Breaking News : ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું,કહ્યુ, ‘અંતર-આત્માને માન આપીને રાજીનામું આપું છું’

|

Mar 19, 2024 | 8:43 AM

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે.તમામ પક્ષ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. બીજી તરફ વિવિધ પક્ષોમાં આંતરિક વિખવાદો પણ સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં પણ આંતરિક વિવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે.

Breaking News : ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું,કહ્યુ, અંતર-આત્માને માન આપીને રાજીનામું આપું છું

Follow us on

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે.તમામ પક્ષ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. બીજી તરફ વિવિધ પક્ષોમાં આંતરિક વિખવાદો પણ સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં પણ આંતરિક વિવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે.

વિધાનસભા અધ્યક્ષે હજુ સુધી નથી સ્વીકાર્યુ રાજીનામું

ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે, જો કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ હજુ સુધી આ રાજીનામું સ્વીકાર્યું નથી.રાજીનામામાં કેતન ઇનામદારે લખ્યુ છે કે અંતર-આત્માને માન આપીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. એટલે કે સીધેસીધી રીતે પત્રમાં કોઇ આંતરિક વિખવાદ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

કેતન ઇનામદારની છાપ એક દબંગ નેતા તરીકેની

કેતન ઇનામદાર જ્યારે ગાંધીનગર આવતા હતા, ત્યારે અનેક મંત્રીઓને પોતાના વિસ્તારના કામની રજૂઆત કરતા હતા.જો કે જે કામ થવા જોઇએ તે થતા ન હોવાથી કેતન ઇનામદારમાં નારાજગી જોવા મળતી હતી.કેતન ઇનામદારની છાપ તેમના વિસ્તારમાં એક દબંગ નેતા તરીકેની છે, તેઓ પોતાના લોકો માટે કાર્યકર્તાઓ માટે કામ કરતા જોવા મળ્યા છે.

સાવલી વિસ્તારના પ્રશ્નો વારંવાર ઉચ્ચ કક્ષાએ ઉઠાવ્યા

સાવલી વિસ્તારના મોટા મોટા પ્રશ્નોને અત્યાર સુધી કેતન ઇનામદારે ઉપાડેલા છે. ખેડૂતોને લગતા મુદ્દાઓ, ખેડૂતોની વાત, તેમના વિસ્તારમાં વીજળીની વાત સહિતના મુદ્દાઓ તેમણે ઉઠાવેલા છે.જો કે આ વખતે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતા પણ પરિણામ ન આવતા આંતરિક વિખવાદ થયો હોવાની માહિતી છે.

સાંજ સુધીમાં ગાંધીનગર આવે તેવી શક્યતા

જો કે હજુ સુધી કેતન ઇનામદારનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ નથી. આજે સાંજ સુધીમાં તેઓ ગાંધીનગર આવે તેવી શક્યતા છે. બીજી તરફ જે રીતે જ્યોતિ પંડ્યાએ પોતાના બાગી સૂર બતાવ્યા છે અને હવે કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે, જે એ જ બતાવી રહ્યુ છે કે ભાજપમાં અસંતોષ ચરમસીમાએ છે.જેના કારણે જ ભાજપના નેતાઓ એક પછી એક એક્શન લેતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:07 am, Tue, 19 March 24

Next Article