AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unseasonal rains : રાજયમાં ભરશિયાળે વરસાદી માહોલ, હવામાન વિભાગની હજુ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 1 ડિસેમ્બર અને 2 ડિસેમ્બર એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અસર આજે વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં દેખાઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 96 તાલુકાઓમાં વરસાદ થયો છે,

Unseasonal rains : રાજયમાં ભરશિયાળે વરસાદી માહોલ, હવામાન વિભાગની હજુ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
Unseasonal rains in Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 5:50 PM
Share

રાજયમાં (Gujarat)છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને, રાજયમાં (Unseasonal rains )વરસાદી મોસમ અને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે (Meteorological Department)રાજયમાં હજું બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે આજે રાજયના અનેક ઠેકાણે વરસાદ નોંધાયો છે.

શિયાળાની (winter) સીઝનમાં હાડ થિજાવતી (cold)ઠંડીની સાથેસાથે વરસાદનો પણ માહોલ જોવા મળી રહ્યો. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની (Unseasonal rains )શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની (Unseasonal rains )આગાહી કરવામાં આવી હતી, જેની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી. અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા. ત્યારે ઉના અને ગીર-ગઢડા પંથકના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા છે.

આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાના બગીચાઓમાં વ્યાપક નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડશે. અમરેલીમાં કેટલાંક સ્થાનોએ કમોસમી વરસાદ પડ્યો છે. ગોંડલમાં મોડી રાત્રે ઠંડા પવન સાથે વરસાદી ઝાપટું થયું હતું. માવઠાના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે.

આજે રાજયમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના અમીછાંટણાં પડ્યાં હતાં. હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિંત થયા છે. સુરત શહેરનું મહત્તમ તાપમાન 33.1 ડીગ્રી અને લઘુતમ 23.4 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 47 ટકા અને સાંજે 38 ટકા રહ્યું છે. નવસારીમાં પણ વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારો તથા પંચમહાલમાં પણ દાહોદ અને લીમડી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે.

રાજ્યના હવામાન વિભાગ ((Meteorological Department))દ્વારા આજે 1 ડિસેમ્બર અને 2 ડિસેમ્બર એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અસર આજે વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં દેખાઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 96 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તથા સુરતના ઉમરપાડામાં ખાબક્યો છે.સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, કચ્છમાં વાતાવરણ સુકુ રહેવાની આગાહી છે.

રાજ્યમાં જખૌ,માંડવી, મુંદ્રા, કંડલા,નવલખી, સલાયા, ઓખા અને પોરબંદર સહિત, દ્વારકા,પીપાવાવ,વેરાવળ,દિવ,જાફરાબાદ,ભાવનગર,અલંગ,દહેજ,મગદલ્લા અને દમણના દરિયામાં માછીમારી કરતાં માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આ દરિયા કિનારા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી 40થી 60 કિ.મી સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામા આવી છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">