધામ સોખડાના સ્ટાફે પોલીસને આ અંગેની જાણ કરતાં તાલ્કાલિક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી હતી અને મૃતકની સાથે આવેલા લોકોની પુછપરછ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે તો પલંગ પરથી પડવાના કારણે માથા અને મોઢાના ભાગે ઇજા થવાથી મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે પણ હરિધામ સોખડામાં અત્યારે વિવાદો ચાલી રહ્યા છે ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મૃતદેહનું સાયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા રવાના કરાયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દરમિયાન મૃતક મહિલા મૃદુલાબેનની દીકરી અને જમાઈ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયાં છે. પોસ્ટમોર્ટમ બાદ તેમને મૃતદેહ સોપવામાં આવશે. જોકે આ સાથે પોલીસે મૃદુલાબેનના પરિવારજનોની પુછપરછ કરીને તેમને કોઈ બીમારી હતી કે કેમ તે અંગેની પણ જાણકારી મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">