AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 15 થી 18 વર્ષના 69 હજાર કિશોરોના રસીકરણ માટે 203 કેન્દ્રો તૈયાર

VACCINATION IN VADODARA : જિલ્લાની નગર પાલિકાઓ અને ગામોમાં તરુણ રસીકરણની સરળતા માટે 203 જેટલાં કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

VADODARA : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 15 થી 18 વર્ષના 69 હજાર કિશોરોના રસીકરણ માટે 203 કેન્દ્રો તૈયાર
VACCINATION IN VADODARA
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 5:17 PM
Share

ત્રીજી જાન્યુઆરીએ 203  કેન્દ્રો ખાતે રસી આપીને કોરોના સામે તરુણોની સુરક્ષાનું અભિયાન શરૂ કરાશે

VADODARA : વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્રે તરુણ રસીકરણ (Vaccination for children) અભિયાનની પૂર્વ તૈયારી રૂપે રસી મેળવવાને પાત્ર તરૂણોની સંભવિત સંખ્યાનું સર્વેક્ષણ પૂરું કર્યું છે અને હાલમાં જિલ્લામાં રસીકરણના કેન્દ્રોની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.તા.3જી જાન્યુઆરી થી 15 થી 18 વર્ષની ઉંમરના તરુણોને કોરોનાથી બચાવવા રસી રક્ષિત કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.

જિલ્લાની નગર પાલિકાઓ અને ગામોમાં તરુણ રસીકરણની સરળતા માટે 203 જેટલાં કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે તરુણોને કોવેક્સીન (COVAXIN)નો ડોઝ આપવામાં આવશે.પ્રત્યેક રસી લેનારને 0.5ml નો ડોઝ આપવામાં આવશે જે વયસ્કો જેટલો જ છે.

હાલમાં આ રસીકરણ અભિયાનમાં સહયોગી શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને સંકલિત કામગીરીની તાલીમ આપવામાં આવી રહી છે.આજે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી તેમજ શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વિડિઓ કોન્ફરન્સ યોજીને સૂચિત આયોજનની સમીક્ષા કરી હતી.

જિલ્લા આરોગ્ય તંત્રના આયોજન પ્રમાણે તરુણ રસીકરણ માટેના કેન્દ્રો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, આંગણવાડીઓ, પ્રાથમિક અને પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રાખવામાં આવશે.સૌથી વધુ અર્બનમાં 3 સહિત પાદરા તાલુકામાં 39 અને સૌથી ઓછા શિનોર તાલુકામાં 10 તરુણ રસીકરણ કેન્દ્રો રહેશે.

જ્યારે વાઘોડિયા તાલુકામાં 3,નગર વિસ્તારમાં 4 સહિત ડભોઇ તાલુકામાં 33,સાવલી તાલુકામાં 30,વડોદરા તાલુકામાં 22,કરજણ તાલુકામાં 20 અને ડેસર તાલુકામાં 15 કેન્દ્રોની આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ખાસ કરીને વાલીઓને આ અભિયાનને ટેકો આપીને પોતાનો રસીને પાત્ર સંતાનોને રસી મુકાવવાની જાગૃતિ દાખવી સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો : RAJKOT : ઓમિક્રોન અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે જાણો AIIMSના ડાયરેક્ટરે શું કહ્યું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">